દેશમાં સતત વધતું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-15 13:36:20

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાએ અનેક મહિનાઓનો રેકોર્ડ તોડી દીધો હતો. 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 27 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પર પહોંચી ગઈ છે. દેશમાં હાલ 53720 કોરોનાના એક્ટિવ કેસ છે. 1 એપ્રિલથી 14 એપ્રિલમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 89 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે.


53 હજારને પાર પહોંચ્યા એક્ટિવ કેસની સંખ્યા! 

કોરોના સંક્રમણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે જ્યારે 27 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂવારે કોરોના સંક્રમણનો આંકડો 1 હજારને પાર નોંધાયો હતો. સતત વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. એક્ટિવ કેસનો આંકડો પણ 53 હજારને પાર પહોંચી ગયો છે. 


ગુજરાતમાં નોંધાયા 392 કોરોનાના કેસ 

કેરળમાં કોરોનાના 3065 કેસ નોંધાયા છે. દિલ્હીથી 1420 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી 1152 કેસ નોંધાયા છે. હરિયાણાથી 835 લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 757 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 392 કોરોનાના કેસ સામે આવ્યા છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.