ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની કિંમત જાહેર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે બુસ્ટર ડોઝ


  • Published By :
  • Published Date : 2022-12-27 12:28:06

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં કોરોના વિરોધી રસીના બુસ્ટર ડોઝની માગ વધી છે. આ પરિસ્થિતીમાં ભારત સરકારે પણ દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝ માટે મંજુરી આપી દીધી છે. બુસ્ટર ડોઝ માટે તેના બે ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આઈએમએના સેક્રેટરી અનિલ ગોયલે આ વેક્સિન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નેઝલ વેક્સિન પણ બીજી વેક્સીનની જેમ જ ખુબ જ અસરકારક છે,  અને તેનો ડોઝ કોઈ પણ પ્રકારની તકલીફ વિના લઈ શકાય છે.


કેટલી છે બુસ્ટર ડોઝની કિંમત?


ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝને હવે કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવાની પણ મંજુરી મળી ગઈ છે. સરકારે આ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દીધી છે, incovacc વેક્સિનની  કિંમત 800+ 5% GST જણાવવામાં આવી છે.


18+ના લોકો લઈ શકશે નેઝલ વેક્સિન


ભારત બાયોટેકે ગત 6 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેની દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન iNCOVACC (BBV154)ને DGCI દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોને ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કે કેન્દ્ર સરકારે લોકોને આ વેક્સિન ખરીદવા માટે કોઈ અપીલ કરી નથી. વિશ્વના અન્ય દેશોની મંજુરી મળી ગયા પછી  iNCOVACCની વિદેશમાં નિકાશ પણ કરવામાં આવશે. આ વેક્સિનને વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લુઈસની સાથે મળીને  તૈયાર કરવામાં આવી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.