US હાર્ટ એસોસિયેશનનો દાવો, કોરોનાના કારણે હ્રદય રોગીઓ વધ્યા, મૃત્યુ દરમાં 4.6 ટકાની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-01-27 17:52:50

કોરોનાકાળ દરમિયાન હાહાકાર મચી ગયો હતો, દેશભરમાં લાખો લોકોના મોત થયા હતા. હવે આ મહામારીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રોગચાળા બાદ અમેરિકામાં હ્રદયરોગની સંખ્યામાં જોરદાર વૃધ્ધી થઈ છે. સ્ટડી અનુસાર કોરોના મહામારીના એક વર્ષ બાદ હાર્ટ એટેકથી મરનારાની સંખ્યામાં 6.2 ટકા જેટલી વૃધ્ધી થઈ છે. 


US હાર્ટ એશોસિયેશને કર્યો સ્ટડી 


અમેરિકાની પ્રખ્યાત હાર્ટ એસોસિયેશને હાર્ટ ડિસીસ એન્ડ સ્ટ્રોક સ્ટેટિક્સ 2023 નામથી એક સ્ટડી કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ (હૃદય રોગ) થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 9,28,741 છે, જ્યારે 2019 માં આ આંકડો 8,74,613 હતો. 2015 પછી આ સૌથી મોટો વધારો છે. આ પહેલા વર્ષ 2003માં અમેરિકામાં 9,10,000 લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા, ત્યારબાદ 2020માં સૌથી વધુ લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા. આ અભ્યાસ જર્નલ સરક્યુલેશનમાં પ્રકાશિત થયો છે.


મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી 


આ સ્ટડીમાં સામેલ હાવર્ડ મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર કોની ડબ્લૂ સોનું કહેવું છે કે હ્રદય રોગની બિમારીથી મરનારાઓનો આંકડો વધી રહ્યો છે. તે સાથે જ ઘણા વર્ષોમાં પહેલી વખત ઉંમર સંબંધી મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી આવી છે. સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીના કારણે  તમામ વયના લોકો પ્રભાવિત થયા છે. સ્ટડીમાં તે પણ દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લોકોના હ્રદય પર અસર કરી છે. હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ, બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન સહિતના તમામ કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનું કારણ કોરોના મહામારી માનવામાં આવે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .