ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઠંડી સેન્ડવિચ પીરસવા મુદ્દે ગરમ બબાલ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:56:08

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી.
પ્રેક્ટિસ બાદ અપાયેલી ઠંડી સેન્ડવિચ ભારતીય ટીમે ના ખાધી.
વિરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયાની હોસ્પિટાલિટી પર ટોણો માર્યો.


ભારતીય ટીમ સાથે જે વર્તણૂક થઈ છે તેના કારણે વિરેન્દ્ર સેહવાગ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. પોતાની વાત કોઈ શરમ-સંકોચ વગર કહી દેનારા સેહવાગે ભારતીય ટીમને જે ખાવાનું પીરસવામાં આવ્યું તેના પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને સંભળાવી દીધું છે. ભારતીય ટીમને હોટલથી 42 કિલોમીટર દૂર પ્રેક્ટિસ સેશન આપવામાં આવ્યું છે.


સિડનીમાં ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવી ઠંડી સેન્ડવિચ, કાકડી-ટામેટા પર વિવાદ ગરમાતો દેખાઈ રહ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને મુલ્તાનના સુલ્તાન કહેવાતા વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયા પર વાર કર્યો છે. સેહવાગે 4 લાઈનમાં જ ઓસ્ટ્રેલિયાના ચારે ખાના ચિત કરી નાખ્યા છે. સેહવાગે કરેલા ટ્વિટને લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો હોસ્પિટાલિટી પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ખરુ-ખોટું સંભળાવી રહ્યા છે.

virender sehwag, T20 World Cup: ભારતીય ખેલાડીઓને ઠંડી સેન્ડવિચ આપવાના  મુદ્દે ગરમ બબાલ, સેહવાગ ઓસ્ટ્રેલિયા પર ભડક્યા - virender sehwag on sandwich  which served to india cricket team ...

સેહવાગે પોતાના ટ્વિટમાં યુરોપિયન દેશો પર હુમલો કરીને લખ્યું છે. સેહવાગ કહે છે કે, "એ દિવસો પૂર્ણ થઈ ગયા કે જેના વિશે કોઈ વિચારતું હતું કે પશ્ચિમના દેશો સારું અતિથ્ય પ્રદાન કરે છે. જ્યારે જ્યારે હોસ્પિટાલિટીની વાત આવે છે તો ભારત મોટાભાગે પશ્ચિમના દેશોથી ઘણું આગળ છે." જેના પર લોકોએ આઈસીસી અને ઓસ્ટ્રેલિયા બન્નેને કોસી રહ્યા છે. આ સંપૂર્ણ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રેક્ટિસ સેશન પછી ખાવામાં ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી હતી.

Served cold sandwiches and falafel after training session, Indian  cricketers opt to eat at hotel

ભારતીય ટીમ તરફથી પ્રેક્ટિસ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિત મહત્વના પ્લેયર્સ ગયા હતા, તેમને નાસ્તો પરત કરી દીધો હતો. બધાએ પાછા ફરીને હોટલમાં ખાવાનું ખાવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે બ્લિકવૂડ આપવામાં આવ્યું છે, જે હોટલથી 42 કિલોમીટર દૂર આવેલું છે. આ કારણે ટીમ ઈન્ડિયાએ એક જ દિવસ પ્રેક્ટિસ કરવાનો નિર્ણય કર્યો છે.


રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમે રવિવારે પાકિસ્તાનને રોમાંચક રીતે 4 વિકેટથી હરાવ્યા બાદ સિડની પહોંચી છે. SCGમાં તેની આગામી મેચ નેધરલેન્ડ સામે રમાવાની છે. આ મેચ પછી ભારતનું સેમિફાઈનલમાં પહોંચવાનું લગભગ પાક્કું થઈ જશે. આ પછી ભારતે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રીકા સામે મેચ રમવાની છે. મહત્વનું છે કે, આ શિડ્યુલ વચ્ચે સેન્ડવિચના કારણે મોટો હોબાળો થઈ શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.