કોંગ્રેસના નેતાના ટ્વીટથી થયો હોબાળો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:38:49

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના એક નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદીત રાજ ટ્વીટ કર્યું જેના કારણે મોટો હોબાળો મચી ગયો છે. ભાજપએ ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે ભાજપ તરફથી સંબિત પાત્રાએ કહ્યું કે, પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમની આદિવાસી માનસિકતા દર્શાવે છે.

 

 

દ્રૌપદી મુર્મૂએ શું નિવેદન આપ્યું હતું ?

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે સાબરમતી આશ્રમ ગયા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી અને તેમણે કહ્યું હતું  ગુજરાતમાં દેશનો 76 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. એવું કહી શકાય કે બધા દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

 

ઉદિત રાજે શું ટ્વીટ કર્યું ?

કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે. બાદ ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, નિવેદન મારું દ્રોપદી મુર્મૂજી માટે અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામથી વોટ માગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે પછી ચુપ થઈ જાય છે.

 

 

ભાજપે વળતો જવાબ આપ્યો !!!!!

ભાજપ તરફથી જવાબ આપતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરાયેલા શબ્દો ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલીવાર નથી જ્યારે તેમણે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું કહ્યું હતું. જે તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.

 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .