ભારતમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા, વિદેશી મુસાફરોની ટેસ્ટિંગમાં થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-01-05 16:11:33

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એરપોર્ટ અને બંદરોથી આવતા આંતરરાષ્ટ્રિય મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. 


6 દેશોના મુસાફરોનું ટેસ્ટીંગ


ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો તેથી 124 કોરોના પોઝિટીવ મળ્યા છે. મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે.


ઓમિક્રોનના કયા છે 11 સબ વેરિયેન્ટ્સ


ઓમિક્રોનના 11- સબ વેરિયેન્ટ્સની મુળ વાત કરીએ તો  XBB 1, 2, 3, 4,5 ની સંખ્યા સૌથી વધુ મળ્યા છે. ત્યાં જ  BA.5, BQ 1.1 અને BQ1.122, BQ 1. 1.5, CH1.1, CH.1.1.1, BF.7.4.1, BB3 પણ સંક્રમિતોમાં જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના વેરિયેન્ટની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ તમામ વિરિયંન્ટ પર ભારતીય રસીની સંતોષજનક અસર જોવા મળી છે. તેથી જ હાલ તુરંત નવી વેક્સિનની જરૂર અનુભવાઈ નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.