વરસાદ બાદ જોશીમઠમાં ફરી જોવા મળી તિરાડો! તિરાડો દેખાતા પ્રશાસન એલર્ટ થઈ! નૈનીતાલના ઘરોમાં પડી રહી તિરાડો!


  • Published By :
  • Published Date : 2023-05-10 12:59:17

કુદરત આપણાથી રૂઠી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો અમુક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં જે વિનાશ સર્જાયો હતો તે સૌને યાદ હશે. ચમોલીમાં આવેલા જોશીમઠના ઘરોમાં ગયા વર્ષે ભૂસ્ખલનના કારણે પડેલી તિરાડો, ત્યાં રહેતા સ્થાનિકોનું સ્થળાંતરણ કરવાની ઘટનાઓ સૌ કોઇને યાદ છે. ત્યારબાદ ઋતુ બદલાઇ અને તિરાડો પડતી બંધ થઇ પરંતુ હાલમાં દેશભરમાં જ્યારે વરસાદ અને ગરમીની મિશ્ર ઋતુ ચાલી રહી છે. જોશીમઠ ફરી એક વખત પ્રભાવિત થઈ રહ્યું છે.  


ઘરોમાં પડેલી તિરાડો વધી રહી છે!

ભૂસ્ખલન થવાને કારણે જોશીમઠની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ હતી. ફરી એક વખત ભૂસ્ખલનની અસર જોશીમઠના ગાંધીનગર વિસ્તારમાં દેખાઈ રહી છે. જે ઘરોમાં પહેલા તિરાડો પડી હતી તે હવે વધુ વિસ્તરી રહી છે તો બીજી બાજુ બીજા ઘરોમાં પણ તિરાડો પડવાનું શરૂ થયું છે. જેને કારણે આ ઘરમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરી છે. અને અધિકારીઓ પણ આ ઘરોનો સરવે કરી આગળની કામગીરી કરશે. જો વધુ જોખમ જણાય તો આ પરિવારોને પણ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.


નૈનીતાલના ઘરોમાં પણ પડી રહી છે તિરાડ!

જોશીમઠની સાથે સાથે હવે નૈનીતાલના કેટલાક ઘરોમાં પણ તિરાડો પડી રહી છે. તેના કેટલાક ટુરિસ્ટ સ્પોટ જેમ કે ટિફિન ટોપ, વ્યૂ પોઇન્ટ પર ભૂસ્ખલનનું જોખમ હોવાથી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.. જેને કારણે ત્યાંના સ્થાનિક  વેપારીઓના રોજગાર પર અસર પડી છે. અત્યારે દેશમાં રજાઓનો માહોલ છે દેશના ખૂણે ખૂણેથી લોકો ઉત્તરાખંડમાં ફરવા આવતા હોય છે. હાલ ચારધામ યાત્રા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થાનોની યાત્રા અને હરવાફરવા માટે આ સ્થળોની મુલાકાત લેતા સમયે આપણે કોઇ કુદરતી આફતોના ભોગ ન બનીએ તેનું ધ્યાન રાખવું જોઈએ.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.