વૈશ્વિક મંદીના ઓળા: જગવિખ્યાત ક્રેડિટ સ્વિસ બેન્કનું ભવિષ્ય અંધકારમય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 18:00:41

વિશ્વની દરેક મધ્યસ્થ બેન્ક એક પછી એક વ્યાજદર વધારી રહી છે અને વિશ્વ પર મંદીના ઓળા છે ત્યારે ક્રેડિટ સ્વિસ બેન્કની કથળતી નાણાકીય સ્થિતિ યુરોપ અને અમેરિકાના નાણાકીય બજારોને હચમચાવી શકે છે. વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની ટોચની બેન્કોમાં એક ક્રેડિટ સ્વિસ બેન્કના ભવિષ્ય પર અંધકારના વાદળ ઘેરાયેલા છે. કેલેન્ડર વર્ષ 2022માં બેન્કના શેરના ભાવ 60 ટકા જેટલા ઘટી ગયા છે. આ ઉપરાંત બેન્કિંગ આર્થિક સદ્ધરતાને લઈને પણ શંકા સેવાઈ રહી છે. 


બેંકના CEOની કર્મચારીઓને ધીરજ રાખવા અપીલ


સ્વિત્ઝરલેન્ડ સ્થિત આ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરે એક જ સપ્તાહમાં બે વખત કર્મચારીઓને ધીરજ રાખવા અને સંકટમાંથી બહાર નીકળી આવીશું એવી હૈયાધારણ આપી છે. જોકે, વૈશ્વિક નાણા બજારમાં ચિંતાઓ છે. સપ્ટેમ્બર 2008માં જેમ અમેરિકામાં લેહમેન બ્રધર્સથી વૈશ્વિક આર્થિક કટોકટી ઉભી થઈ હતી એવી ચિંતા શેરબજારમાં 14 વર્ષ પછી જોવા મળી રહી છે. 


ક્રેડિટ સ્વિસ બેંકના શેરમાં કડાકો બોલાયો


યુરોપના બજાર સોમવારે ખુલ્યા ત્યારે ક્રેડિટ સ્વિસના શેર દસ ટકા ઘટી ગયા હતા. એક વર્ષ પેહલા 22.3 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવતી આ બેંકનું વર્તમાન મૂલ્ય હવે 10 અબજ ડોલર છે. શેરનો ભાવ અત્યારે ત્રણ ડોલર આસપાસ ચાલી રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં છેલ્લા થોડા સમયથી બેંકમાં ઘણા ગોટાળા બહાર આવ્યા છે. આ ગોટાળાના કારણે હવે રોકાણકારોને બેન્કિંગ વ્યવસ્થા ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે. આ બેંક નાદાર જાહેર થશે અથવા તો અન્ય મોટી સ્વીસ બેંક યુબીએસ (UBS) સાથે મર્જ થાય તેવી શક્યતા છે. 


બેંકનો ઈતિહાસ શું છે?


સ્વિત્ઝરલેન્ડમાં રેલ નેટવર્કની સ્થાપના કરવા અને તેનું ભંડોળ ઉભું કરવા માટે વર્ષ 1856 એટલે કે 166  વર્ષ પહેલા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી 1900થી ક્રેડિટ સ્વિસ એક બેંક તરીકે કામ કરે છે. દુનિયામાં ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રે સૌથી મોટી કંપનીઓમાં આનો સમાવેશ થાય છે. એટલું જ નહી નાણા રોકાણ કરનાર વ્યક્તિની ઓળખ છૂપાવવા માટે જાણીતી સ્વિસ બેંકોમાં તે સૌથી મોટી બેંક છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.