ચીનમાં કોરોના બન્યો બેકાબૂ, સારવાર માટે હોસ્પિટલ બહાર લાગી દર્દીઓની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-20 15:11:01

કોરોના સંક્રમણ ચીનમાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. પ્રતિબંધો હટાવવાને કારણે ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે ચીનમાં હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલી હદે વધારો થયો છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ શકે છે. 


ડોક્ટર તેમજ નર્સની વર્તાઈ રહી છે કમી 

કોરોના સંક્રમણને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ લોકોએ કર્યો હતો જેને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જેને કારણે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે. ઈલાજ કરાવા લોકો તડપી રહ્યા છે. એકાએક કોરોનાના આટલા બધા કેસ વધતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઉપરાંત ડોક્ટર તેમજ નર્સની પણ કમી દેખાઈ રહી છે. અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહમાં પડાપડી થઈ રહી છે.  


દર્દી વધતા ઓક્સિજન તેમજ બેડની સર્જાઈ અછત

ચીનમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા વિશ્વના દેશોની ચિંતા વધી છે. નિષ્ણાંતોના માનવા અનુસાર જો આવી જ રીતે કોરોના કેસમાં ઉછાળો આવતો રહ્યો તો ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે. એક અનુમાન પ્રમાણે આવનાર 3 મહિનાની અંદર 80 કરોડ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ જશે. દવા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. પૂરતા પ્રમાણમાં બેડ ન હોવાને કારણે જમીન પર જ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે.      




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .