બેશરમ સોન્ગને લઈ વિવાદ વકર્યો, સેન્સર બોર્ડે મેકર્સ પાસેથી રિવાઇઝ્ડ કૉપી મંગાવી


  • Published By :
  • Published Date : 2022-12-29 18:21:30

પઠાણ ફિલ્મનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદમાં રહ્યું છે. સોન્ગમાં દિપીકાએ પહેરેલા ભગવા કલરને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતનો વિરોધ થયો હતો. આ વાતનો વિવાદ એટલી હદે વધી ગયો કે સેંસર બોર્ડે ફિલ્મમાં આવતા અનેક દ્રશ્યોને હટાવવાની અપીલ કરી છે. ઉપરાંત સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એક કોપી જમા કરાવાની કહી છે.

 

ફિલ્મમાં ફેરફાર કરવા સેન્સર બોર્ડનો આદેશ 

બેશરમ રંગ સોન્ગમાં દિપીકા પાદુકોણનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મનું આ પહેલુ સોન્ગ રિલીઝ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બેશરમ સોન્ગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સોન્ગનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો છે. સેન્સર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સૂચના આપી છે. 


અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ અને જગ્યાઓ પર કરવામાં આવ્યો છે. અનેક સંતોએ આ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે આમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. જેને કારણે વિવાદ ફરી શરૂ થયો હતો. અનેક સ્થળો પર પોસ્ટરો પણ બાળી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ફિલ્મને ન રિલીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના મેકર્સને ફેરફાર કરવા પડશે અને ફેરફાર કરાયેલી ફિલ્મને સબમિટ કરાવી પડશે.         



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.