કોરોનાનો FLiRT વેરિઅન્ટ કોરોના કરતા વધારે ખતરનાક? જાણો શું છે નવા વેરિઅન્ટના લક્ષણો, શું છે નિષ્ણાતોનો મત?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:46:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો.. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો.! 

વિશ્વભરમાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ , યુનાઈટેડ કિંગડમ , દક્ષિણ કોરિયામાં કોવિડનો નવો વેરિઅન્ટ કેપી.૨ જેનું હુલામણું નામ ફ્લર્ટ છે તે મળી આવ્યો છે. કોવિડનો આ વેરિઅન્ટ ભારતમાં પણ ડિટેક્ટ થયો છે જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.. આ નવા વેરિયન્ટના લક્ષ્ણોની વાત કરીએ તો આના લક્ષ્ણો આગળના વેરિયન્ટ ઓમિક્રોન જેવા જ છે... જેમ કે તે ઉપરના ગળા સુધીના શ્વસન તંત્રને અસર કરે છે . આ ફ્લર્ટથી ગળામાં ખરાશ,તાવ,કફ , નાકમાંથી સતત પાણી ટપક્યા કરવું , માથું દુખવું, થાક લાગવો, સ્વાદ તેમજ  સુગંધ જતા રહેવા. સાથે જ પેટમાં પણ તકલીફ જોવા મળે છે...


નિષ્ણાતો શું કહે છે આ વેરિઅન્ટને લઈ? 

મહત્વનું છે આ જે આરોગ્ય નિષ્ણાતો આ વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યા છે તેમના મત અનુસાર આ વેરિયન્ટથી ચિંતાનો વિષય નથી.. ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને preventionએ પણ કહ્યું છે કે  કેપી. ૨થી કોઈ પણ પ્રકારના મોટા નુકશાનની સંભાવનાઓ ઓછી છે. નુકશાનની સંભાવનાઓ ઓછી છે પરંતુ સાથે સાથે  સાવચેતી રાખવી પણ જરૂરી છે.. વૃદ્ધ લોકોને આ વેરિયન્ટથી વધારે સાચવવાની જરૂર છે.. કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે... 

  

શું લેવા જોઈએ સાવચેતીના પગલા? 

આ વેરિઅન્ટથી બચવાના ઉપાયની વાત કરીએ તો આ વખતે પણ એ જ પ્રિકોશન રાખવાના છે જે આપણે કોરોના સમયે રાખતા હતા... સોશ્યિલ distance રાખવું , માસ્ક પહેરવા જોઈએ ,સાથે જ એવી જગ્યાઓએ વધારે રહેવું જોઈએ જ્યાં હવાની અવર જવર વધારે હોય . એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે FLIRT વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ ખુબ જ ઝડપી છે.  તે ઇન્ફેકશનની એક વેવ પણ ઉભી કરી શકે છે... 



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.