કોરોનાના સંભવિત ખતરાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યો માટે જાહેર કરી ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 12:39:50

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં Omicron ના સબ-વેરિઅન્ટ BF.7 (Omicron BF.7)થી સંક્રમણના વધતા કેસ બાદ ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે. કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સંપુર્ણ ગાઈડલાઈન્સ આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શ્વસન રોગોની દેખરેખ માટે હોસ્પિટલ-આધારિત સિસ્ટમને મજબૂત કરવા કહ્યું છે જેથી દેશમાં ગમે ત્યાંથી કેસ વધવાના સંકેતો ઝડપથી મળી શકે.


કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ શું છે?


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠકમાં વિનંતી કરી હતી કે તેઓ પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરે જેથી INSACOG નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય જેથી નવા પ્રકારોની સમયસર શોધ થઈ શકે. INSACOG નિયમિતપણે કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યું છે. તે ઉપરાંત કોરોના વ્યવસ્થાપન અને રસીકરણની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં 23 ડિસેમ્બરે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધા આધારિત સિસ્ટમની સાથે શ્વસન વાયરસ સંબંધિત દેખરેખ પર પણ ધ્યાન આપવું જોઈએ. વિવિધ રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂકવો જોઈએ કારણ કે લોકો પણ તેમના મળ દ્વારા વાયરસ ફેલાવી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19 અથવા શ્વસન સંબંધી રોગોથી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવામાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે, તેથી તમામ હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ અને જો કોઈ હોય તો અસામાન્ય પેટર્ન પણ ઓળખવા જોઈએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.