લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે હમણાંથી શરૂ કરી તૈયારી?


  • Published By :
  • Published Date : 2022-11-03 18:33:54

2022ના અંતિમ મહિનાઓમાં 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલમાં ભલે વિધાનસભાને લઈ પ્રચાર થઈ રહ્યો હોય પરંતુ, તમામ પક્ષો હમણાંથી જ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. 2024માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ હમણાંથી કમરકસી લીધી છે. એવું બનતું હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મુખ્યત્વે પક્ષો એકબીજા પર પ્રહાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો ચૂંટણી વગર કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા છે. 


વીડિયો શેર કરી રાહુલ અને પીએમ વચ્ચે કરી તુલના 

કોંગ્રેસે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તુલના કરવામાં આવી છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીને અભિનેતા દર્શાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનેતા દર્શાવ્યા છે.

 

પીએમને અભિનેતા અને રાહુલને જનનેતા તરીકે દર્શાવ્યા

નરેન્દ્ર મોદીને કેમેરાજીવી બતાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવ્યા છે. કોંગ્રેસ આ વીડિયો શેર કરી એવું બતાવવા માગતી હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન હમેશાં કેમેરામેન પર હોય છે. ગમે તે કાર્યક્રમ હોય, ગમે તે જગ્યા હોય તેમનો ફોટો સારો આવો જોઈએ. જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે બતાવી લોકોનો પ્રેમ મેળવતા દર્શાવવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક લોકોની વચ્ચે રહી તેમણે લોકોની સમસ્યાને સાંભળી હતી.

 


પ્રદુષણને લઈ દિલ્હી સરકાર પર સાધ્યા નિશાન 

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને દુનિયાને સૌથી શુદ્ધ હવા વાળું શહેર બનાવીશું જ્યારે સત્તા પર આવ્યા પછી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર થઈ ગયું છે. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે હવાની Quality ખૂબ ગંદી થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.