દેશમાં સતત વધતું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-15 13:36:20

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાએ અનેક મહિનાઓનો રેકોર્ડ તોડી દીધો હતો. 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 27 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પર પહોંચી ગઈ છે. દેશમાં હાલ 53720 કોરોનાના એક્ટિવ કેસ છે. 1 એપ્રિલથી 14 એપ્રિલમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 89 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે.


53 હજારને પાર પહોંચ્યા એક્ટિવ કેસની સંખ્યા! 

કોરોના સંક્રમણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે જ્યારે 27 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂવારે કોરોના સંક્રમણનો આંકડો 1 હજારને પાર નોંધાયો હતો. સતત વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. એક્ટિવ કેસનો આંકડો પણ 53 હજારને પાર પહોંચી ગયો છે. 


ગુજરાતમાં નોંધાયા 392 કોરોનાના કેસ 

કેરળમાં કોરોનાના 3065 કેસ નોંધાયા છે. દિલ્હીથી 1420 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી 1152 કેસ નોંધાયા છે. હરિયાણાથી 835 લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 757 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 392 કોરોનાના કેસ સામે આવ્યા છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.