કોરોનાનો FLiRT વેરિઅન્ટ કોરોના કરતા વધારે ખતરનાક? જાણો શું છે નવા વેરિઅન્ટના લક્ષણો, શું છે નિષ્ણાતોનો મત?


  • Published By :
  • Published Date : 2024-05-16 15:46:43

2019માં આવેલા કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો.. અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. કોરોનાનો સમય આપણે કેવી રીતે વિતાવ્યો છે તે કહેવાની જરૂર નથી.. કોરોના શબ્દ સાંભળતા જ એ લોકોને કંપારી છૂટી જતી હોય છે જે લોકોને કોરોના થયો હતો.. સમયાંતરે કોરોનાના અનેક નવા વેરિયન્ટ સામે આવ્યા જે એકદમ ભયંકર હતા.. ત્યારે કોરોનાનો એક નવો વેરિયન્ટ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે અને તે છે ફ્લર્ટ...

કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવ્યો.! 

વિશ્વભરમાં અને ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ , યુનાઈટેડ કિંગડમ , દક્ષિણ કોરિયામાં કોવિડનો નવો વેરિઅન્ટ કેપી.૨ જેનું હુલામણું નામ ફ્લર્ટ છે તે મળી આવ્યો છે. કોવિડનો આ વેરિઅન્ટ ભારતમાં પણ ડિટેક્ટ થયો છે જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.. આ નવા વેરિયન્ટના લક્ષ્ણોની વાત કરીએ તો આના લક્ષ્ણો આગળના વેરિયન્ટ ઓમિક્રોન જેવા જ છે... જેમ કે તે ઉપરના ગળા સુધીના શ્વસન તંત્રને અસર કરે છે . આ ફ્લર્ટથી ગળામાં ખરાશ,તાવ,કફ , નાકમાંથી સતત પાણી ટપક્યા કરવું , માથું દુખવું, થાક લાગવો, સ્વાદ તેમજ  સુગંધ જતા રહેવા. સાથે જ પેટમાં પણ તકલીફ જોવા મળે છે...


નિષ્ણાતો શું કહે છે આ વેરિઅન્ટને લઈ? 

મહત્વનું છે આ જે આરોગ્ય નિષ્ણાતો આ વેરિયન્ટ પર અભ્યાસ કરી રહ્યા છે તેમના મત અનુસાર આ વેરિયન્ટથી ચિંતાનો વિષય નથી.. ઉપરાંત અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને preventionએ પણ કહ્યું છે કે  કેપી. ૨થી કોઈ પણ પ્રકારના મોટા નુકશાનની સંભાવનાઓ ઓછી છે. નુકશાનની સંભાવનાઓ ઓછી છે પરંતુ સાથે સાથે  સાવચેતી રાખવી પણ જરૂરી છે.. વૃદ્ધ લોકોને આ વેરિયન્ટથી વધારે સાચવવાની જરૂર છે.. કારણ કે તેમની ઈમ્યુનિટી ઓછી હોય છે... 

  

શું લેવા જોઈએ સાવચેતીના પગલા? 

આ વેરિઅન્ટથી બચવાના ઉપાયની વાત કરીએ તો આ વખતે પણ એ જ પ્રિકોશન રાખવાના છે જે આપણે કોરોના સમયે રાખતા હતા... સોશ્યિલ distance રાખવું , માસ્ક પહેરવા જોઈએ ,સાથે જ એવી જગ્યાઓએ વધારે રહેવું જોઈએ જ્યાં હવાની અવર જવર વધારે હોય . એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે FLIRT વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ ખુબ જ ઝડપી છે.  તે ઇન્ફેકશનની એક વેવ પણ ઉભી કરી શકે છે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.