ભારતમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા, વિદેશી મુસાફરોની ટેસ્ટિંગમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-01-05 16:11:33

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એરપોર્ટ અને બંદરોથી આવતા આંતરરાષ્ટ્રિય મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. 


6 દેશોના મુસાફરોનું ટેસ્ટીંગ


ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો તેથી 124 કોરોના પોઝિટીવ મળ્યા છે. મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે.


ઓમિક્રોનના કયા છે 11 સબ વેરિયેન્ટ્સ


ઓમિક્રોનના 11- સબ વેરિયેન્ટ્સની મુળ વાત કરીએ તો  XBB 1, 2, 3, 4,5 ની સંખ્યા સૌથી વધુ મળ્યા છે. ત્યાં જ  BA.5, BQ 1.1 અને BQ1.122, BQ 1. 1.5, CH1.1, CH.1.1.1, BF.7.4.1, BB3 પણ સંક્રમિતોમાં જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના વેરિયેન્ટની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ તમામ વિરિયંન્ટ પર ભારતીય રસીની સંતોષજનક અસર જોવા મળી છે. તેથી જ હાલ તુરંત નવી વેક્સિનની જરૂર અનુભવાઈ નથી.



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.