કોરોનાને લઈ સરકાર એક્સનમાં, 1 જાન્યુઆરીથી આ દેશના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2022-12-29 18:58:41

ચીનમાં વધેલા કોરોના સંક્રમણના કારણે દુનિયાના અન્ય દેશો જેવા કે હોંગકોંગ,જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુર અને અમેરિકામાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. વૈશ્લિક સ્તરે કોરોના વધતા કેસને લઈને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. 


RT-PCR ટેસ્ટ અનિવાર્ય


કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરીયા, થાઈલેન્ડ, સિંગાપુરના યાત્રિકો માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય બનાવી દીધો છે. તેમણે મુસાફરી પહેલા પોતાનો રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.


દેશમાં કોરોના સંક્રમણ દર 0.11 ટકા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલ દેશમાં દૈનિક સંક્રમણ દર 0.11 ટકા છે. તે જ રીતે સાપ્તાહિક સંક્રમણ દર  0.17 ટકા છે. છેલ્લા 24 કલાકમાં  2,36,919 સેમ્પલની કોવિડ-19 સંબંધીત તપાસ કરવામાં આવી. દેશભરમાં કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડ-19 વિરોધી રસીના 220.08 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.