ચીનમાં કોરોના બન્યો બેકાબૂ, સારવાર માટે હોસ્પિટલ બહાર લાગી દર્દીઓની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-20 15:11:01

કોરોના સંક્રમણ ચીનમાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. પ્રતિબંધો હટાવવાને કારણે ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે ચીનમાં હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલી હદે વધારો થયો છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ શકે છે. 


ડોક્ટર તેમજ નર્સની વર્તાઈ રહી છે કમી 

કોરોના સંક્રમણને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ લોકોએ કર્યો હતો જેને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જેને કારણે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે. ઈલાજ કરાવા લોકો તડપી રહ્યા છે. એકાએક કોરોનાના આટલા બધા કેસ વધતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઉપરાંત ડોક્ટર તેમજ નર્સની પણ કમી દેખાઈ રહી છે. અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહમાં પડાપડી થઈ રહી છે.  


દર્દી વધતા ઓક્સિજન તેમજ બેડની સર્જાઈ અછત

ચીનમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા વિશ્વના દેશોની ચિંતા વધી છે. નિષ્ણાંતોના માનવા અનુસાર જો આવી જ રીતે કોરોના કેસમાં ઉછાળો આવતો રહ્યો તો ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે. એક અનુમાન પ્રમાણે આવનાર 3 મહિનાની અંદર 80 કરોડ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ જશે. દવા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. પૂરતા પ્રમાણમાં બેડ ન હોવાને કારણે જમીન પર જ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.