લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે હમણાંથી શરૂ કરી તૈયારી?


  • Published By :
  • Published Date : 2022-11-03 18:33:54

2022ના અંતિમ મહિનાઓમાં 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલમાં ભલે વિધાનસભાને લઈ પ્રચાર થઈ રહ્યો હોય પરંતુ, તમામ પક્ષો હમણાંથી જ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. 2024માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ હમણાંથી કમરકસી લીધી છે. એવું બનતું હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મુખ્યત્વે પક્ષો એકબીજા પર પ્રહાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો ચૂંટણી વગર કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા છે. 


વીડિયો શેર કરી રાહુલ અને પીએમ વચ્ચે કરી તુલના 

કોંગ્રેસે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તુલના કરવામાં આવી છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીને અભિનેતા દર્શાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનેતા દર્શાવ્યા છે.

 

પીએમને અભિનેતા અને રાહુલને જનનેતા તરીકે દર્શાવ્યા

નરેન્દ્ર મોદીને કેમેરાજીવી બતાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવ્યા છે. કોંગ્રેસ આ વીડિયો શેર કરી એવું બતાવવા માગતી હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન હમેશાં કેમેરામેન પર હોય છે. ગમે તે કાર્યક્રમ હોય, ગમે તે જગ્યા હોય તેમનો ફોટો સારો આવો જોઈએ. જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે બતાવી લોકોનો પ્રેમ મેળવતા દર્શાવવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક લોકોની વચ્ચે રહી તેમણે લોકોની સમસ્યાને સાંભળી હતી.

 


પ્રદુષણને લઈ દિલ્હી સરકાર પર સાધ્યા નિશાન 

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને દુનિયાને સૌથી શુદ્ધ હવા વાળું શહેર બનાવીશું જ્યારે સત્તા પર આવ્યા પછી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર થઈ ગયું છે. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે હવાની Quality ખૂબ ગંદી થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.