ચીનમાં કોરોનાથી હાહાકાર, દરરોજ 10 લાખ નવા કેસ, 5 હજાર મોત, નવા રિપોર્ટે ચિંતા વધારી


  • Published By :
  • Published Date : 2022-12-22 15:46:19

ચીનમાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચક્યું છે, આ વખતે Corona BF.7 Variantને સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. એક નવા રિપોર્ટે ચાઈનીઝ ઓથોરિટીની ચિંતા વધારી છે, આ નવા રિપોર્ટ પ્રમાણે દેશભરમાં લગભગ 10 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે.


લંડનની એનાટિક્સિ ફર્મે જાહેર કર્યો રિપોર્ટ


ચીનમાં વધઈ રહેલા કોરોના સંક્રમણ અંગે લંડન સ્થિત જાણીતા એનાટિક્સિ ફર્મ એયરફિનિટી લિમિટેડએ આંકડા ટાંકીને રિપોર્ટ  રજુ કર્યો છે. દેશમાં અત્યંત સંક્રામક  Corona BF.7 Variantના  કારણે સંક્રમણ વધ્યું છે. ચીનમાં કોરોના નિયમો હળવા કરાયા ત્યારથી જ આ નવો વેરિયન્ટ વધુ આક્રમક બન્યો છે. તેના કારણે જ દેશમાં નવા કેસની સંખ્યા 3.7 લાખ થઈ શકે છે, જ્યારે માર્ચમાં આંકડો વધીને 42 લાખ સુધી પહોંચી શકે છે. 


ચીન સરકારે આંકડાની જાહેરાત બંધ કરી 


ચીનમાં કોવિડ સંક્રમણ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાનું સરકારે બંધ કર્યું છે. આ કારણે જ કોરોનાની સાચી સ્થિતી અંગે માહિતી મળતી નથી, જો કે એવું અનુમાન છે કે રાજધાની બીજિંગમાં સંક્રમણ દર 50 ટકાથી વધુ રહી શકે છે. જ્યારે સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અને રાજ્યોમાં આંકડો 70ટકાથી વધુ રહી શકે છે. બીજિંગમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધુ છે કે દર્દીઓને બેડ મળતા નથી. હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઘટ્યો છે. આ જ સ્થિતી શ્મશાન ગૃહોની બહાર જોવા મળી રહી છે. મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.