કોંગ્રેસના નેતાના ટ્વીટથી થયો હોબાળો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:38:49

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના એક નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદીત રાજ ટ્વીટ કર્યું જેના કારણે મોટો હોબાળો મચી ગયો છે. ભાજપએ ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે ભાજપ તરફથી સંબિત પાત્રાએ કહ્યું કે, પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમની આદિવાસી માનસિકતા દર્શાવે છે.

 

 

દ્રૌપદી મુર્મૂએ શું નિવેદન આપ્યું હતું ?

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે સાબરમતી આશ્રમ ગયા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી અને તેમણે કહ્યું હતું  ગુજરાતમાં દેશનો 76 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. એવું કહી શકાય કે બધા દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

 

ઉદિત રાજે શું ટ્વીટ કર્યું ?

કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે. બાદ ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, નિવેદન મારું દ્રોપદી મુર્મૂજી માટે અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામથી વોટ માગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે પછી ચુપ થઈ જાય છે.

 

 

ભાજપે વળતો જવાબ આપ્યો !!!!!

ભાજપ તરફથી જવાબ આપતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરાયેલા શબ્દો ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલીવાર નથી જ્યારે તેમણે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું કહ્યું હતું. જે તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.