કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ સર્જિકલ સ્ટ્રાઈકને લઈ આપ્યું નિવેદન, દિગ્વિજય સિંહના સમર્થનમાં કહી વાત


  • Published By :
  • Published Date : 2023-01-27 12:43:15

થોડા સમય પેહલા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને એક નિવેદન આપ્યું હતું જેને કારણે વિવાદ છેડાયો હતો. સર્જિકલ સ્ટ્રાઈક પર તેમણે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના આ નિવેદનને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું હતું. ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમને સુરક્ષા બળો પર તેમનો ભરોસો છે પણ ભાજપની સરકાર પર ભરોસો નથી.

   

રાશિદ અલ્વીએ દિગ્વિજયસિંહના નિવેદનને આપ્યું સમર્થન 

થોડા વર્ષો પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને અનેક વખત કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવામાં આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા દિગ્વિજય સિંહે આ મુદ્દાને લઈને નિવેદન આપ્યું હતું જેને લઈને વિવાદ છેડાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ તેમના આ નિવેદનને વ્યક્તિગત નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ પણ આ નિવેદનને તેમના વ્યક્તિગત વિચાર બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ તેમના સમર્થનમાં નિવેદન આપ્યું છે. 


અમને ભાજપ પર ભરોસો નથી - રાશિદ 

રાશિદ અલ્વીએ કહ્યું કે અમને સેના પર ભરોસો છે. જ્યારે સરકાર કહી રહી છે કે તેમની પાસે વીડિયો છે અને દિગ્વિજય સિંહ વીડિયો બતાવાની માગ કરી રહ્યા છે તો છુપાવાની કોઈ જરૂરત નથી. તમારે દેશની માફી માગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારી પાસે વીડિયો નથી.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.