ચીનમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, એક વર્ષમાં 10 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-16 13:10:26

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એક સપ્તાહ પહેલા ઝીરો કોવિડ પોલીસીમાં રાહત આપવામાં આવી છે. જો કે તેના કારણે દેશભરમાં સંક્રમણ ફરીથી વધવાની આશંકા છે. આ અંગે નિષ્ણાતોએ પણ ચેતવણી ઉચ્ચારી છે, તેમનું માનવું છે કે દેશમાં કોરોના સંક્રમણથી 10 લાખ લોકોના મોત થઈ શકે છે.


ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક


હોંગકોંગ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગના પૂર્વ ડીન ગેબ્રિયલ લેઉંગે જણાવ્યું કે ચીનની સરકારે કોઈ પણ પ્રકારની બુસ્ટર વેક્સિન વિના જ કોરોનાના નિયમોમાં રાહત આપી છે, તેના કારણે 10 લાખ લોકોના મોત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં રાહતથી સંક્રમણ વધી શકે છે, અને તે એટલા બધા હતા હશે કે તમામ રાજ્યોની હોસ્પિટલો માટે સંક્રમિતોને સંભાળવા મુશ્કેલ બની જશે.  


કોરોનાના આંકડાની જાહેરાત બંધ 


ચીનની સરકારે અનિવાર્ય પીસીઆર ટેસ્ટને બંધ કરી દીધો છે. એટલું જ નહીં ચીનની સરકારે મંગળવારથી કોરોનાના કેસની જાહેરાત બંધ કરી દીધી છે. આંકડા મુજબ બીજિંગ અને બાઓડિંગ અને શિન્ઝિયાઝુઆંગની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ખુબ વ્યાપક અને ઝડપથી ફેલાઈ રહ્યું છે.    




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .