Corona BF.7 Variant: ચીનવાળો વેરિયન્ટ ભારત પહોંચ્યો, બુસ્ટર ડોઝની માગ વધી


  • Published By :
  • Published Date : 2022-12-22 14:16:40

ચીનમાં કોરોના સંક્રમણે કહેર મચાવ્યો છે, ભારતમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. દેશમાં ચીનથી આવેલો Corona BF.7 Variantના કેસ નોંધાયા છે. આ જ કારણે દેશમાં કોરોના સંક્રમણ વધવાની આશંકા છે. હવે દેશમાં કોરોના રસી લીધી હોય તેમણે પણ બુસ્ટર ડોઝ લેવા જોઈએ તેની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.


બુસ્ટર ડોઝ શા માટે?


દુનિયાભરના નિષ્ણાતોના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ લેવાની હિમાયત કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તી BF.7 Variantથી સંક્રમિત માણસના સંપર્કમાં આવી જાય તો પણ બુસ્ટર ડોઝ લીધેલી વ્યક્તિ સંક્રમિત થતાં બચી જશે. જો કે ભારતમાં હાલ માત્ર 27થી 28 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 


દેશના 5 રાજ્યોમાં સંક્રમણ વધ્યું


ભારતમાં ચીનથી આવેલા BF.7 Variantથી કોરોના સંક્રમણ વધ્યું છે. આ ખતરનાક વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુંમાં સૌથી વધુ છે. ચીનનો પ્રવાસ કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી આ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 


આ દેશોમાં ચિંતા વધી


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝીલમાં કોવિડ કેસ વધ્યા છે. બ્રિટેન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક જેવા યુરોપના દેશોમાં પણ કેટલાક દર્દીઓ મળ્યા છે. આ જ કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ તમામ રાજ્ય સરકારોને પત્ર લખી જિનોમ સિક્વેન્સિંગ પર ભાર આપવાનો અનુરોધ કર્યો છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.