રામચરિત માનસને લઈ કરાયેલા નિવેદન પર વધ્યો વિવાદ, રાજુદાસ મહારાજે કરી આ જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-30 13:53:29

રામચરિત માનસને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. તેમના નિવેદન પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રવિવારે રાજુદાસે એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો જેમાં તેઓ કહીં રહ્યા છે કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું તેમના ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે.


નિવેદન આપ્યા બાદ નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ   

થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી મૌર્યએ રામચરિત માનસને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પહેલા નિવેદનને લઈ વિવાદ શાંત થયો ન હતો ત્યારે તો તેમણે આ મુદ્દે એક ટ્વિટ કરી હતી. રવિવારે ફરી એક વખત રામચરિત માનસ અંગે ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ ધર્મના આહ્વાન કરીને આદિવાસીઓ, પછાત અને મહિલાઓને અપમાનિત કરવાના ષડયંત્રનો વિરોધ કરતા રહેશે. જેમ કુતરાના ભસવાથી હાથી તેની ચાલ બદલી શકતો નથી તેવી જ રીતે જ્યાં સુધી હું તેમનો આદરી નહીં અપાવી શકું ત્યાં સુધી હું મારી વાત બદલીશ નહી. તેમના આ ટ્વિટને લઈ ફરી વિવાદ છેડાયો છે. આ નિવેદન બાદ અનેક સંતોએ સ્વામી પ્રસાદને અજ્ઞાની બતાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

रामचरित मानस:हनुमानगढ़ी के महंत राजूदास का एलान, स्वामी प्रसाद का सिर तन से  जुदा करने वाले को 21 लाख का इनाम - Ram Charit Manas Controversy Hanuman  Garhi Mahant Raju ...

21 લાખ આપવાની રાજુદાસે કરી જાહેરાત 

આ નિવેદન પર હનુમાનગઢીના પૂજારી રાજુદાસે પ્રતિક્રિયા આી છે. રાજુદાસે નેતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે. તે સિવાય પીજીઆઈના વૃંદાવન કોલોનીમાં રવિવારે સવારે રામચરિત માનસને ફાડવામાં આવી હતી અને તે બાદ બાળી પણ નાખવામાં આવી હતી. રામચરિત માનસને સળગાવવા વાળા ઓબીસી મહાસભાના પદાધિકારીઓ હતા.     



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે