વૈશ્વિક મંદીના ઓળા: જગવિખ્યાત ક્રેડિટ સ્વિસ બેન્કનું ભવિષ્ય અંધકારમય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:00:41

વિશ્વની દરેક મધ્યસ્થ બેન્ક એક પછી એક વ્યાજદર વધારી રહી છે અને વિશ્વ પર મંદીના ઓળા છે ત્યારે ક્રેડિટ સ્વિસ બેન્કની કથળતી નાણાકીય સ્થિતિ યુરોપ અને અમેરિકાના નાણાકીય બજારોને હચમચાવી શકે છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની ટોચની બેન્કોમાં એક ક્રેડિટ સ્વિસ બેન્કના ભવિષ્ય પર અંધકારના વાદળ ઘેરાયેલા છે. કેલેન્ડર વર્ષ 2022માં બેન્કના શેરના ભાવ 60 ટકા જેટલા ઘટી ગયા છે. આ ઉપરાંત બેન્કિંગ આર્થિક સદ્ધરતાને લઈને પણ શંકા સેવાઈ રહી છે. 


બેંકના CEOની કર્મચારીઓને ધીરજ રાખવા અપીલ


સ્વિત્ઝરલેન્ડ સ્થિત આ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરે એક જ સપ્તાહમાં બે વખત કર્મચારીઓને ધીરજ રાખવા અને સંકટમાંથી બહાર નીકળી આવીશું એવી હૈયાધારણ આપી છે. જોકે, વૈશ્વિક નાણા બજારમાં ચિંતાઓ છે. સપ્ટેમ્બર 2008માં જેમ અમેરિકામાં લેહમેન બ્રધર્સથી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી થઈ હતી એવી ચિંતા શેરબજારમાં 14 વર્ષ પછી જોવા મળી રહી છે. 


ક્રેડિટ સ્વિસ બેંકના શેરમાં કડાકો બોલાયો


યુરોપના બજાર સોમવારે ખુલ્યા ત્યારે ક્રેડિટ સ્વિસના શેર દસ ટકા ઘટી ગયા હતા. એક વર્ષ પેહલા 22.3 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવતી આ બેંકનું વર્તમાન મૂલ્ય હવે 10 અબજ ડોલર છે. શેરનો ભાવ અત્યારે ત્રણ ડોલર આસપાસ ચાલી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં છેલ્લા થોડા સમયથી બેંકમાં ઘણા ગોટાળા બહાર આવ્યા છે. આ ગોટાળાના કારણે હવે રોકાણકારોને બેન્કિંગ વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે. આ બેંક નાદાર જાહેર થશે અથવા તો અન્ય મોટી સ્વીસ બેંક યુબીએસ (UBS) સાથે મર્જ થાય તેવી શક્યતા છે. 


બેંકનો ઈતિહાસ શું છે?


સ્વિત્ઝરલેન્ડમાં રેલ નેટવર્કની સ્થાપના કરવા અને તેનું ભંડોળ ઉભું કરવા માટે વર્ષ 1856 એટલે કે 166  વર્ષ પહેલા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી 1900થી ક્રેડિટ સ્વિસ એક બેંક તરીકે કામ કરે છે. દુનિયામાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે સૌથી મોટી કંપનીઓમાં આનો સમાવેશ થાય છે. એટલું જ નહી નાણા રોકાણ કરનાર વ્યક્તિની ઓળખ છૂપાવવા માટે જાણીતી સ્વિસ બેંકોમાં તે સૌથી મોટી બેંક છે.




ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?