ચાઈનામાં સૈન્ય દ્વારા કરવામાં આવ્યો સત્તાપલટાનો પ્રયાસ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-27 20:15:03

આપણો પાડોસી દેશ ચાઈના જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં "મેન્યુફેક્ચરિંગ હબ" બનીને ઉભર્યું છે. પરંતુ , ત્યાં આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઈનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે તે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. CPC એટલેકે , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું રાજ છેક ૧૯૪૯થી ચાલે છે. આજ કારણ છે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે , ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે , ચાઈનામાં હાલ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે. 

30 Years After Tiananmen: Memory in the Era of Xi Jinping | Journal of  Democracy

2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં મહાસત્તા બનવાનું સપના જોતું ચાઈના હાલમાં તો ત્યાં સત્તાપલટાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત , ચાઈનાના વર્તમાન પ્રમુખ ક્ષી જિંગપિંગને કેદ કરવાની યોજના હતી. આ સમગ્ર ઘટના ચાઈનાના લેખિકા શેન્ગ શુ દ્વારા બહાર લાવવામાં આવી છે. શેન્ગ શુ કેનેડામાં સ્થિત છે. શેન્ગ શુએ તેમના અહેવાલમાં લખ્યું છે કે , 18 જાન્યુઆરીની સાંજે ચીની સેનાના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ શી જિનપિંગ વિરુદ્ધ બળવો કરવાની યોજના બનાવી હતી. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં રોકાવાના હતા. બળવાખોર જૂથનો પ્લાન જિનપિંગને ત્યાં જ અટકાયતમાં લઈ સત્તા પલટાવવાનો હતો. પરંતુ, ઓપરેશનના માત્ર બે કલાક પહેલા જ જિનપિંગને આ વાતની ખબર પડી ગઈ અને તેઓ તાત્કાલિક હોટલ છોડીને નીકળી ગયા હતા. પ્લાન લીક થયા બાદ પણ ઝાંગ યુશ્યાના સમર્થકો હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં જિનપિંગના વફાદાર સુરક્ષા દળો સાથે તેમની સીધી અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં જિનપિંગના પર્સનલ સિક્યુરિટી ગાર્ડ્સના 9 જવાનો માર્યા ગયા હતા. વળતા પ્રહારમાં બળવાખોર જનરલના અનેક સમર્થકો પણ ઠાર થયા હતા.

Why China's rapid ousting of 2 top generals is a sharp warning on party  purity | South China Morning Post

બળવો નિષ્ફળ ગયા બાદ, શી જિનપિંગે તાત્કાલિક જનરલ ઝાંગ યુશ્યા અને લ્યુ ઝેનલીની ધરપકડના આદેશ આપ્યા છે . તેમના પરિવારોને પણ અટકમાં લેવાયા છે. જોકે, ચીન સરકારના સત્તાવાર મીડિયાએ આ ઘટનાને 'સેનામાં સુધારા' અને 'શિસ્તના ઉલ્લંઘન' (ભ્રષ્ટાચાર) તરીકે રજૂ કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે જિનપિંગ પોતાની પકડ મજબૂત બતાવવા માટે આ ઘટનાને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનું રૂપ આપી રહ્યા છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.