ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની કિંમત જાહેર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે બુસ્ટર ડોઝ


  • Published By :
  • Published Date : 2022-12-27 12:28:06

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં કોરોના વિરોધી રસીના બુસ્ટર ડોઝની માગ વધી છે. આ પરિસ્થિતીમાં ભારત સરકારે પણ દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝ માટે મંજુરી આપી દીધી છે. બુસ્ટર ડોઝ માટે તેના બે ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આઈએમએના સેક્રેટરી અનિલ ગોયલે આ વેક્સિન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નેઝલ વેક્સિન પણ બીજી વેક્સીનની જેમ જ ખુબ જ અસરકારક છે,  અને તેનો ડોઝ કોઈ પણ પ્રકારની તકલીફ વિના લઈ શકાય છે.


કેટલી છે બુસ્ટર ડોઝની કિંમત?


ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝને હવે કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવાની પણ મંજુરી મળી ગઈ છે. સરકારે આ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દીધી છે, incovacc વેક્સિનની  કિંમત 800+ 5% GST જણાવવામાં આવી છે.


18+ના લોકો લઈ શકશે નેઝલ વેક્સિન


ભારત બાયોટેકે ગત 6 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેની દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન iNCOVACC (BBV154)ને DGCI દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોને ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કે કેન્દ્ર સરકારે લોકોને આ વેક્સિન ખરીદવા માટે કોઈ અપીલ કરી નથી. વિશ્વના અન્ય દેશોની મંજુરી મળી ગયા પછી  iNCOVACCની વિદેશમાં નિકાશ પણ કરવામાં આવશે. આ વેક્સિનને વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લુઈસની સાથે મળીને  તૈયાર કરવામાં આવી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.