128 વર્ષ પછી Olympicમાં હવેથી રમાશે ક્રિકેટ, IOCએ જણાવ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ ઉપરાંત રમાશે આ ગેમ્સ


  • Published By :
  • Published Date : 2023-10-16 17:03:09

આપણા દેશમાં ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે. અનેક લોકો એવા હશે જે ક્રિકેટને National Sports ગણતા હશે. ભારત તેમજ વિશ્વમાં ક્રિકેટને ચાહનારો એક આખો મોટો અલગ વર્ગ છે. ત્યારે હવે ઓલિમ્પિકની ગેમ્સમાં પણ મેચ રમાશે કારણ કે 128 વર્ષ બાદ ક્રિકેટની ઘરવાપસી ઓલિમ્પિકમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ ફાઈનલ. છે. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચ રમાશે. 

ક્રિકેટનો ઓલિમ્પિકમાં કરાયો સમાવેશ  

ક્રિકેટને ઓલિમ્પિલક ગેમ્સમાં સામેલ કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉઠી રહી હતી. ક્રિકેટનો અલગ ફેન બેઝ રહેલો છે. ક્રિકેટ આપણા દેશની લોકપ્રિય રમત છે. ત્યારે ઓલિમ્પિક ગેમ્સમાં હવે ક્રિકેટ પણ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે 

ઓલિમ્પિકમાં ક્રિકેટ સિવાય અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તે માટે બધાએ સહમતી દર્શાવી પરંતુ બે વોટ આના વિરૂદ્ધ પડ્યા હતા. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા. 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિકમાં કરાયો છે. ક્રિકેટ ફેન્સમાં આ સમાચાર સાંભળીને ઉત્સાહ વધ્યો છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.