ચીનમાં કોરોના કેસ વધતા વિશ્વના અનેક દેશોએ વધારી ટેસ્ટિંગની સંખ્યા


  • Published By :
  • Published Date : 2022-12-29 09:53:29

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોનાને કારણે ચીનની પરિસ્થિતિ વણસી ગઈ છે. કોરોનાને કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જેને કારણે સ્મશાનગૃહ લાશોથી ભરાઈ ગયું છે. પરંતુ ચીન સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચીનમાં આવવાની અનૂમતિ આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાના નિર્ણયને પણ હટાવી દીધો છે. ત્યારે અમેરિકા, ઈટલી, જાપાન, ભારત જેવા દેશોએ વધતા કોરોના સંક્રમણને લઈને નિયમો કડક કરી દીધા છે. 


કોરોનાના નિયમોમાં ચીને ફેરફાર કરતા વધી દેશોની ચિંતા 

કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોને કારણે પરિસ્થિતિ એકદમ વિકટ બની રહી છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની હોય તેવું લાગી રહ્યું છે. દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. લોકો મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે અનેક પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી ગઈ છે. 


કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તેને જ આપવામાં આવશે પ્રવેશ 

ચીન સરકારે વિદેશથી આવતા લોકોને ચીનમાં આવવાની પરવાનગી આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાની પણ જરૂર નથી તેવા નિયમો બહાર પાડ્યા છે. તો બીજી તરફ અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોએ પોતાના નિયમો કડક કરી દીધા છે. પોતાના દેશમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. અમેરિકા, ઈટલીમાં ચીનથી આવતા એવો લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોય. ચીનથી આવતા તમામ યાત્રિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.  ભારત સરકારે પણ વધતા કોરોના કેસને લઈ નિયંત્રણો લાદી દીધા છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.