દેશમાં સતત વધતું કોરોના સંક્રમણ! છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-15 13:36:20

દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાએ અનેક મહિનાઓનો રેકોર્ડ તોડી દીધો હતો. 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 27 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પર પહોંચી ગઈ છે. દેશમાં હાલ 53720 કોરોનાના એક્ટિવ કેસ છે. 1 એપ્રિલથી 14 એપ્રિલમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 89 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે.


53 હજારને પાર પહોંચ્યા એક્ટિવ કેસની સંખ્યા! 

કોરોના સંક્રમણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે જ્યારે 27 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂવારે કોરોના સંક્રમણનો આંકડો 1 હજારને પાર નોંધાયો હતો. સતત વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. એક્ટિવ કેસનો આંકડો પણ 53 હજારને પાર પહોંચી ગયો છે. 


ગુજરાતમાં નોંધાયા 392 કોરોનાના કેસ 

કેરળમાં કોરોનાના 3065 કેસ નોંધાયા છે. દિલ્હીથી 1420 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી 1152 કેસ નોંધાયા છે. હરિયાણાથી 835 લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 757 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 392 કોરોનાના કેસ સામે આવ્યા છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.