કોરોનાને લઈ સરકાર એક્સનમાં, 1 જાન્યુઆરીથી આ દેશના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2022-12-29 18:58:41

ચીનમાં વધેલા કોરોના સંક્રમણના કારણે દુનિયાના અન્ય દેશો જેવા કે હોંગકોંગ,જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર અને અમેરિકામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. વૈશ્લિક સ્તરે કોરોના વધતા કેસને લઈને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. 


RT-PCR ટેસ્ટ અનિવાર્ય


કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુરના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે. તેમણે મુસાફરી પહેલા પોતાનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


દેશમાં કોરોના સંક્રમણ દર 0.11 ટકા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં દૈનિક સંક્રમણ દર 0.11 ટકા છે. તે જ રીતે સાપ્તાહિક સંક્રમણ દર  0.17 ટકા છે. છેલ્લા 24 કલાકમાં  2,36,919 સેમ્પલની કોવિડ-19 સંબંધીત તપાસ કરવામાં આવી. દેશભરમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના 220.08 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.