ચીનમાં કોરોનાનો કહેર, 5 મહિનામાં સૌથી વધુ કેસ, ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં મિની લોકડાઉન


  • Published By :
  • Published Date : 2022-11-13 16:00:12


ચીનમાં પાંચ મહિના બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના 14,878 નવા કેસ નોંધ્યા છે, જે છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ છે. ચીનની રાજધાની બેઇજિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં કોરોના સંકમણના મોટી સંખ્યામાં કેસ નોંધાતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે.


NHCએ વધતા દૈનિક કેસને લઈ ચિંતા વ્યક્ત કરી


ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) એ રવિવારે જણાવ્યું હતું કે, ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19 વાયરસના સંક્રમણના 14,878 નવા કેસ નોંધાયા છે જ્યારે 11 નવેમ્બરે 11,950 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્રમજનક 235 નવા દૈનિક કેસ નોંધાયા છે, જેની સંખ્યા એક દિવસ અગાઉ 116 કેસ હતી. હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં એપલ કંપનીના સપ્લાયર ફોક્સકોનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલો છે, જેમાં દૈનિક 2,642 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 


ચીનમાં પાછલા સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વૃદ્ધિ ‘ઝીરો કોવિડ રણનીતિ’ની વચ્ચે અવરોધો ઉભા કરી રહ્યા છે, જેમાં આ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિને આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.