કોંગ્રેસના નેતાના ટ્વીટથી થયો હોબાળો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:38:49

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના એક નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદીત રાજ ટ્વીટ કર્યું જેના કારણે મોટો હોબાળો મચી ગયો છે. ભાજપએ ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે ભાજપ તરફથી સંબિત પાત્રાએ કહ્યું કે, પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમની આદિવાસી માનસિકતા દર્શાવે છે.

 

 

દ્રૌપદી મુર્મૂએ શું નિવેદન આપ્યું હતું ?

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેમણે સાબરમતી આશ્રમ ગયા હતા અને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી અને તેમણે કહ્યું હતું  ગુજરાતમાં દેશનો 76 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. એવું કહી શકાય કે બધા દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.

 

ઉદિત રાજે શું ટ્વીટ કર્યું ?

કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે. બાદ ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, નિવેદન મારું દ્રોપદી મુર્મૂજી માટે અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામથી વોટ માગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે પછી ચુપ થઈ જાય છે.

 

 

ભાજપે વળતો જવાબ આપ્યો !!!!!

ભાજપ તરફથી જવાબ આપતા સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરાયેલા શબ્દો ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. પહેલીવાર નથી જ્યારે તેમણે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું કહ્યું હતું. જે તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે