કોરોનાનો FLiRT વેરિઅન્ટ કોરોના કરતા વધારે ખતરનાક? જાણો શું છે નવા વેરિઅન્ટના લક્ષણો, શું છે નિષ્ણાતોનો મત?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:46:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો.. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો.! 

વિશ્વભરમાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ , યુનાઈટેડ કિંગડમ , દક્ષિણ કોરિયામાં કોવિડનો નવો વેરિઅન્ટ કેપી.૨ જેનું હુલામણું નામ ફ્લર્ટ છે તે મળી આવ્યો છે. કોવિડનો આ વેરિઅન્ટ ભારતમાં પણ ડિટેક્ટ થયો છે જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.. આ નવા વેરિયન્ટના લક્ષ્ણોની વાત કરીએ તો આના લક્ષ્ણો આગળના વેરિયન્ટ ઓમિક્રોન જેવા જ છે... જેમ કે તે ઉપરના ગળા સુધીના શ્વસન તંત્રને અસર કરે છે . આ ફ્લર્ટથી ગળામાં ખરાશ,તાવ,કફ , નાકમાંથી સતત પાણી ટપક્યા કરવું , માથું દુખવું, થાક લાગવો, સ્વાદ તેમજ  સુગંધ જતા રહેવા. સાથે જ પેટમાં પણ તકલીફ જોવા મળે છે...


નિષ્ણાતો શું કહે છે આ વેરિઅન્ટને લઈ? 

મહત્વનું છે આ જે આરોગ્ય નિષ્ણાતો આ વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યા છે તેમના મત અનુસાર આ વેરિયન્ટથી ચિંતાનો વિષય નથી.. ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને preventionએ પણ કહ્યું છે કે  કેપી. ૨થી કોઈ પણ પ્રકારના મોટા નુકશાનની સંભાવનાઓ ઓછી છે. નુકશાનની સંભાવનાઓ ઓછી છે પરંતુ સાથે સાથે  સાવચેતી રાખવી પણ જરૂરી છે.. વૃદ્ધ લોકોને આ વેરિયન્ટથી વધારે સાચવવાની જરૂર છે.. કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે... 

  

શું લેવા જોઈએ સાવચેતીના પગલા? 

આ વેરિઅન્ટથી બચવાના ઉપાયની વાત કરીએ તો આ વખતે પણ એ જ પ્રિકોશન રાખવાના છે જે આપણે કોરોના સમયે રાખતા હતા... સોશ્યિલ distance રાખવું , માસ્ક પહેરવા જોઈએ ,સાથે જ એવી જગ્યાઓએ વધારે રહેવું જોઈએ જ્યાં હવાની અવર જવર વધારે હોય . એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે FLIRT વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ ખુબ જ ઝડપી છે.  તે ઇન્ફેકશનની એક વેવ પણ ઉભી કરી શકે છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.