ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઠંડી સેન્ડવિચ પીરસવા મુદ્દે ગરમ બબાલ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:56:08

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી.
પ્રેક્ટિસ બાદ અપાયેલી ઠંડી સેન્ડવિચ ભારતીય ટીમે ના ખાધી.
વિરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયાની હોસ્પિટાલિટી પર ટોણો માર્યો.


ભારતીય ટીમ સાથે જે વર્તણૂક થઈ છે તેના કારણે વિરેન્દ્ર સેહવાગ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. પોતાની વાત કોઈ શરમ-સંકોચ વગર કહી દેનારા સેહવાગે ભારતીય ટીમને જે ખાવાનું પીરસવામાં આવ્યું તેના પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને સંભળાવી દીધું છે. ભારતીય ટીમને હોટલથી 42 કિલોમીટર દૂર પ્રેક્ટિસ સેશન આપવામાં આવ્યું છે.


સિડનીમાં ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવી ઠંડી સેન્ડવિચ, કાકડી-ટામેટા પર વિવાદ ગરમાતો દેખાઈ રહ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને મુલ્તાનના સુલ્તાન કહેવાતા વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયા પર વાર કર્યો છે. સેહવાગે 4 લાઈનમાં જ ઓસ્ટ્રેલિયાના ચારે ખાના ચિત કરી નાખ્યા છે. સેહવાગે કરેલા ટ્વિટને લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો હોસ્પિટાલિટી પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ખરુ-ખોટું સંભળાવી રહ્યા છે.

virender sehwag, T20 World Cup: ભારતીય ખેલાડીઓને ઠંડી સેન્ડવિચ આપવાના  મુદ્દે ગરમ બબાલ, સેહવાગ ઓસ્ટ્રેલિયા પર ભડક્યા - virender sehwag on sandwich  which served to india cricket team ...

સેહવાગે પોતાના ટ્વિટમાં યુરોપિયન દેશો પર હુમલો કરીને લખ્યું છે. સેહવાગ કહે છે કે, "એ દિવસો પૂર્ણ થઈ ગયા કે જેના વિશે કોઈ વિચારતું હતું કે પશ્ચિમના દેશો સારું અતિથ્ય પ્રદાન કરે છે. જ્યારે જ્યારે હોસ્પિટાલિટીની વાત આવે છે તો ભારત મોટાભાગે પશ્ચિમના દેશોથી ઘણું આગળ છે." જેના પર લોકોએ આઈસીસી અને ઓસ્ટ્રેલિયા બન્નેને કોસી રહ્યા છે. આ સંપૂર્ણ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રેક્ટિસ સેશન પછી ખાવામાં ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી હતી.

Served cold sandwiches and falafel after training session, Indian  cricketers opt to eat at hotel

ભારતીય ટીમ તરફથી પ્રેક્ટિસ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિત મહત્વના પ્લેયર્સ ગયા હતા, તેમને નાસ્તો પરત કરી દીધો હતો. બધાએ પાછા ફરીને હોટલમાં ખાવાનું ખાવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે બ્લિકવૂડ આપવામાં આવ્યું છે, જે હોટલથી 42 કિલોમીટર દૂર આવેલું છે. આ કારણે ટીમ ઈન્ડિયાએ એક જ દિવસ પ્રેક્ટિસ કરવાનો નિર્ણય કર્યો છે.


રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમે રવિવારે પાકિસ્તાનને રોમાંચક રીતે 4 વિકેટથી હરાવ્યા બાદ સિડની પહોંચી છે. SCGમાં તેની આગામી મેચ નેધરલેન્ડ સામે રમાવાની છે. આ મેચ પછી ભારતનું સેમિફાઈનલમાં પહોંચવાનું લગભગ પાક્કું થઈ જશે. આ પછી ભારતે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રીકા સામે મેચ રમવાની છે. મહત્વનું છે કે, આ શિડ્યુલ વચ્ચે સેન્ડવિચના કારણે મોટો હોબાળો થઈ શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.