ચારધામ યાત્રા પહેલા હાઈવે પર પડી રહી છે તિરાડ, તિરાડો વધતા લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-20 12:46:24

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઘરોમાં તિરાડો પડવાને લીધે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી ઉપરાંત અનેક બિલ્ડીંગોને તોડી નાખવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે પરંતુ  આ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધારે જગ્યાઓ પર તિરાડો દેખાઈ હતી. જેને લઈ આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તિરાડ વધી શકે છે.

जोशीमठ-बद्रीनाथ हाईवे हाईवे पर 10 KM के हिस्से में दरारों के चलते सड़क टूटने लगी है।

आशंका जताई गई है कि कई जगह दरारों की वजह से हाइवें के बड़े हिस्से धंस सकते हैं।

આવનાર દિવસોમાં વધી શકે છે તિરાડોનું પ્રમાણ

થોડા સમય બાદ ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. દિવસેને દિવસે જમીનનું ઘોવાણ થઈ રહ્યું હતું. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત અનેક ઈમારતોને તોડી પણ પડાઈ હતી. ત્યારે ચારધામ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધુ જગ્યાઓ પર તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે એક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. 

प्रशासन ने कुछ जगह हाईवे की मरम्मत कराई थी, लेकिन वहां फिर से दरारें दिखने लगी हैं।


ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા વધી લોકોની ચિંતા 

શનિવારના દિવસે ઉત્તરાખંડ સરકારે ચારધામ અંગેની જાહેરાત કરી હતી. કેદારનાથ મંદિરના દ્વાર 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલવાના છે. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા હાઈવે પર અનેક તિરાડો જોવા મળી હતી. જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર આ તિરાડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે આશંકા બતાવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ તિરાડો વધી પણ શકે છે. મોટી સંખ્યામાં લોકો ચારધામની મુલાકાત લેતા હોય છે ત્યારે આ તિરાડનો ખતરો આવનાર દિવસોમાં વધી પણ શકે છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.