ચીનમાં કોરોનાનો કહેર, 5 મહિનામાં સૌથી વધુ કેસ, ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં મિની લોકડાઉન


  • Published By :
  • Published Date : 2022-11-13 16:00:12


ચીનમાં પાંચ મહિના બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19ના સંક્રમણના 14,878 નવા કેસ નોંધ્યા છે, જે છેલ્લા 5 મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ છે. ચીનની રાજધાની બેઇજિંગ તેમજ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ગુઆંગઝુ અને ઝેંગઝૂમાં કોરોના સંકમણના મોટી સંખ્યામાં કેસ નોંધાતા ફરી ચિંતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં મિની લોકડાઉન લાદવામાં આવ્યુ છે.


NHCએ વધતા દૈનિક કેસને લઈ ચિંતા વ્યક્ત કરી


ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) એ રવિવારે જણાવ્યું હતું કે, ચીનમાં 12 નવેમ્બરના રોજ કોવિડ-19 વાયરસના સંક્રમણના 14,878 નવા કેસ નોંધાયા છે જ્યારે 11 નવેમ્બરે 11,950 કેસ નોંધાયા હતા. ચીનની રાજધાની બેઇજિંગમાં વિક્રમજનક 235 નવા દૈનિક કેસ નોંધાયા છે, જેની સંખ્યા એક દિવસ અગાઉ 116 કેસ હતી. હેનાન પ્રાંતના ઝેંગઝોઉ શહેરમાં એપલ કંપનીના સપ્લાયર ફોક્સકોનનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવેલો છે, જેમાં દૈનિક 2,642 નવા કેસ નોંધાઈ રહ્યા છે. 


ચીનમાં પાછલા સપ્તાહે કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વૃદ્ધિ ‘ઝીરો કોવિડ રણનીતિ’ની વચ્ચે અવરોધો ઉભા કરી રહ્યા છે, જેમાં આ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિને આઇસોલેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .