6 રાજ્યોની 7 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની મતગણતરી શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-06 09:27:23

ગોપાલગંજ અને મોકામા (બિહાર), મુનુગોડે (તેલંગાણા), ધામનગર (ઓડિશા), ગોકરનાથ (ઉત્તર પ્રદેશ), આદમપુર (હરિયાણા), અંધેરી પૂર્વ (મહારાષ્ટ્ર)ના નામ સામેલ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ 

Assembly Bypoll Election Results 2022 Live Vote Counting for 7 Seats in 6 States UP Bihar Haryana Maharashtra

દેશની છ રાજ્યોની સાત બેઠકો પર 3 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ જાહેર થશે. આ સાત બેઠકો માટેની મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે.


જે બેઠકો માટે ચૂંટણી યોજાઇ છે તેમાં હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, બિહારની ગોપાલગંજ અને મોકામા બેઠક, તેલંગાણાની મુનુગોડે, ઉત્તરપ્રદેશની ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાની ધામનગર વિધાનસભાની બેઠકો સામેલ છે.


આ છ રાજ્યોની સાત બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને પ્રાદેશિક પક્ષો જેમ કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), રાષ્ટ્રીય જનતા દળ (RJD), સમાજવાદી પાર્ટી (SP), અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે બે જ્યારે શિવસેના અને આરજેડી પાસે એક-એક બેઠક હતી.


ભૂતપૂર્વ વર્તમાન ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપતા આદમપુરમાં પેટાચૂંટણીની જરૂર પડી હતી. તો મહારાષ્ટ્રમાં સેનાના ધારાસભ્ય રમેશ લટકેના અકાળે અવસાનને કારણે મુંબઇના અંધેરી-ઇસ્ટમાં આ બેઠક ખાલી પડી હતી.

6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, મતગણતરી શરૂ

બિહારમાં મોકામા બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અનંત સિંહને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવાને કારણે બરતરફ કરવામાં આવ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તો બિહારના ગોપાલગંજમાં પણ ભાજપના વર્તમાન ધારાસભ્ય સુભાષ સિંહના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જરૂરી પડી હતી. મુનુગોડમાં 2 ઓગસ્ટના રોજ વર્તમાન ધારાસભ્ય કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી યોજવી પડી છે.


લખીમપુર ખેરી જિલ્લાના ગોલા ગોકરનાથ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ ગિરીના અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે. તેવી જ રીતે ધામનગર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય બિષ્ણુ ચરણ દાસના અવસાનને કારણે આ સીટ ખાલી થઇ ગઇ હતી.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.