ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની કિંમત જાહેર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે બુસ્ટર ડોઝ


  • Published By :
  • Published Date : 2022-12-27 12:28:06

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં કોરોના વિરોધી રસીના બુસ્ટર ડોઝની માગ વધી છે. આ પરિસ્થિતીમાં ભારત સરકારે પણ દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝ માટે મંજુરી આપી દીધી છે. બુસ્ટર ડોઝ માટે તેના બે ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આઈએમએના સેક્રેટરી અનિલ ગોયલે આ વેક્સિન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નેઝલ વેક્સિન પણ બીજી વેક્સીનની જેમ જ ખુબ જ અસરકારક છે,  અને તેનો ડોઝ કોઈ પણ પ્રકારની તકલીફ વિના લઈ શકાય છે.


કેટલી છે બુસ્ટર ડોઝની કિંમત?


ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝને હવે કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવાની પણ મંજુરી મળી ગઈ છે. સરકારે આ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દીધી છે, incovacc વેક્સિનની  કિંમત 800+ 5% GST જણાવવામાં આવી છે.


18+ના લોકો લઈ શકશે નેઝલ વેક્સિન


ભારત બાયોટેકે ગત 6 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેની દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન iNCOVACC (BBV154)ને DGCI દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોને ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કે કેન્દ્ર સરકારે લોકોને આ વેક્સિન ખરીદવા માટે કોઈ અપીલ કરી નથી. વિશ્વના અન્ય દેશોની મંજુરી મળી ગયા પછી  iNCOVACCની વિદેશમાં નિકાશ પણ કરવામાં આવશે. આ વેક્સિનને વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લુઈસની સાથે મળીને  તૈયાર કરવામાં આવી છે. 



થોડા સમય પહેલા આચારસંહિતા ભંગ કરતા શિક્ષક દેખાયા હતા ત્યારે હવે પોલીસકર્મી આચાર સંહિતા ભંગ કરતા દેખાયા છે... મહિસાગરના કડાણા તાલુકામાં યોજાયેલી શેરી સભામાં હોમગાર્ડ કમાન્ડર દેખાયા હતા

રાજકોટ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણીએ જાહેરસભામાં તેમણે હરખપદુડો શબ્દ વાપર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે..

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..