ચીનમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, એક વર્ષમાં 10 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-16 13:10:26

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એક સપ્તાહ પહેલા ઝીરો કોવિડ પોલીસીમાં રાહત આપવામાં આવી છે. જો કે તેના કારણે દેશભરમાં સંક્રમણ ફરીથી વધવાની આશંકા છે. આ અંગે નિષ્ણાતોએ પણ ચેતવણી ઉચ્ચારી છે, તેમનું માનવું છે કે દેશમાં કોરોના સંક્રમણથી 10 લાખ લોકોના મોત થઈ શકે છે.


ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક


હોંગકોંગ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગના પૂર્વ ડીન ગેબ્રિયલ લેઉંગે જણાવ્યું કે ચીનની સરકારે કોઈ પણ પ્રકારની બુસ્ટર વેક્સિન વિના જ કોરોનાના નિયમોમાં રાહત આપી છે, તેના કારણે 10 લાખ લોકોના મોત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં રાહતથી સંક્રમણ વધી શકે છે, અને તે એટલા બધા હતા હશે કે તમામ રાજ્યોની હોસ્પિટલો માટે સંક્રમિતોને સંભાળવા મુશ્કેલ બની જશે.  


કોરોનાના આંકડાની જાહેરાત બંધ 


ચીનની સરકારે અનિવાર્ય પીસીઆર ટેસ્ટને બંધ કરી દીધો છે. એટલું જ નહીં ચીનની સરકારે મંગળવારથી કોરોનાના કેસની જાહેરાત બંધ કરી દીધી છે. આંકડા મુજબ બીજિંગ અને બાઓડિંગ અને શિન્ઝિયાઝુઆંગની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ખુબ વ્યાપક અને ઝડપથી ફેલાઈ રહ્યું છે.    




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.