US હાર્ટ એસોસિયેશનનો દાવો, કોરોનાના કારણે હ્રદય રોગીઓ વધ્યા, મૃત્યુ દરમાં 4.6 ટકાની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-01-27 17:52:50

કોરોનાકાળ દરમિયાન હાહાકાર મચી ગયો હતો, દેશભરમાં લાખો લોકોના મોત થયા હતા. હવે આ મહામારીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રોગચાળા બાદ અમેરિકામાં હ્રદયરોગની સંખ્યામાં જોરદાર વૃધ્ધી થઈ છે. સ્ટડી અનુસાર કોરોના મહામારીના એક વર્ષ બાદ હાર્ટ એટેકથી મરનારાની સંખ્યામાં 6.2 ટકા જેટલી વૃધ્ધી થઈ છે. 


US હાર્ટ એશોસિયેશને કર્યો સ્ટડી 


અમેરિકાની પ્રખ્યાત હાર્ટ એસોસિયેશને હાર્ટ ડિસીસ એન્ડ સ્ટ્રોક સ્ટેટિક્સ 2023 નામથી એક સ્ટડી કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ (હૃદય રોગ) થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 9,28,741 છે, જ્યારે 2019 માં આ આંકડો 8,74,613 હતો. 2015 પછી આ સૌથી મોટો વધારો છે. આ પહેલા વર્ષ 2003માં અમેરિકામાં 9,10,000 લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા, ત્યારબાદ 2020માં સૌથી વધુ લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા. આ અભ્યાસ જર્નલ સરક્યુલેશનમાં પ્રકાશિત થયો છે.


મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી 


આ સ્ટડીમાં સામેલ હાવર્ડ મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર કોની ડબ્લૂ સોનું કહેવું છે કે હ્રદય રોગની બિમારીથી મરનારાઓનો આંકડો વધી રહ્યો છે. તે સાથે જ ઘણા વર્ષોમાં પહેલી વખત ઉંમર સંબંધી મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી આવી છે. સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીના કારણે  તમામ વયના લોકો પ્રભાવિત થયા છે. સ્ટડીમાં તે પણ દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લોકોના હ્રદય પર અસર કરી છે. હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ, બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન સહિતના તમામ કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનું કારણ કોરોના મહામારી માનવામાં આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.