ચીનમાં કોરોના બન્યો બેકાબૂ, સારવાર માટે હોસ્પિટલ બહાર લાગી દર્દીઓની લાઈન


  • Published By :
  • Published Date : 2022-12-20 15:11:01

કોરોના સંક્રમણ ચીનમાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. પ્રતિબંધો હટાવવાને કારણે ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે ચીનમાં હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલી હદે વધારો થયો છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ શકે છે. 


ડોક્ટર તેમજ નર્સની વર્તાઈ રહી છે કમી 

કોરોના સંક્રમણને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ લોકોએ કર્યો હતો જેને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જેને કારણે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે. ઈલાજ કરાવા લોકો તડપી રહ્યા છે. એકાએક કોરોનાના આટલા બધા કેસ વધતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઉપરાંત ડોક્ટર તેમજ નર્સની પણ કમી દેખાઈ રહી છે. અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહમાં પડાપડી થઈ રહી છે.  


દર્દી વધતા ઓક્સિજન તેમજ બેડની સર્જાઈ અછત

ચીનમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા વિશ્વના દેશોની ચિંતા વધી છે. નિષ્ણાંતોના માનવા અનુસાર જો આવી જ રીતે કોરોના કેસમાં ઉછાળો આવતો રહ્યો તો ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે. એક અનુમાન પ્રમાણે આવનાર 3 મહિનાની અંદર 80 કરોડ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ જશે. દવા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. પૂરતા પ્રમાણમાં બેડ ન હોવાને કારણે જમીન પર જ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે.      




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .