રામચરિત માનસને લઈ કરાયેલા નિવેદન પર વધ્યો વિવાદ, રાજુદાસ મહારાજે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-30 13:53:29

રામચરિત માનસને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. તેમના નિવેદન પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રવિવારે રાજુદાસે એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો જેમાં તેઓ કહીં રહ્યા છે કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું તેમના ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે.


નિવેદન આપ્યા બાદ નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ   

થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી મૌર્યએ રામચરિત માનસને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પહેલા નિવેદનને લઈ વિવાદ શાંત થયો ન હતો ત્યારે તો તેમણે આ મુદ્દે એક ટ્વિટ કરી હતી. રવિવારે ફરી એક વખત રામચરિત માનસ અંગે ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ ધર્મના આહ્વાન કરીને આદિવાસીઓ, પછાત અને મહિલાઓને અપમાનિત કરવાના ષડયંત્રનો વિરોધ કરતા રહેશે. જેમ કુતરાના ભસવાથી હાથી તેની ચાલ બદલી શકતો નથી તેવી જ રીતે જ્યાં સુધી હું તેમનો આદરી નહીં અપાવી શકું ત્યાં સુધી હું મારી વાત બદલીશ નહી. તેમના આ ટ્વિટને લઈ ફરી વિવાદ છેડાયો છે. આ નિવેદન બાદ અનેક સંતોએ સ્વામી પ્રસાદને અજ્ઞાની બતાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

रामचरित मानस:हनुमानगढ़ी के महंत राजूदास का एलान, स्वामी प्रसाद का सिर तन से  जुदा करने वाले को 21 लाख का इनाम - Ram Charit Manas Controversy Hanuman  Garhi Mahant Raju ...

21 લાખ આપવાની રાજુદાસે કરી જાહેરાત 

આ નિવેદન પર હનુમાનગઢીના પૂજારી રાજુદાસે પ્રતિક્રિયા આી છે. રાજુદાસે નેતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે. તે સિવાય પીજીઆઈના વૃંદાવન કોલોનીમાં રવિવારે સવારે રામચરિત માનસને ફાડવામાં આવી હતી અને તે બાદ બાળી પણ નાખવામાં આવી હતી. રામચરિત માનસને સળગાવવા વાળા ઓબીસી મહાસભાના પદાધિકારીઓ હતા.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.