રિચા ચઢ્ઢાની ટ્વિટને લઈ વકર્યો વિવાદ


  • Published By :
  • Published Date : 2022-11-26 15:19:28

બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાને લઈ એક ટ્વિટ કરી હતી જેને કારણે તેઓ ફરી વખત વિવાદમાં ઘેરાઈ ગયા છે. રિચા ચઢ્ઢાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફેટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના પીઓકેની  ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછી લાવવાનો વાત કરી હતી. આ બાદ વિવાદ વકર્યો છે.

Image

અભિનેતાઓ આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ ટ્વિટ પર અનેક અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે પરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવેલે કહ્યું કે ઈન્ડિયન આર્મી છે તો અમે છીએ. અક્ષયકુમારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ જોઈને મને દુખ થયું છે. આપણી ભારતીય સેના પ્રત્યે આપણે Ungrateful ના થઈ શકીએ. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સેનાનું અપમાન કરી રાષ્ટ્રભક્તની લાગણીને દુભાવી છે.   



બોલિવુડમાં જોવા મળ્યો બોયકોટ ટ્રેન્ડ

આ ટ્વિટનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમય બાદ રિયાની ફિલ્મ ફુકરે-3 આવી રહી છે. આ વિવાદને આ ફિલ્મને બોયકોટ કરવાની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને કારણે આકરી ટિકાઓ પણ થઈ રહી છે. ઘણીવાર બોલિવુડ કલાકારો એવા નિવેદનો આપતા રહે છે જેને કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ જાય છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.       




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.