રિચા ચઢ્ઢાની ટ્વિટને લઈ વકર્યો વિવાદ


  • Published By :
  • Published Date : 2022-11-26 15:19:28

બોલિવુડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાને લઈ એક ટ્વિટ કરી હતી જેને કારણે તેઓ ફરી વખત વિવાદમાં ઘેરાઈ ગયા છે. રિચા ચઢ્ઢાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફેટન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના પીઓકેની  ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછી લાવવાનો વાત કરી હતી. આ બાદ વિવાદ વકર્યો છે.

Image

અભિનેતાઓ આપી રહ્યા છે પ્રતિક્રિયા 

આ ટ્વિટ પર અનેક અભિનેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અક્ષય કુમારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે પરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પરેશ રાવેલે કહ્યું કે ઈન્ડિયન આર્મી છે તો અમે છીએ. અક્ષયકુમારે પ્રતિક્રિયા આપતા લખ્યું કે આ જોઈને મને દુખ થયું છે. આપણી ભારતીય સેના પ્રત્યે આપણે Ungrateful ના થઈ શકીએ. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સેનાનું અપમાન કરી રાષ્ટ્રભક્તની લાગણીને દુભાવી છે.   



બોલિવુડમાં જોવા મળ્યો બોયકોટ ટ્રેન્ડ

આ ટ્વિટનો વિવાદ પ્રતિદિન વધી રહ્યો છે. થોડા સમય બાદ રિયાની ફિલ્મ ફુકરે-3 આવી રહી છે. આ વિવાદને આ ફિલ્મને બોયકોટ કરવાની માગ ઉઠી રહી છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનને કારણે આકરી ટિકાઓ પણ થઈ રહી છે. ઘણીવાર બોલિવુડ કલાકારો એવા નિવેદનો આપતા રહે છે જેને કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ જાય છે. ફરી એક વખત બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.       




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.