કોંગ્રેસે જણાવ્યું પીએમ મોદીને કયા આસન પ્રિય છે! જાણો કોંગ્રેસે શું લખ્યું છે ટ્વિટમાં?


  • Published By :
  • Published Date : 2023-06-21 16:22:27

કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે અનેક વખત ટ્વિટર વોર ચાલતુ રહે છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે જવાહરલાલ નહેરૂનો ફોટો શેર કરી એક ટ્વિટ કર્યું છે. જે ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે તેમાં પંડિત નહેરૂને શિર્ષાસન કરતા દર્શાવવામાં આવ્યા છે. કેપ્શન આપતા કોંગ્રેસે લખ્યું કે આંતરરાષ્ટીય યોગ દિવસ પર અમે પંડિત જવાહરલાલનો આભાર માનીએ છીએ. તેમણે આને લોકપ્રિય અને રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનાવ્યો.


કોંગ્રેસે યોગ દિવસને લઈ કર્યો ભાજપ પર પ્રહાર!  

સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ સ્થળો પર કેન્દ્રીય મંત્રીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. પીએમ મોદી અમેરિકામાં યોગ કરવાના છે. ત્યારે યોગ દિવસને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદી પર કોંગ્રેસે પ્રહાર કર્યો છે. યોગ દિવસને લઈ કોંગ્રેસ દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના પસંદીદા આસન - મૌનાસન, જુમલાસન, કેમરાસન, પ્રચારાસન, મોરાસન, મિત્રાસન. તે સિવાય બીજી એક પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ શિર્ષાસન કરી રહ્યા છે અને બીજી બાજુ ઈન્ટરનેશનલ યોગ દિવસ લખવામાં આવ્યું હતું.

શશિ થરૂરે કરી એવી ટ્વિટ જેનાથી કોંગ્રેસ થઈ શકે છે નારાજ! 

કોંગ્રેસની ટ્વિટને સંદર્ભમાં લઈ શશિ થરૂરે લખ્યું કે આપણે સરકાર સહિત એ લોકોના યોગદાનનો પણ સ્વીકાર કરવો જોઈએ જેમણે સંયુક્ત રાષ્ટ્રના માધ્મયથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને યોગને પુનર્જીવિત અને લોકપ્રિય બનાવ્યો. શશિ થરૂર દ્વારા કરવામાં આવેલી ટ્વિટ એવી છે જે કોંગ્રેસને કદાચ ન પણ ગમે. મહત્વનું છે કે એવા અનેક મુદ્દાઓ છે જેને લઈ કોંગેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. મણિપુરમાં થતી હિંસાને લઈને પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.