ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની કિંમત જાહેર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે બુસ્ટર ડોઝ


  • Published By :
  • Published Date : 2022-12-27 12:28:06

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં કોરોના વિરોધી રસીના બુસ્ટર ડોઝની માગ વધી છે. આ પરિસ્થિતીમાં ભારત સરકારે પણ દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝ માટે મંજુરી આપી દીધી છે. બુસ્ટર ડોઝ માટે તેના બે ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આઈએમએના સેક્રેટરી અનિલ ગોયલે આ વેક્સિન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નેઝલ વેક્સિન પણ બીજી વેક્સીનની જેમ જ ખુબ જ અસરકારક છે,  અને તેનો ડોઝ કોઈ પણ પ્રકારની તકલીફ વિના લઈ શકાય છે.


કેટલી છે બુસ્ટર ડોઝની કિંમત?


ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝને હવે કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવાની પણ મંજુરી મળી ગઈ છે. સરકારે આ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દીધી છે, incovacc વેક્સિનની  કિંમત 800+ 5% GST જણાવવામાં આવી છે.


18+ના લોકો લઈ શકશે નેઝલ વેક્સિન


ભારત બાયોટેકે ગત 6 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેની દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન iNCOVACC (BBV154)ને DGCI દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોને ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કે કેન્દ્ર સરકારે લોકોને આ વેક્સિન ખરીદવા માટે કોઈ અપીલ કરી નથી. વિશ્વના અન્ય દેશોની મંજુરી મળી ગયા પછી  iNCOVACCની વિદેશમાં નિકાશ પણ કરવામાં આવશે. આ વેક્સિનને વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લુઈસની સાથે મળીને  તૈયાર કરવામાં આવી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે