વરસાદ બાદ જોશીમઠમાં ફરી જોવા મળી તિરાડો! તિરાડો દેખાતા પ્રશાસન એલર્ટ થઈ! નૈનીતાલના ઘરોમાં પડી રહી તિરાડો!


  • Published By :
  • Published Date : 2023-05-10 12:59:17

કુદરત આપણાથી રૂઠી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો અમુક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં જે વિનાશ સર્જાયો હતો તે સૌને યાદ હશે. ચમોલીમાં આવેલા જોશીમઠના ઘરોમાં ગયા વર્ષે ભૂસ્ખલનના કારણે પડેલી તિરાડો, ત્યાં રહેતા સ્થાનિકોનું સ્થળાંતરણ કરવાની ઘટનાઓ સૌ કોઇને યાદ છે. ત્યારબાદ ઋતુ બદલાઇ અને તિરાડો પડતી બંધ થઇ પરંતુ હાલમાં દેશભરમાં જ્યારે વરસાદ અને ગરમીની મિશ્ર ઋતુ ચાલી રહી છે. જોશીમઠ ફરી એક વખત પ્રભાવિત થઈ રહ્યું છે.  


ઘરોમાં પડેલી તિરાડો વધી રહી છે!

ભૂસ્ખલન થવાને કારણે જોશીમઠની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ હતી. ફરી એક વખત ભૂસ્ખલનની અસર જોશીમઠના ગાંધીનગર વિસ્તારમાં દેખાઈ રહી છે. જે ઘરોમાં પહેલા તિરાડો પડી હતી તે હવે વધુ વિસ્તરી રહી છે તો બીજી બાજુ બીજા ઘરોમાં પણ તિરાડો પડવાનું શરૂ થયું છે. જેને કારણે આ ઘરમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરી છે. અને અધિકારીઓ પણ આ ઘરોનો સરવે કરી આગળની કામગીરી કરશે. જો વધુ જોખમ જણાય તો આ પરિવારોને પણ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.


નૈનીતાલના ઘરોમાં પણ પડી રહી છે તિરાડ!

જોશીમઠની સાથે સાથે હવે નૈનીતાલના કેટલાક ઘરોમાં પણ તિરાડો પડી રહી છે. તેના કેટલાક ટુરિસ્ટ સ્પોટ જેમ કે ટિફિન ટોપ, વ્યૂ પોઇન્ટ પર ભૂસ્ખલનનું જોખમ હોવાથી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.. જેને કારણે ત્યાંના સ્થાનિક  વેપારીઓના રોજગાર પર અસર પડી છે. અત્યારે દેશમાં રજાઓનો માહોલ છે દેશના ખૂણે ખૂણેથી લોકો ઉત્તરાખંડમાં ફરવા આવતા હોય છે. હાલ ચારધામ યાત્રા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થાનોની યાત્રા અને હરવાફરવા માટે આ સ્થળોની મુલાકાત લેતા સમયે આપણે કોઇ કુદરતી આફતોના ભોગ ન બનીએ તેનું ધ્યાન રાખવું જોઈએ.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.