બેશરમ સોન્ગને લઈ વિવાદ વકર્યો, સેન્સર બોર્ડે મેકર્સ પાસેથી રિવાઇઝ્ડ કૉપી મંગાવી


  • Published By :
  • Published Date : 2022-12-29 18:21:30

પઠાણ ફિલ્મનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદમાં રહ્યું છે. સોન્ગમાં દિપીકાએ પહેરેલા ભગવા કલરને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતનો વિરોધ થયો હતો. આ વાતનો વિવાદ એટલી હદે વધી ગયો કે સેંસર બોર્ડે ફિલ્મમાં આવતા અનેક દ્રશ્યોને હટાવવાની અપીલ કરી છે. ઉપરાંત સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એક કોપી જમા કરાવાની કહી છે.

 

ફિલ્મમાં ફેરફાર કરવા સેન્સર બોર્ડનો આદેશ 

બેશરમ રંગ સોન્ગમાં દિપીકા પાદુકોણનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મનું આ પહેલુ સોન્ગ રિલીઝ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બેશરમ સોન્ગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સોન્ગનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો છે. સેન્સર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સૂચના આપી છે. 


અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો વિરોધ

પઠાણ ફિલ્મનો વિરોધ અને જગ્યાઓ પર કરવામાં આવ્યો છે. અનેક સંતોએ આ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે આમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. જેને કારણે વિવાદ ફરી શરૂ થયો હતો. અનેક સ્થળો પર પોસ્ટરો પણ બાળી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ફિલ્મને ન રિલીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના મેકર્સને ફેરફાર કરવા પડશે અને ફેરફાર કરાયેલી ફિલ્મને સબમિટ કરાવી પડશે.         



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી