કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ આપ્યું નિવેદન, દિગ્વિજય સિંહના સમર્થનમાં કહી વાત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:43:15

થોડા સમય પેહલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાયો હતો. સર્જિકલ સ્ટ્રાઈક પર તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સુરક્ષા બળો પર તેમનો ભરોસો છે પણ ભાજપની સરકાર પર ભરોસો નથી.

   

રાશિદ અલ્વીએ દિગ્વિજયસિંહના નિવેદનને આપ્યું સમર્થન 

થોડા વર્ષો પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને અનેક વખત કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા દિગ્વિજય સિંહે આ મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 


અમને ભાજપ પર ભરોસો નથી - રાશિદ 

રાશિદ અલ્વીએ કહ્યું કે અમને સેના પર ભરોસો છે. જ્યારે સરકાર કહી રહી છે કે તેમની પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ વીડિયો બતાવાની માગ કરી રહ્યા છે તો છુપાવાની કોઈ જરૂરત નથી. તમારે દેશની માફી માગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારી પાસે વીડિયો નથી.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.