વરસાદ બાદ જોશીમઠમાં ફરી જોવા મળી તિરાડો! તિરાડો દેખાતા પ્રશાસન એલર્ટ થઈ! નૈનીતાલના ઘરોમાં પડી રહી તિરાડો!


  • Published By :
  • Published Date : 2023-05-10 12:59:17

કુદરત આપણાથી રૂઠી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો અમુક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં જે વિનાશ સર્જાયો હતો તે સૌને યાદ હશે. ચમોલીમાં આવેલા જોશીમઠના ઘરોમાં ગયા વર્ષે ભૂસ્ખલનના કારણે પડેલી તિરાડો, ત્યાં રહેતા સ્થાનિકોનું સ્થળાંતરણ કરવાની ઘટનાઓ સૌ કોઇને યાદ છે. ત્યારબાદ ઋતુ બદલાઇ અને તિરાડો પડતી બંધ થઇ પરંતુ હાલમાં દેશભરમાં જ્યારે વરસાદ અને ગરમીની મિશ્ર ઋતુ ચાલી રહી છે. જોશીમઠ ફરી એક વખત પ્રભાવિત થઈ રહ્યું છે.  


ઘરોમાં પડેલી તિરાડો વધી રહી છે!

ભૂસ્ખલન થવાને કારણે જોશીમઠની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ હતી. ફરી એક વખત ભૂસ્ખલનની અસર જોશીમઠના ગાંધીનગર વિસ્તારમાં દેખાઈ રહી છે. જે ઘરોમાં પહેલા તિરાડો પડી હતી તે હવે વધુ વિસ્તરી રહી છે તો બીજી બાજુ બીજા ઘરોમાં પણ તિરાડો પડવાનું શરૂ થયું છે. જેને કારણે આ ઘરમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરી છે. અને અધિકારીઓ પણ આ ઘરોનો સરવે કરી આગળની કામગીરી કરશે. જો વધુ જોખમ જણાય તો આ પરિવારોને પણ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.


નૈનીતાલના ઘરોમાં પણ પડી રહી છે તિરાડ!

જોશીમઠની સાથે સાથે હવે નૈનીતાલના કેટલાક ઘરોમાં પણ તિરાડો પડી રહી છે. તેના કેટલાક ટુરિસ્ટ સ્પોટ જેમ કે ટિફિન ટોપ, વ્યૂ પોઇન્ટ પર ભૂસ્ખલનનું જોખમ હોવાથી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.. જેને કારણે ત્યાંના સ્થાનિક  વેપારીઓના રોજગાર પર અસર પડી છે. અત્યારે દેશમાં રજાઓનો માહોલ છે દેશના ખૂણે ખૂણેથી લોકો ઉત્તરાખંડમાં ફરવા આવતા હોય છે. હાલ ચારધામ યાત્રા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થાનોની યાત્રા અને હરવાફરવા માટે આ સ્થળોની મુલાકાત લેતા સમયે આપણે કોઇ કુદરતી આફતોના ભોગ ન બનીએ તેનું ધ્યાન રાખવું જોઈએ.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.