બેશરમ સોન્ગને લઈ વિવાદ વકર્યો, સેન્સર બોર્ડે મેકર્સ પાસેથી રિવાઇઝ્ડ કૉપી મંગાવી


  • Published By :
  • Published Date : 2022-12-29 18:21:30

પઠાણ ફિલ્મનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદમાં રહ્યું છે. સોન્ગમાં દિપીકાએ પહેરેલા ભગવા કલરને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતનો વિરોધ થયો હતો. આ વાતનો વિવાદ એટલી હદે વધી ગયો કે સેંસર બોર્ડે ફિલ્મમાં આવતા અનેક દ્રશ્યોને હટાવવાની અપીલ કરી છે. ઉપરાંત સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એક કોપી જમા કરાવાની કહી છે.

 

ફિલ્મમાં ફેરફાર કરવા સેન્સર બોર્ડનો આદેશ 

બેશરમ રંગ સોન્ગમાં દિપીકા પાદુકોણનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મનું આ પહેલુ સોન્ગ રિલીઝ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બેશરમ સોન્ગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સોન્ગનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો છે. સેન્સર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સૂચના આપી છે. 


અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ અને જગ્યાઓ પર કરવામાં આવ્યો છે. અનેક સંતોએ આ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે આમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. જેને કારણે વિવાદ ફરી શરૂ થયો હતો. અનેક સ્થળો પર પોસ્ટરો પણ બાળી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ફિલ્મને ન રિલીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના મેકર્સને ફેરફાર કરવા પડશે અને ફેરફાર કરાયેલી ફિલ્મને સબમિટ કરાવી પડશે.         



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.