Corona BF.7 Variant: ચીનવાળો વેરિયન્ટ ભારત પહોંચ્યો, બુસ્ટર ડોઝની માગ વધી


  • Published By :
  • Published Date : 2022-12-22 14:16:40

ચીનમાં કોરોના સંક્રમણે કહેર મચાવ્યો છે, ભારતમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. દેશમાં ચીનથી આવેલો Corona BF.7 Variantના કેસ નોંધાયા છે. આ જ કારણે દેશમાં કોરોના સંક્રમણ વધવાની આશંકા છે. હવે દેશમાં કોરોના રસી લીધી હોય તેમણે પણ બુસ્ટર ડોઝ લેવા જોઈએ તેની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.


બુસ્ટર ડોઝ શા માટે?


દુનિયાભરના નિષ્ણાતોના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ લેવાની હિમાયત કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તી BF.7 Variantથી સંક્રમિત માણસના સંપર્કમાં આવી જાય તો પણ બુસ્ટર ડોઝ લીધેલી વ્યક્તિ સંક્રમિત થતાં બચી જશે. જો કે ભારતમાં હાલ માત્ર 27થી 28 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 


દેશના 5 રાજ્યોમાં સંક્રમણ વધ્યું


ભારતમાં ચીનથી આવેલા BF.7 Variantથી કોરોના સંક્રમણ વધ્યું છે. આ ખતરનાક વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુંમાં સૌથી વધુ છે. ચીનનો પ્રવાસ કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી આ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 


આ દેશોમાં ચિંતા વધી


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝીલમાં કોવિડ કેસ વધ્યા છે. બ્રિટેન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક જેવા યુરોપના દેશોમાં પણ કેટલાક દર્દીઓ મળ્યા છે. આ જ કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ તમામ રાજ્ય સરકારોને પત્ર લખી જિનોમ સિક્વેન્સિંગ પર ભાર આપવાનો અનુરોધ કર્યો છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.