ચીનમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી, એક વર્ષમાં 10 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-16 13:10:26

ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એક સપ્તાહ પહેલા ઝીરો કોવિડ પોલીસીમાં રાહત આપવામાં આવી છે. જો કે તેના કારણે દેશભરમાં સંક્રમણ ફરીથી વધવાની આશંકા છે. આ અંગે નિષ્ણાતોએ પણ ચેતવણી ઉચ્ચારી છે, તેમનું માનવું છે કે દેશમાં કોરોના સંક્રમણથી 10 લાખ લોકોના મોત થઈ શકે છે.


ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક


હોંગકોંગ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગના પૂર્વ ડીન ગેબ્રિયલ લેઉંગે જણાવ્યું કે ચીનની સરકારે કોઈ પણ પ્રકારની બુસ્ટર વેક્સિન વિના જ કોરોનાના નિયમોમાં રાહત આપી છે, તેના કારણે 10 લાખ લોકોના મોત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં રાહતથી સંક્રમણ વધી શકે છે, અને તે એટલા બધા હતા હશે કે તમામ રાજ્યોની હોસ્પિટલો માટે સંક્રમિતોને સંભાળવા મુશ્કેલ બની જશે.  


કોરોનાના આંકડાની જાહેરાત બંધ 


ચીનની સરકારે અનિવાર્ય પીસીઆર ટેસ્ટને બંધ કરી દીધો છે. એટલું જ નહીં ચીનની સરકારે મંગળવારથી કોરોનાના કેસની જાહેરાત બંધ કરી દીધી છે. આંકડા મુજબ બીજિંગ અને બાઓડિંગ અને શિન્ઝિયાઝુઆંગની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ખુબ વ્યાપક અને ઝડપથી ફેલાઈ રહ્યું છે.    




લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.