કોરોનાનો FLiRT વેરિઅન્ટ કોરોના કરતા વધારે ખતરનાક? જાણો શું છે નવા વેરિઅન્ટના લક્ષણો, શું છે નિષ્ણાતોનો મત?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:46:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો.. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો.! 

વિશ્વભરમાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ , યુનાઈટેડ કિંગડમ , દક્ષિણ કોરિયામાં કોવિડનો નવો વેરિઅન્ટ કેપી.૨ જેનું હુલામણું નામ ફ્લર્ટ છે તે મળી આવ્યો છે. કોવિડનો આ વેરિઅન્ટ ભારતમાં પણ ડિટેક્ટ થયો છે જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.. આ નવા વેરિયન્ટના લક્ષ્ણોની વાત કરીએ તો આના લક્ષ્ણો આગળના વેરિયન્ટ ઓમિક્રોન જેવા જ છે... જેમ કે તે ઉપરના ગળા સુધીના શ્વસન તંત્રને અસર કરે છે . આ ફ્લર્ટથી ગળામાં ખરાશ,તાવ,કફ , નાકમાંથી સતત પાણી ટપક્યા કરવું , માથું દુખવું, થાક લાગવો, સ્વાદ તેમજ  સુગંધ જતા રહેવા. સાથે જ પેટમાં પણ તકલીફ જોવા મળે છે...


નિષ્ણાતો શું કહે છે આ વેરિઅન્ટને લઈ? 

મહત્વનું છે આ જે આરોગ્ય નિષ્ણાતો આ વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યા છે તેમના મત અનુસાર આ વેરિયન્ટથી ચિંતાનો વિષય નથી.. ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને preventionએ પણ કહ્યું છે કે  કેપી. ૨થી કોઈ પણ પ્રકારના મોટા નુકશાનની સંભાવનાઓ ઓછી છે. નુકશાનની સંભાવનાઓ ઓછી છે પરંતુ સાથે સાથે  સાવચેતી રાખવી પણ જરૂરી છે.. વૃદ્ધ લોકોને આ વેરિયન્ટથી વધારે સાચવવાની જરૂર છે.. કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે... 

  

શું લેવા જોઈએ સાવચેતીના પગલા? 

આ વેરિઅન્ટથી બચવાના ઉપાયની વાત કરીએ તો આ વખતે પણ એ જ પ્રિકોશન રાખવાના છે જે આપણે કોરોના સમયે રાખતા હતા... સોશ્યિલ distance રાખવું , માસ્ક પહેરવા જોઈએ ,સાથે જ એવી જગ્યાઓએ વધારે રહેવું જોઈએ જ્યાં હવાની અવર જવર વધારે હોય . એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે FLIRT વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ ખુબ જ ઝડપી છે.  તે ઇન્ફેકશનની એક વેવ પણ ઉભી કરી શકે છે... 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?