માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે ગણાવ્યા દોષી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓએ કરી ટ્વિ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-23 16:44:13

2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ છે? મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટમાં આજે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. રાહુલ ગાંધી પર આપવામાં આવેલા ચૂકાદાને લઈ અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ પ્રતિકિયા આપી છે. 

 

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા 

મોદી સમાજને લઈ રાહુલ ગાંધીએ 2019 દરમિયાન ચૂંટણી પ્રચારમાં નિવેદન આપ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે બધા ચોરની અટક મોદી કેમ છે? ત્યારે આ નિવેદનને લઈ પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.સુરત કોર્ટમાં આની કેસને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા છે. સજા મળતાં જ તેમને જામીન મંજૂર થઈ ગયા હતા. ત્યારે આ સજા પર કોંગ્રેસના અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. 30 દિવસ સુધી રાહુલ ગાંધીની સજા પર રોક લાગી ગઈ છે. 


પ્રિયંકા ગાંધીએ સજા બાદ આપી પ્રતિક્રિયા 

પ્રિયંકા ગાંધીએ આ વાતને લઈ ટ્વિટ કરી હતી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ડરી ગયેલી પૂરી મિશનરી સામ, દામ, દંડ, ભેદ લાગુ કરીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. મારા ભાઈ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરશે પણ નહીં. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહે છે. દેશના લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. સત્યની તાકાત અને કરોડો દેશવાસીનો પ્રેમ તેમની સાથે છે. 


રાહુલ ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલેએ કર્યું ટ્વિટ

સજા મળ્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેમને પામવાનો રસ્તો છે. તે ઉપરાંત અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. અરવિંદ કેજરીવાલે લખ્યું કે બીજેપી સિવાયના અન્ય પક્ષો અને પાર્ટીઓ પર કેસ કરી તેમને ખતમ કરવાની સાજિશ થઈ રહી છે. અમારે કોંગ્રેસથી મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આવી રીતે માનહાનિના કેસમાં ફસાવું ઠીક નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પૂછવાનું. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણયથી અમે અસહેમત છીએ. 


કોંગ્રેસે સોશિયલ મીડિયા પર બદલ્યું પ્રોફાઈલ પિક્ચર  

તે સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે કાયર, તાનાશાહ ભાજપ સરકાર રાહુલ ગાંધી અને વિપક્ષથી તિલમિલાઈ ગયું છે. કારણ કે અમે તેમના કાળા કારનામાઓ સામે લાવી રહ્યા છીએ. તે સિવાય રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભૂપેશ બાઘેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે પોતાનું સોશિયલ મીડિયા પ્રોફાઈલ પિક્ચર પણ બદલી દીધું છે જેમાં રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ડરો મત..

   


ભાજપના નેતાઓએ પણ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસ સિવાય ભાજપના અનેક નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટીલે કહ્યું કે સજા બાદ રાહુલ ગાંધીમાં સુધારો થાય તો દેશ માટે સારી વાત કહેવાશે. પૂર્ણેશ મોદીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમારી ફરિયાદના આધારે કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેને હું આવકારૂ છું.                        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.