covid-19: દેશમાં વિદેશથી આવેલા પ્રવાસીઓએ ચિંતા વધારી, દિલ્હીમાં 4 તો કોલકાત્તામાં 2 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2022-12-26 19:13:43

ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે, ભારત સરકારે પણ કોરોનાના વધતા કેસને જોઈને રાજ્ય સરકારોને વિગતવાર ગાઈડલાઈન્સ આપી છે. આ દરમિયાન વિદેશમાંથી ભારત આવેલા કેટલાક લોકો કોરોના સંક્રમિત જણાયા છે. આજે દિલ્હીમાં 4 જ્યારે કોલકાત્તામાંથી 2 કોરોના સંક્રમિત મળી આવતા કેન્દ્ર સરકાર એક્સનમાં આવી છે.


દેશમાં કોરોનાને લઈ શું છે ઘટનાક્રમ


ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા યુવકનો કોરોના પોઝિટિવ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.  આરોગ્ય વિભાગ 7 દિવસ સુધી તેની ચુવકને તેની દેખરેખ હેઠળ રાખશે. દરમિયાન, યુવાનોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લખનૌના કેજીએમયુમાં મોકલવામાં આવશે.


રાજધાની દિલ્હીમાં મ્યાનમારથી પરત ફરેલા ચાર અને દુબઈ અને મ્યાનમારથી આવેલા 2 નવા કોરોના કેસ કોલકાતામાં મળી આવ્યા છે.


બિહારના બોધ ગયામાં બ્રિટન અને મ્યાનમારના વિદેશી નાગરિકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે જ સમયે, રાજ્ય સરકારે હવે બોધગયા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કર્યું છે.


કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કેન્દ્રએ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. દરેક ફ્લાઇટમાંથી 2 ટકા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.


આ સાથે જ, કેન્દ્રએ એવા દેશોના તમામ પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જ્યાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગ-કોંગ, બેંગકોક વગેરે છે.


દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો, સામાન્ય લોકોના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.


દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


એ જ રીતે કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની AIIMSમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.


કર્ણાટકમાં સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે પણ માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.