દેશમાં સતત વધતું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-15 13:36:20

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાએ અનેક મહિનાઓનો રેકોર્ડ તોડી દીધો હતો. 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 27 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પર પહોંચી ગઈ છે. દેશમાં હાલ 53720 કોરોનાના એક્ટિવ કેસ છે. 1 એપ્રિલથી 14 એપ્રિલમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 89 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે.


53 હજારને પાર પહોંચ્યા એક્ટિવ કેસની સંખ્યા! 

કોરોના સંક્રમણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે જ્યારે 27 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂવારે કોરોના સંક્રમણનો આંકડો 1 હજારને પાર નોંધાયો હતો. સતત વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. એક્ટિવ કેસનો આંકડો પણ 53 હજારને પાર પહોંચી ગયો છે. 


ગુજરાતમાં નોંધાયા 392 કોરોનાના કેસ 

કેરળમાં કોરોનાના 3065 કેસ નોંધાયા છે. દિલ્હીથી 1420 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી 1152 કેસ નોંધાયા છે. હરિયાણાથી 835 લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 757 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 392 કોરોનાના કેસ સામે આવ્યા છે.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.