વૈશ્વિક મંદીના ઓળા: જગવિખ્યાત ક્રેડિટ સ્વિસ બેન્કનું ભવિષ્ય અંધકારમય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:00:41

વિશ્વની દરેક મધ્યસ્થ બેન્ક એક પછી એક વ્યાજદર વધારી રહી છે અને વિશ્વ પર મંદીના ઓળા છે ત્યારે ક્રેડિટ સ્વિસ બેન્કની કથળતી નાણાકીય સ્થિતિ યુરોપ અને અમેરિકાના નાણાકીય બજારોને હચમચાવી શકે છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની ટોચની બેન્કોમાં એક ક્રેડિટ સ્વિસ બેન્કના ભવિષ્ય પર અંધકારના વાદળ ઘેરાયેલા છે. કેલેન્ડર વર્ષ 2022માં બેન્કના શેરના ભાવ 60 ટકા જેટલા ઘટી ગયા છે. આ ઉપરાંત બેન્કિંગ આર્થિક સદ્ધરતાને લઈને પણ શંકા સેવાઈ રહી છે. 


બેંકના CEOની કર્મચારીઓને ધીરજ રાખવા અપીલ


સ્વિત્ઝરલેન્ડ સ્થિત આ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરે એક જ સપ્તાહમાં બે વખત કર્મચારીઓને ધીરજ રાખવા અને સંકટમાંથી બહાર નીકળી આવીશું એવી હૈયાધારણ આપી છે. જોકે, વૈશ્વિક નાણા બજારમાં ચિંતાઓ છે. સપ્ટેમ્બર 2008માં જેમ અમેરિકામાં લેહમેન બ્રધર્સથી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી થઈ હતી એવી ચિંતા શેરબજારમાં 14 વર્ષ પછી જોવા મળી રહી છે. 


ક્રેડિટ સ્વિસ બેંકના શેરમાં કડાકો બોલાયો


યુરોપના બજાર સોમવારે ખુલ્યા ત્યારે ક્રેડિટ સ્વિસના શેર દસ ટકા ઘટી ગયા હતા. એક વર્ષ પેહલા 22.3 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવતી આ બેંકનું વર્તમાન મૂલ્ય હવે 10 અબજ ડોલર છે. શેરનો ભાવ અત્યારે ત્રણ ડોલર આસપાસ ચાલી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં છેલ્લા થોડા સમયથી બેંકમાં ઘણા ગોટાળા બહાર આવ્યા છે. આ ગોટાળાના કારણે હવે રોકાણકારોને બેન્કિંગ વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે. આ બેંક નાદાર જાહેર થશે અથવા તો અન્ય મોટી સ્વીસ બેંક યુબીએસ (UBS) સાથે મર્જ થાય તેવી શક્યતા છે. 


બેંકનો ઈતિહાસ શું છે?


સ્વિત્ઝરલેન્ડમાં રેલ નેટવર્કની સ્થાપના કરવા અને તેનું ભંડોળ ઉભું કરવા માટે વર્ષ 1856 એટલે કે 166  વર્ષ પહેલા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી 1900થી ક્રેડિટ સ્વિસ એક બેંક તરીકે કામ કરે છે. દુનિયામાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે સૌથી મોટી કંપનીઓમાં આનો સમાવેશ થાય છે. એટલું જ નહી નાણા રોકાણ કરનાર વ્યક્તિની ઓળખ છૂપાવવા માટે જાણીતી સ્વિસ બેંકોમાં તે સૌથી મોટી બેંક છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .