ચાઈનામાં સૈન્ય દ્વારા કરવામાં આવ્યો સત્તાપલટાનો પ્રયાસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-27 20:15:03

આપણો પાડોસી દેશ ચાઈના જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં "મેન્યુફેક્ચરિંગ હબ" બનીને ઉભર્યું છે. પરંતુ , ત્યાં આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઈનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે તે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. CPC એટલેકે , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું રાજ છેક ૧૯૪૯થી ચાલે છે. આજ કારણ છે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે , ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે , ચાઈનામાં હાલ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે. 

30 Years After Tiananmen: Memory in the Era of Xi Jinping | Journal of  Democracy

2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં મહાસત્તા બનવાનું સપના જોતું ચાઈના હાલમાં તો ત્યાં સત્તાપલટાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત , ચાઈનાના વર્તમાન પ્રમુખ ક્ષી જિંગપિંગને કેદ કરવાની યોજના હતી. આ સમગ્ર ઘટના ચાઈનાના લેખિકા શેન્ગ શુ દ્વારા બહાર લાવવામાં આવી છે. શેન્ગ શુ કેનેડામાં સ્થિત છે. શેન્ગ શુએ તેમના અહેવાલમાં લખ્યું છે કે , 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા. બળવાખોર જૂથનો પ્લાન જિનપિંગને ત્યાં જ અટકાયતમાં લઈ સત્તા પલટાવવાનો હતો. પરંતુ, ઓપરેશનના માત્ર બે કલાક પહેલા જ જિનપિંગને આ વાતની ખબર પડી ગઈ અને તેઓ તાત્કાલિક હોટલ છોડીને નીકળી ગયા હતા. પ્લાન લીક થયા બાદ પણ ઝાંગ યુશ્યાના સમર્થકો હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં જિનપિંગના વફાદાર સુરક્ષા દળો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં જિનપિંગના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સના 9 જવાનો માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં બળવાખોર જનરલના અનેક સમર્થકો પણ ઠાર થયા હતા.

Why China's rapid ousting of 2 top generals is a sharp warning on party  purity | South China Morning Post

બળવો નિષ્ફળ ગયા બાદ, શી જિનપિંગે તાત્કાલિક જનરલ ઝાંગ યુશ્યા અને લ્યુ ઝેનલીની ધરપકડના આદેશ આપ્યા છે . તેમના પરિવારોને પણ અટકમાં લેવાયા છે. જોકે, ચીન સરકારના સત્તાવાર મીડિયાએ આ ઘટનાને 'સેનામાં સુધારા' અને 'શિસ્તના ઉલ્લંઘન' (ભ્રષ્ટાચાર) તરીકે રજૂ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જિનપિંગ પોતાની પકડ મજબૂત બતાવવા માટે આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું રૂપ આપી રહ્યા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.