128 વર્ષ પછી Olympicમાં હવેથી રમાશે ક્રિકેટ, IOCએ જણાવ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ ઉપરાંત રમાશે આ ગેમ્સ


  • Published By :
  • Published Date : 2023-10-16 17:03:09

આપણા દેશમાં ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે. અનેક લોકો એવા હશે જે ક્રિકેટને National Sports ગણતા હશે. ભારત તેમજ વિશ્વમાં ક્રિકેટને ચાહનારો એક આખો મોટો અલગ વર્ગ છે. ત્યારે હવે ઓલિમ્પિકની ગેમ્સમાં પણ મેચ રમાશે કારણ કે 128 વર્ષ બાદ ક્રિકેટની ઘરવાપસી ઓલિમ્પિકમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ ફાઈનલ. છે. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચ રમાશે. 

ક્રિકેટનો ઓલિમ્પિકમાં કરાયો સમાવેશ  

ક્રિકેટને ઓલિમ્પિલક ગેમ્સમાં સામેલ કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉઠી રહી હતી. ક્રિકેટનો અલગ ફેન બેઝ રહેલો છે. ક્રિકેટ આપણા દેશની લોકપ્રિય રમત છે. ત્યારે ઓલિમ્પિક ગેમ્સમાં હવે ક્રિકેટ પણ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે 

ઓલિમ્પિકમાં ક્રિકેટ સિવાય અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તે માટે બધાએ સહમતી દર્શાવી પરંતુ બે વોટ આના વિરૂદ્ધ પડ્યા હતા. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા. 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિકમાં કરાયો છે. ક્રિકેટ ફેન્સમાં આ સમાચાર સાંભળીને ઉત્સાહ વધ્યો છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.