મહાઠગ કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીર પોલીસને સોંપાઈ, આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ પટેલની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-25 15:33:25

વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઉચ્ચ અધિકારી હોવાનો સ્વાંગ રચીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનારા મહાઠગ કિરણ પટેલને ફરીજમ્મુ અને કાશ્મીર મોકલાયો છે. કિરણ પટેલ મામલે જમ્મુ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે. કિરણ પટેલ ઉપરાંત આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદમાં ગુના દાખલ થયા છે. કિરણ પટેલ PMOમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાના કેસમાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હતો. કિરણની પત્ની માલિની પણ અમદાવાદની જેલમાં બંધ છે.


શ્રીનગર પોલીસને સોંપાઈ કસ્ટડી


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ સોમવારે આ હાઈપ્રોફાઈલ કેસ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. કિરણભાઈ પટેલને સેન્ટ્રલ જેલ શ્રીનગર મોકલવામાં આવશે. ગુજરાત પોલીસે સોમવારે કિરણભાઈ પટેલની કસ્ટડી શ્રીનગર પોલીસને સોંપી છે, જેથી તેની સામે વધુ તપાસ થઈ શકે.


કોણ છે પિયુષ પટેલ?


જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં પૂછપરછ માટે આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ કાંતિભાઈ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે.પિયુષભાઈ પટેલની જમ્મુ અને કાશ્મીરની નિશાત પોલીસે ધરપકડ કરી છે. આરોપી પિયુષભાઈ પટેલ ગુજરાતમાં આકાંક્ષા ક્રિએશન પ્રિન્ટીંગ પ્રેસનો માલિક છે. તેની સામે 2023માં FIR નંબર 25ની ફરિયાદ શ્રીનગરના  નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.


કાશ્મીરથી અમદાવાદ પરત લવાયો હતો


કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે ( 4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવામાં આવી હતી. કિરણ પટેલને 36 કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.મહાઠગ કિરણ પટેલ 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર હતો. 


કિરણ પટેલ સામે નોંધાઈ હતી FIR


મહાઠગ કિરણ પટેલની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જે બાદ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામીનની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.