કોરોનાને લઈ સરકાર એક્સનમાં, 1 જાન્યુઆરીથી આ દેશના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2022-12-29 18:58:41

ચીનમાં વધેલા કોરોના સંક્રમણના કારણે દુનિયાના અન્ય દેશો જેવા કે હોંગકોંગ,જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર અને અમેરિકામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. વૈશ્લિક સ્તરે કોરોના વધતા કેસને લઈને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. 


RT-PCR ટેસ્ટ અનિવાર્ય


કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુરના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે. તેમણે મુસાફરી પહેલા પોતાનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


દેશમાં કોરોના સંક્રમણ દર 0.11 ટકા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં દૈનિક સંક્રમણ દર 0.11 ટકા છે. તે જ રીતે સાપ્તાહિક સંક્રમણ દર  0.17 ટકા છે. છેલ્લા 24 કલાકમાં  2,36,919 સેમ્પલની કોવિડ-19 સંબંધીત તપાસ કરવામાં આવી. દેશભરમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના 220.08 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે