કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ આપ્યું નિવેદન, દિગ્વિજય સિંહના સમર્થનમાં કહી વાત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:43:15

થોડા સમય પેહલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાયો હતો. સર્જિકલ સ્ટ્રાઈક પર તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સુરક્ષા બળો પર તેમનો ભરોસો છે પણ ભાજપની સરકાર પર ભરોસો નથી.

   

રાશિદ અલ્વીએ દિગ્વિજયસિંહના નિવેદનને આપ્યું સમર્થન 

થોડા વર્ષો પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને અનેક વખત કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા દિગ્વિજય સિંહે આ મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 


અમને ભાજપ પર ભરોસો નથી - રાશિદ 

રાશિદ અલ્વીએ કહ્યું કે અમને સેના પર ભરોસો છે. જ્યારે સરકાર કહી રહી છે કે તેમની પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ વીડિયો બતાવાની માગ કરી રહ્યા છે તો છુપાવાની કોઈ જરૂરત નથી. તમારે દેશની માફી માગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારી પાસે વીડિયો નથી.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.