Congressએ ઉમેદવારોના સસ્પેન્સ પર મૂક્યો પૂર્ણ વિરામ! Raebareliથી Rahul Gandhi, તો Smriti Irani સામે K.L.Sharmaને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં...


  • Published By :
  • Published Date : 2024-05-03 12:37:20

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગેનો સસ્પેન્સ હતો. અનેક અટકળો લગાવામાં આવી હતી. પરંતુ આજે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. અમેઠી અને રાયબરેલી વચ્ચે અસમંજસ હતું કે કોને ક્યાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવાર છે અને અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આની પહેલા અટકળો ચાલી રહી હતી કે અમેઠીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે..

રાયબરેલીથી રાહુલ ગાંધી લડશે ચૂંટણી  

દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે.. બે તબક્કા અંતર્ગત મતદાન થઈ ગયું છે અને સાતમી મેના રોજ ત્રીજા તબક્કા માટેનું મતદાન થવાનું છે.. ત્યારે ઉત્તરપ્રદેશની લોકસભા સીટ રાયબરેલી અને અમેઠી પર કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર હતી.. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ સસ્પેન્સ હતો ત્યારે આજે આ સસ્પેન્સ પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયો છે. 

સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે ઉતાર્યા કે.એલ.શર્માને ચૂંટણી મેદાનમાં 

રાહુલ ગાંધીને રાયબરેલીથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. અમેઠીથી કિશોરી લાલ શર્માને કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને ઉતારવામાં આવ્યા છે... મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી આજે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. રાહુલ ગાંધીનો સામનો ભાજપના ઉમેદવાર દિનેશ સિંહ સામે થવાનો છે.. દિનેશ સિંહ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી છે. સોનિયા ગાંધીને દિનેશ સિંહે ચૂંટણીમાં સારી એવી ટક્કર આપી છે.. જો અમેઠીમાં કોંગ્રેસે ઉતારેલા ઉમેદવાર કિશોરી લાલ શર્માની વાત કરીએ તો તેમને કોંગ્રેસ પરિવારના એકદમ નજીકના માનવામાં આવે છે.. એવું લાગતું હતું કે આ બંને બેઠકમાંથી એક બેઠક પર પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવામાં આવી શકે છે પરંતુ તેમના નામની જાહેરાત નથી કરી.. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.