રિચા ચઢ્ઢાની ટ્વિટને લઈ વકર્યો વિવાદ


  • Published By :
  • Published Date : 2022-11-26 15:19:28

બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાને લઈ એક ટ્વિટ કરી હતી જેને કારણે તેઓ ફરી વખત વિવાદમાં ઘેરાઈ ગયા છે. રિચા ચઢ્ઢાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફેટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના પીઓકેની  ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછી લાવવાનો વાત કરી હતી. આ બાદ વિવાદ વકર્યો છે.

Image

અભિનેતાઓ આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ ટ્વિટ પર અનેક અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે પરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવેલે કહ્યું કે ઈન્ડિયન આર્મી છે તો અમે છીએ. અક્ષયકુમારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ જોઈને મને દુખ થયું છે. આપણી ભારતીય સેના પ્રત્યે આપણે Ungrateful ના થઈ શકીએ. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સેનાનું અપમાન કરી રાષ્ટ્રભક્તની લાગણીને દુભાવી છે.   



બોલિવુડમાં જોવા મળ્યો બોયકોટ ટ્રેન્ડ

આ ટ્વિટનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમય બાદ રિયાની ફિલ્મ ફુકરે-3 આવી રહી છે. આ વિવાદને આ ફિલ્મને બોયકોટ કરવાની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને કારણે આકરી ટિકાઓ પણ થઈ રહી છે. ઘણીવાર બોલિવુડ કલાકારો એવા નિવેદનો આપતા રહે છે જેને કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ જાય છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી