રામચરિત માનસને લઈ કરાયેલા નિવેદન પર વધ્યો વિવાદ, રાજુદાસ મહારાજે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:53:29

રામચરિત માનસને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. તેમના નિવેદન પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રવિવારે રાજુદાસે એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો જેમાં તેઓ કહીં રહ્યા છે કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું તેમના ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે.


નિવેદન આપ્યા બાદ નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ   

થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી મૌર્યએ રામચરિત માનસને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પહેલા નિવેદનને લઈ વિવાદ શાંત થયો ન હતો ત્યારે તો તેમણે આ મુદ્દે એક ટ્વિટ કરી હતી. રવિવારે ફરી એક વખત રામચરિત માનસ અંગે ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ ધર્મના આહ્વાન કરીને આદિવાસીઓ, પછાત અને મહિલાઓને અપમાનિત કરવાના ષડયંત્રનો વિરોધ કરતા રહેશે. જેમ કુતરાના ભસવાથી હાથી તેની ચાલ બદલી શકતો નથી તેવી જ રીતે જ્યાં સુધી હું તેમનો આદરી નહીં અપાવી શકું ત્યાં સુધી હું મારી વાત બદલીશ નહી. તેમના આ ટ્વિટને લઈ ફરી વિવાદ છેડાયો છે. આ નિવેદન બાદ અનેક સંતોએ સ્વામી પ્રસાદને અજ્ઞાની બતાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

रामचरित मानस:हनुमानगढ़ी के महंत राजूदास का एलान, स्वामी प्रसाद का सिर तन से  जुदा करने वाले को 21 लाख का इनाम - Ram Charit Manas Controversy Hanuman  Garhi Mahant Raju ...

21 લાખ આપવાની રાજુદાસે કરી જાહેરાત 

આ નિવેદન પર હનુમાનગઢીના પૂજારી રાજુદાસે પ્રતિક્રિયા આી છે. રાજુદાસે નેતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે. તે સિવાય પીજીઆઈના વૃંદાવન કોલોનીમાં રવિવારે સવારે રામચરિત માનસને ફાડવામાં આવી હતી અને તે બાદ બાળી પણ નાખવામાં આવી હતી. રામચરિત માનસને સળગાવવા વાળા ઓબીસી મહાસભાના પદાધિકારીઓ હતા.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.