લગ્નના ચાર વર્ષ બાદ રણવીર-દીપિકાના સંબંધોમાં તિરાડ? શું કહ્યું રણવીરે જુઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:50:56

બોલિવૂડના કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ચાહકોને પસંદ છે. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.આ દિવસોમાં આ કપલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેના કારણે ચાહકો ચિંતિત છે. વાસ્તવમાં, એક ટ્વિટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દીપિકા અને રણવીર વચ્ચે બધુ બરાબર નથી. હવે આ સમાચાર પર અભિનેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

Why Deepika Padukone Waited Until Marriage to Live with Ranveer Singh

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથેના તેના સંબંધો વિશે વાત કરી, જેના પછી ચાહકો ખૂબ ખુશ થઈ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ટ્વીટથી ફેન્સની ચિંતા વધી ગઈ હતી, જે હવે રણવીર સિંહના નિવેદન બાદ દૂર થઈ ગઈ છે. વાસ્તવમાં, હવે રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેતા કહેતો જોવા મળી રહ્યો છે કે અમે બંને 2012માં મળ્યા હતા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.અમે બંને 10 વર્ષથી સાથે છીએ.


રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ સ્ટોરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામ લીલા'ના સેટ પર શરૂ થઈ હતી. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા.આ પછી બંનેએ 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 83 માં સાથે કામ કર્યું છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ જ ગમે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દીપિકા પોતાની ખરાબ તબિયતને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં જ તેને તેની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો.


દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે, જેમાં જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.રણવીર સિંહ આલિયા ભટ્ટ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ સિવાય રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.