કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ આપ્યું નિવેદન, દિગ્વિજય સિંહના સમર્થનમાં કહી વાત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:43:15

થોડા સમય પેહલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાયો હતો. સર્જિકલ સ્ટ્રાઈક પર તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સુરક્ષા બળો પર તેમનો ભરોસો છે પણ ભાજપની સરકાર પર ભરોસો નથી.

   

રાશિદ અલ્વીએ દિગ્વિજયસિંહના નિવેદનને આપ્યું સમર્થન 

થોડા વર્ષો પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને અનેક વખત કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા દિગ્વિજય સિંહે આ મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 


અમને ભાજપ પર ભરોસો નથી - રાશિદ 

રાશિદ અલ્વીએ કહ્યું કે અમને સેના પર ભરોસો છે. જ્યારે સરકાર કહી રહી છે કે તેમની પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ વીડિયો બતાવાની માગ કરી રહ્યા છે તો છુપાવાની કોઈ જરૂરત નથી. તમારે દેશની માફી માગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારી પાસે વીડિયો નથી.     




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.