ચીનમાં કોરોનાથી હાહાકાર, દરરોજ 10 લાખ નવા કેસ, 5 હજાર મોત, નવા રિપોર્ટે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-22 15:46:19

ચીનમાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચક્યું છે, આ વખતે Corona BF.7 Variantને સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. એક નવા રિપોર્ટે ચાઈનીઝ ઓથોરિટીની ચિંતા વધારી છે, આ નવા રિપોર્ટ પ્રમાણે દેશભરમાં લગભગ 10 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે.


લંડનની એનાટિક્સિ ફર્મે જાહેર કર્યો રિપોર્ટ


ચીનમાં વધઈ રહેલા કોરોના સંક્રમણ અંગે લંડન સ્થિત જાણીતા એનાટિક્સિ ફર્મ એયરફિનિટી લિમિટેડએ આંકડા ટાંકીને રિપોર્ટ  રજુ કર્યો છે. દેશમાં અત્યંત સંક્રામક  Corona BF.7 Variantના  કારણે સંક્રમણ વધ્યું છે. ચીનમાં કોરોના નિયમો હળવા કરાયા ત્યારથી જ આ નવો વેરિયન્ટ વધુ આક્રમક બન્યો છે. તેના કારણે જ દેશમાં નવા કેસની સંખ્યા 3.7 લાખ થઈ શકે છે, જ્યારે માર્ચમાં આંકડો વધીને 42 લાખ સુધી પહોંચી શકે છે. 


ચીન સરકારે આંકડાની જાહેરાત બંધ કરી 


ચીનમાં કોવિડ સંક્રમણ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાનું સરકારે બંધ કર્યું છે. આ કારણે જ કોરોનાની સાચી સ્થિતી અંગે માહિતી મળતી નથી, જો કે એવું અનુમાન છે કે રાજધાની બીજિંગમાં સંક્રમણ દર 50 ટકાથી વધુ રહી શકે છે. જ્યારે સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અને રાજ્યોમાં આંકડો 70ટકાથી વધુ રહી શકે છે. બીજિંગમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધુ છે કે દર્દીઓને બેડ મળતા નથી. હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઘટ્યો છે. આ જ સ્થિતી શ્મશાન ગૃહોની બહાર જોવા મળી રહી છે. મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.