કોરોનાને લઈ સરકાર એક્સનમાં, 1 જાન્યુઆરીથી આ દેશના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2022-12-29 18:58:41

ચીનમાં વધેલા કોરોના સંક્રમણના કારણે દુનિયાના અન્ય દેશો જેવા કે હોંગકોંગ,જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર અને અમેરિકામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. વૈશ્લિક સ્તરે કોરોના વધતા કેસને લઈને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. 


RT-PCR ટેસ્ટ અનિવાર્ય


કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુરના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે. તેમણે મુસાફરી પહેલા પોતાનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


દેશમાં કોરોના સંક્રમણ દર 0.11 ટકા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં દૈનિક સંક્રમણ દર 0.11 ટકા છે. તે જ રીતે સાપ્તાહિક સંક્રમણ દર  0.17 ટકા છે. છેલ્લા 24 કલાકમાં  2,36,919 સેમ્પલની કોવિડ-19 સંબંધીત તપાસ કરવામાં આવી. દેશભરમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના 220.08 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.