માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે ગણાવ્યા દોષી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ કરી ટ્વિ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-23 16:44:13

2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ છે? મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટમાં આજે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. રાહુલ ગાંધી પર આપવામાં આવેલા ચૂકાદાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ પ્રતિકિયા આપી છે. 

 

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા 

મોદી સમાજને લઈ રાહુલ ગાંધીએ 2019 દરમિયાન ચૂંટણી પ્રચારમાં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે બધા ચોરની અટક મોદી કેમ છે? ત્યારે આ નિવેદનને લઈ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.સુરત કોર્ટમાં આની કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા છે. સજા મળતાં જ તેમને જામીન મંજૂર થઈ ગયા હતા. ત્યારે આ સજા પર કોંગ્રેસના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. 30 દિવસ સુધી રાહુલ ગાંધીની સજા પર રોક લાગી ગઈ છે. 


પ્રિયંકા ગાંધીએ સજા બાદ આપી પ્રતિક્રિયા 

પ્રિયંકા ગાંધીએ આ વાતને લઈ ટ્વિટ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ડરી ગયેલી પૂરી મિશનરી સામ, દામ, દંડ, ભેદ લાગુ કરીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહીં. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહે છે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીનો પ્રેમ તેમની સાથે છે. 


રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલેએ કર્યું ટ્વિટ

સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેમને પામવાનો રસ્તો છે. તે ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે બીજેપી સિવાયના અન્ય પક્ષો અને પાર્ટીઓ પર કેસ કરી તેમને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે. અમારે કોંગ્રેસથી મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આવી રીતે માનહાનિના કેસમાં ફસાવું ઠીક નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવાનું. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણયથી અમે અસહેમત છીએ. 


કોંગ્રેસે સોશિયલ મીડિયા પર બદલ્યું પ્રોફાઈલ પિક્ચર  

તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે કાયર, તાનાશાહ ભાજપ સરકાર રાહુલ ગાંધી અને વિપક્ષથી તિલમિલાઈ ગયું છે. કારણ કે અમે તેમના કાળા કારનામાઓ સામે લાવી રહ્યા છીએ. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પોતાનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચર પણ બદલી દીધું છે જેમાં રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ડરો મત..

   


ભાજપના નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ સિવાય ભાજપના અનેક નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે સજા બાદ રાહુલ ગાંધીમાં સુધારો થાય તો દેશ માટે સારી વાત કહેવાશે. પૂર્ણેશ મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારી ફરિયાદના આધારે કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેને હું આવકારૂ છું.                        



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.