રિચા ચઢ્ઢાની ટ્વિટને લઈ વકર્યો વિવાદ


  • Published By :
  • Published Date : 2022-11-26 15:19:28

બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાને લઈ એક ટ્વિટ કરી હતી જેને કારણે તેઓ ફરી વખત વિવાદમાં ઘેરાઈ ગયા છે. રિચા ચઢ્ઢાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફેટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના પીઓકેની  ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછી લાવવાનો વાત કરી હતી. આ બાદ વિવાદ વકર્યો છે.

Image

અભિનેતાઓ આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ ટ્વિટ પર અનેક અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે પરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવેલે કહ્યું કે ઈન્ડિયન આર્મી છે તો અમે છીએ. અક્ષયકુમારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ જોઈને મને દુખ થયું છે. આપણી ભારતીય સેના પ્રત્યે આપણે Ungrateful ના થઈ શકીએ. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સેનાનું અપમાન કરી રાષ્ટ્રભક્તની લાગણીને દુભાવી છે.   



બોલિવુડમાં જોવા મળ્યો બોયકોટ ટ્રેન્ડ

આ ટ્વિટનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમય બાદ રિયાની ફિલ્મ ફુકરે-3 આવી રહી છે. આ વિવાદને આ ફિલ્મને બોયકોટ કરવાની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને કારણે આકરી ટિકાઓ પણ થઈ રહી છે. ઘણીવાર બોલિવુડ કલાકારો એવા નિવેદનો આપતા રહે છે જેને કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ જાય છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.       




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.