covid-19: દેશમાં વિદેશથી આવેલા પ્રવાસીઓએ ચિંતા વધારી, દિલ્હીમાં 4 તો કોલકાત્તામાં 2 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2022-12-26 19:13:43

ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે, ભારત સરકારે પણ કોરોનાના વધતા કેસને જોઈને રાજ્ય સરકારોને વિગતવાર ગાઈડલાઈન્સ આપી છે. આ દરમિયાન વિદેશમાંથી ભારત આવેલા કેટલાક લોકો કોરોના સંક્રમિત જણાયા છે. આજે દિલ્હીમાં 4 જ્યારે કોલકાત્તામાંથી 2 કોરોના સંક્રમિત મળી આવતા કેન્દ્ર સરકાર એક્સનમાં આવી છે.


દેશમાં કોરોનાને લઈ શું છે ઘટનાક્રમ


ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા યુવકનો કોરોના પોઝિટિવ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.  આરોગ્ય વિભાગ 7 દિવસ સુધી તેની ચુવકને તેની દેખરેખ હેઠળ રાખશે. દરમિયાન, યુવાનોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લખનૌના કેજીએમયુમાં મોકલવામાં આવશે.


રાજધાની દિલ્હીમાં મ્યાનમારથી પરત ફરેલા ચાર અને દુબઈ અને મ્યાનમારથી આવેલા 2 નવા કોરોના કેસ કોલકાતામાં મળી આવ્યા છે.


બિહારના બોધ ગયામાં બ્રિટન અને મ્યાનમારના વિદેશી નાગરિકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે જ સમયે, રાજ્ય સરકારે હવે બોધગયા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કર્યું છે.


કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કેન્દ્રએ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. દરેક ફ્લાઇટમાંથી 2 ટકા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.


આ સાથે જ, કેન્દ્રએ એવા દેશોના તમામ પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જ્યાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગ-કોંગ, બેંગકોક વગેરે છે.


દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો, સામાન્ય લોકોના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.


દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.


એ જ રીતે કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની AIIMSમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.


કર્ણાટકમાં સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે પણ માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે