Corona BF.7 Variant: ચીનવાળો વેરિયન્ટ ભારત પહોંચ્યો, બુસ્ટર ડોઝની માગ વધી


  • Published By :
  • Published Date : 2022-12-22 14:16:40

ચીનમાં કોરોના સંક્રમણે કહેર મચાવ્યો છે, ભારતમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. દેશમાં ચીનથી આવેલો Corona BF.7 Variantના કેસ નોંધાયા છે. આ જ કારણે દેશમાં કોરોના સંક્રમણ વધવાની આશંકા છે. હવે દેશમાં કોરોના રસી લીધી હોય તેમણે પણ બુસ્ટર ડોઝ લેવા જોઈએ તેની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.


બુસ્ટર ડોઝ શા માટે?


દુનિયાભરના નિષ્ણાતોના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ લેવાની હિમાયત કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તી BF.7 Variantથી સંક્રમિત માણસના સંપર્કમાં આવી જાય તો પણ બુસ્ટર ડોઝ લીધેલી વ્યક્તિ સંક્રમિત થતાં બચી જશે. જો કે ભારતમાં હાલ માત્ર 27થી 28 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 


દેશના 5 રાજ્યોમાં સંક્રમણ વધ્યું


ભારતમાં ચીનથી આવેલા BF.7 Variantથી કોરોના સંક્રમણ વધ્યું છે. આ ખતરનાક વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુંમાં સૌથી વધુ છે. ચીનનો પ્રવાસ કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી આ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 


આ દેશોમાં ચિંતા વધી


ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝીલમાં કોવિડ કેસ વધ્યા છે. બ્રિટેન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક જેવા યુરોપના દેશોમાં પણ કેટલાક દર્દીઓ મળ્યા છે. આ જ કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ તમામ રાજ્ય સરકારોને પત્ર લખી જિનોમ સિક્વેન્સિંગ પર ભાર આપવાનો અનુરોધ કર્યો છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.