Gujaratમાં Congress કાઢશે ન્યાય યાત્રા, દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને, જાણો શું રહેશે યાત્રાનો રૂટ?


  • Published By :
  • Published Date : 2024-07-13 16:58:19

ગુજરાતમાં છેલ્લા એક બે વર્ષમાં એટલી બધી દુર્ઘટનાઓ બની છે કે વાત ન પૂછો મોરબી દુર્ઘટનાથી લઇને રાજકોટ અગ્નિકાંડ સુધી.. પીડિતોની એક જ માંગ કે અમને ન્યાય મળે.. પીડિત પરિવારને ન્યાય જોઈએ છે પરંતુ તેમને સરકાર પાસેથી તેમને આશા નથી તેવું તેમનું કહેવું છે.. ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યું છે. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ ન્યાય યાત્રા કાઢવાની છે.. 

ન્યાય યાત્રાનો આ રહેશે રૂટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સીલસિલો યથાવત છે. પીડિત પરિવારને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. 


રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે

આ ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તે પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી પણ હાજર હતા..મહત્વનું છે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે આ લોકોને મળ્યા હતા અને આશ્વાશન આપ્યું હતું કે તેમનો મુદ્દો સંસદમાં મુકશે. તો હવે પીડિતોને ક્યારે ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.