6 રાજ્યોની 7 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની મતગણતરી શરૂ


  • Published By :
  • Published Date : 2022-11-06 09:27:23

ગોપાલગંજ અને મોકામા (બિહાર), મુનુગોડે (તેલંગાણા), ધામનગર (ઓડિશા), ગોકરનાથ (ઉત્તર પ્રદેશ), આદમપુર (હરિયાણા), અંધેરી પૂર્વ (મહારાષ્ટ્ર)ના નામ સામેલ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ 

Assembly Bypoll Election Results 2022 Live Vote Counting for 7 Seats in 6 States UP Bihar Haryana Maharashtra

દેશની છ રાજ્યોની સાત બેઠકો પર 3 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ જાહેર થશે. આ સાત બેઠકો માટેની મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે.


જે બેઠકો માટે ચૂંટણી યોજાઇ છે તેમાં હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, બિહારની ગોપાલગંજ અને મોકામા બેઠક, તેલંગાણાની મુનુગોડે, ઉત્તરપ્રદેશની ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાની ધામનગર વિધાનસભાની બેઠકો સામેલ છે.


આ છ રાજ્યોની સાત બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને પ્રાદેશિક પક્ષો જેમ કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), રાષ્ટ્રીય જનતા દળ (RJD), સમાજવાદી પાર્ટી (SP), અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે બે જ્યારે શિવસેના અને આરજેડી પાસે એક-એક બેઠક હતી.


ભૂતપૂર્વ વર્તમાન ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપતા આદમપુરમાં પેટાચૂંટણીની જરૂર પડી હતી. તો મહારાષ્ટ્રમાં સેનાના ધારાસભ્ય રમેશ લટકેના અકાળે અવસાનને કારણે મુંબઇના અંધેરી-ઇસ્ટમાં આ બેઠક ખાલી પડી હતી.

6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના આજે પરિણામ, મતગણતરી શરૂ

બિહારમાં મોકામા બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અનંત સિંહને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવાને કારણે બરતરફ કરવામાં આવ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તો બિહારના ગોપાલગંજમાં પણ ભાજપના વર્તમાન ધારાસભ્ય સુભાષ સિંહના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જરૂરી પડી હતી. મુનુગોડમાં 2 ઓગસ્ટના રોજ વર્તમાન ધારાસભ્ય કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી યોજવી પડી છે.


લખીમપુર ખેરી જિલ્લાના ગોલા ગોકરનાથ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ ગિરીના અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે. તેવી જ રીતે ધામનગર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય બિષ્ણુ ચરણ દાસના અવસાનને કારણે આ સીટ ખાલી થઇ ગઇ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.