કોરોનાના સંભવિત ખતરાને લઈ કેન્દ્ર સરકાર એક્શનમાં, રાજ્યો માટે જાહેર કરી ગાઈડલાઈન્સ


  • Published By :
  • Published Date : 2022-12-26 12:39:50

ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં Omicron ના સબ-વેરિઅન્ટ BF.7 (Omicron BF.7)થી સંક્રમણના વધતા કેસ બાદ ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે. કોવિડ-19ને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સંપુર્ણ ગાઈડલાઈન્સ આપી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને શ્વસન રોગોની દેખરેખ માટે હોસ્પિટલ-આધારિત સિસ્ટમને મજબૂત કરવા કહ્યું છે જેથી દેશમાં ગમે ત્યાંથી કેસ વધવાના સંકેતો ઝડપથી મળી શકે.


કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ શું છે?


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠકમાં વિનંતી કરી હતી કે તેઓ પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરે જેથી INSACOG નેટવર્ક દ્વારા વેરિઅન્ટને ટ્રેક કરી શકાય જેથી નવા પ્રકારોની સમયસર શોધ થઈ શકે. INSACOG નિયમિતપણે કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરી રહ્યું છે. તે ઉપરાંત કોરોના વ્યવસ્થાપન અને રસીકરણની પ્રગતિ અંગેની સમીક્ષા બેઠકમાં 23 ડિસેમ્બરે કહ્યું હતું કે સ્વાસ્થ્ય સુવિધા આધારિત સિસ્ટમની સાથે શ્વસન વાયરસ સંબંધિત દેખરેખ પર પણ ધ્યાન આપવું જોઈએ. વિવિધ રાજ્યોમાં ગટર અને ગંદા પાણીની દેખરેખ પર પણ ભાર મૂકવો જોઈએ કારણ કે લોકો પણ તેમના મળ દ્વારા વાયરસ ફેલાવી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં કોવિડ-19 અથવા શ્વસન સંબંધી રોગોથી સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવામાં અચાનક વધારો થાય છે, તો તે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે, તેથી તમામ હોસ્પિટલોએ નજીકથી નજર રાખવી જોઈએ અને જો કોઈ હોય તો અસામાન્ય પેટર્ન પણ ઓળખવા જોઈએ.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.