Gujaratમાં Congress કાઢશે ન્યાય યાત્રા, દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને, જાણો શું રહેશે યાત્રાનો રૂટ?


  • Published By :
  • Published Date : 2024-07-13 16:58:19

ગુજરાતમાં છેલ્લા એક બે વર્ષમાં એટલી બધી દુર્ઘટનાઓ બની છે કે વાત ન પૂછો મોરબી દુર્ઘટનાથી લઇને રાજકોટ અગ્નિકાંડ સુધી.. પીડિતોની એક જ માંગ કે અમને ન્યાય મળે.. પીડિત પરિવારને ન્યાય જોઈએ છે પરંતુ તેમને સરકાર પાસેથી તેમને આશા નથી તેવું તેમનું કહેવું છે.. ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યું છે. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ ન્યાય યાત્રા કાઢવાની છે.. 

ન્યાય યાત્રાનો આ રહેશે રૂટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સીલસિલો યથાવત છે. પીડિત પરિવારને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. 


રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે

આ ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તે પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી પણ હાજર હતા..મહત્વનું છે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે આ લોકોને મળ્યા હતા અને આશ્વાશન આપ્યું હતું કે તેમનો મુદ્દો સંસદમાં મુકશે. તો હવે પીડિતોને ક્યારે ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.