Congressએ ઉમેદવારોના સસ્પેન્સ પર મૂક્યો પૂર્ણ વિરામ! Raebareliથી Rahul Gandhi, તો Smriti Irani સામે K.L.Sharmaને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં...


  • Published By :
  • Published Date : 2024-05-03 12:37:20

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેનો સસ્પેન્સ હતો. અનેક અટકળો લગાવામાં આવી હતી. પરંતુ આજે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. અમેઠી અને રાયબરેલી વચ્ચે અસમંજસ હતું કે કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે અને અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આની પહેલા અટકળો ચાલી રહી હતી કે અમેઠીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે..

રાયબરેલીથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી  

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને સાતમી મેના રોજ ત્રીજા તબક્કા માટેનું મતદાન થવાનું છે.. ત્યારે ઉત્તરપ્રદેશની લોકસભા સીટ રાયબરેલી અને અમેઠી પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર હતી.. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ સસ્પેન્સ હતો ત્યારે આજે આ સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. 

સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે ઉતાર્યા કે.એલ.શર્માને ચૂંટણી મેદાનમાં 

રાહુલ ગાંધીને રાયબરેલીથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ઉતારવામાં આવ્યા છે... મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી આજે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. રાહુલ ગાંધીનો સામનો ભાજપના ઉમેદવાર દિનેશ સિંહ સામે થવાનો છે.. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી છે. સોનિયા ગાંધીને દિનેશ સિંહે ચૂંટણીમાં સારી એવી ટક્કર આપી છે.. જો અમેઠીમાં કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર કિશોરી લાલ શર્માની વાત કરીએ તો તેમને કોંગ્રેસ પરિવારના એકદમ નજીકના માનવામાં આવે છે.. એવું લાગતું હતું કે આ બંને બેઠકમાંથી એક બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવામાં આવી શકે છે પરંતુ તેમના નામની જાહેરાત નથી કરી.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.