ચારધામ યાત્રા પહેલા હાઈવે પર પડી રહી છે તિરાડ, તિરાડો વધતા લોકોમાં ભય


  • Published By :
  • Published Date : 2023-02-20 12:46:24

ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઘરોમાં તિરાડો પડવાને લીધે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી ઉપરાંત અનેક બિલ્ડીંગોને તોડી નાખવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે પરંતુ  આ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધારે જગ્યાઓ પર તિરાડો દેખાઈ હતી. જેને લઈ આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તિરાડ વધી શકે છે.

जोशीमठ-बद्रीनाथ हाईवे हाईवे पर 10 KM के हिस्से में दरारों के चलते सड़क टूटने लगी है।

आशंका जताई गई है कि कई जगह दरारों की वजह से हाइवें के बड़े हिस्से धंस सकते हैं।

આવનાર દિવસોમાં વધી શકે છે તિરાડોનું પ્રમાણ

થોડા સમય બાદ ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. દિવસેને દિવસે જમીનનું ઘોવાણ થઈ રહ્યું હતું. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત અનેક ઈમારતોને તોડી પણ પડાઈ હતી. ત્યારે ચારધામ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધુ જગ્યાઓ પર તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે એક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. 

प्रशासन ने कुछ जगह हाईवे की मरम्मत कराई थी, लेकिन वहां फिर से दरारें दिखने लगी हैं।


ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા વધી લોકોની ચિંતા 

શનિવારના દિવસે ઉત્તરાખંડ સરકારે ચારધામ અંગેની જાહેરાત કરી હતી. કેદારનાથ મંદિરના દ્વાર 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલવાના છે. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા હાઈવે પર અનેક તિરાડો જોવા મળી હતી. જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર આ તિરાડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે આશંકા બતાવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ તિરાડો વધી પણ શકે છે. મોટી સંખ્યામાં લોકો ચારધામની મુલાકાત લેતા હોય છે ત્યારે આ તિરાડનો ખતરો આવનાર દિવસોમાં વધી પણ શકે છે.        




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.