બેશરમ સોન્ગને લઈ વિવાદ વકર્યો, સેન્સર બોર્ડે મેકર્સ પાસેથી રિવાઇઝ્ડ કૉપી મંગાવી


  • Published By :
  • Published Date : 2022-12-29 18:21:30

પઠાણ ફિલ્મનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદમાં રહ્યું છે. સોન્ગમાં દિપીકાએ પહેરેલા ભગવા કલરને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતનો વિરોધ થયો હતો. આ વાતનો વિવાદ એટલી હદે વધી ગયો કે સેંસર બોર્ડે ફિલ્મમાં આવતા અનેક દ્રશ્યોને હટાવવાની અપીલ કરી છે. ઉપરાંત સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એક કોપી જમા કરાવાની કહી છે.

 

ફિલ્મમાં ફેરફાર કરવા સેન્સર બોર્ડનો આદેશ 

બેશરમ રંગ સોન્ગમાં દિપીકા પાદુકોણનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મનું આ પહેલુ સોન્ગ રિલીઝ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બેશરમ સોન્ગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સોન્ગનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો છે. સેન્સર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સૂચના આપી છે. 


અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ અને જગ્યાઓ પર કરવામાં આવ્યો છે. અનેક સંતોએ આ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે આમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. જેને કારણે વિવાદ ફરી શરૂ થયો હતો. અનેક સ્થળો પર પોસ્ટરો પણ બાળી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ફિલ્મને ન રિલીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના મેકર્સને ફેરફાર કરવા પડશે અને ફેરફાર કરાયેલી ફિલ્મને સબમિટ કરાવી પડશે.         



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.