128 વર્ષ પછી Olympicમાં હવેથી રમાશે ક્રિકેટ, IOCએ જણાવ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ ઉપરાંત રમાશે આ ગેમ્સ


  • Published By :
  • Published Date : 2023-10-16 17:03:09

આપણા દેશમાં ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે. અનેક લોકો એવા હશે જે ક્રિકેટને National Sports ગણતા હશે. ભારત તેમજ વિશ્વમાં ક્રિકેટને ચાહનારો એક આખો મોટો અલગ વર્ગ છે. ત્યારે હવે ઓલિમ્પિકની ગેમ્સમાં પણ મેચ રમાશે કારણ કે 128 વર્ષ બાદ ક્રિકેટની ઘરવાપસી ઓલિમ્પિકમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ ફાઈનલ. છે. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચ રમાશે. 

ક્રિકેટનો ઓલિમ્પિકમાં કરાયો સમાવેશ  

ક્રિકેટને ઓલિમ્પિલક ગેમ્સમાં સામેલ કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉઠી રહી હતી. ક્રિકેટનો અલગ ફેન બેઝ રહેલો છે. ક્રિકેટ આપણા દેશની લોકપ્રિય રમત છે. ત્યારે ઓલિમ્પિક ગેમ્સમાં હવે ક્રિકેટ પણ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે 

ઓલિમ્પિકમાં ક્રિકેટ સિવાય અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તે માટે બધાએ સહમતી દર્શાવી પરંતુ બે વોટ આના વિરૂદ્ધ પડ્યા હતા. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા. 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિકમાં કરાયો છે. ક્રિકેટ ફેન્સમાં આ સમાચાર સાંભળીને ઉત્સાહ વધ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.