લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે હમણાંથી શરૂ કરી તૈયારી?


  • Published By :
  • Published Date : 2022-11-03 18:33:54

2022ના અંતિમ મહિનાઓમાં 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલમાં ભલે વિધાનસભાને લઈ પ્રચાર થઈ રહ્યો હોય પરંતુ, તમામ પક્ષો હમણાંથી જ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. 2024માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ હમણાંથી કમરકસી લીધી છે. એવું બનતું હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મુખ્યત્વે પક્ષો એકબીજા પર પ્રહાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો ચૂંટણી વગર કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા છે. 


વીડિયો શેર કરી રાહુલ અને પીએમ વચ્ચે કરી તુલના 

કોંગ્રેસે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તુલના કરવામાં આવી છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીને અભિનેતા દર્શાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનેતા દર્શાવ્યા છે.

 

પીએમને અભિનેતા અને રાહુલને જનનેતા તરીકે દર્શાવ્યા

નરેન્દ્ર મોદીને કેમેરાજીવી બતાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવ્યા છે. કોંગ્રેસ આ વીડિયો શેર કરી એવું બતાવવા માગતી હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન હમેશાં કેમેરામેન પર હોય છે. ગમે તે કાર્યક્રમ હોય, ગમે તે જગ્યા હોય તેમનો ફોટો સારો આવો જોઈએ. જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે બતાવી લોકોનો પ્રેમ મેળવતા દર્શાવવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક લોકોની વચ્ચે રહી તેમણે લોકોની સમસ્યાને સાંભળી હતી.

 


પ્રદુષણને લઈ દિલ્હી સરકાર પર સાધ્યા નિશાન 

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને દુનિયાને સૌથી શુદ્ધ હવા વાળું શહેર બનાવીશું જ્યારે સત્તા પર આવ્યા પછી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર થઈ ગયું છે. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે હવાની Quality ખૂબ ગંદી થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. 



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..