ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વધારી ટેસ્ટિંગની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 09:53:29

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોનાને કારણે ચીનની પરિસ્થિતિ વણસી ગઈ છે. કોરોનાને કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જેને કારણે સ્મશાનગૃહ લાશોથી ભરાઈ ગયું છે. પરંતુ ચીન સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચીનમાં આવવાની અનૂમતિ આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાના નિર્ણયને પણ હટાવી દીધો છે. ત્યારે અમેરિકા, ઈટલી, જાપાન, ભારત જેવા દેશોએ વધતા કોરોના સંક્રમણને લઈને નિયમો કડક કરી દીધા છે. 


કોરોનાના નિયમોમાં ચીને ફેરફાર કરતા વધી દેશોની ચિંતા 

કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોને કારણે પરિસ્થિતિ એકદમ વિકટ બની રહી છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની હોય તેવું લાગી રહ્યું છે. દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. લોકો મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે અનેક પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી ગઈ છે. 


કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તેને જ આપવામાં આવશે પ્રવેશ 

ચીન સરકારે વિદેશથી આવતા લોકોને ચીનમાં આવવાની પરવાનગી આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાની પણ જરૂર નથી તેવા નિયમો બહાર પાડ્યા છે. તો બીજી તરફ અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોએ પોતાના નિયમો કડક કરી દીધા છે. પોતાના દેશમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. અમેરિકા, ઈટલીમાં ચીનથી આવતા એવો લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોય. ચીનથી આવતા તમામ યાત્રિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.  ભારત સરકારે પણ વધતા કોરોના કેસને લઈ નિયંત્રણો લાદી દીધા છે.     




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.