128 વર્ષ પછી Olympicમાં હવેથી રમાશે ક્રિકેટ, IOCએ જણાવ્યું કે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટ ઉપરાંત રમાશે આ ગેમ્સ


  • Published By :
  • Published Date : 2023-10-16 17:03:09

આપણા દેશમાં ક્રિકેટને ઘણું મહત્વ આપવામાં આવે છે. અનેક લોકો એવા હશે જે ક્રિકેટને National Sports ગણતા હશે. ભારત તેમજ વિશ્વમાં ક્રિકેટને ચાહનારો એક આખો મોટો અલગ વર્ગ છે. ત્યારે હવે ઓલિમ્પિકની ગેમ્સમાં પણ મેચ રમાશે કારણ કે 128 વર્ષ બાદ ક્રિકેટની ઘરવાપસી ઓલિમ્પિકમાં થઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ  2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્રિકેટની રમતને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર મળતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. એવું પણ લોકો કહી રહ્યા છે કે ઓલિમ્પિકમાં ભારતનો એક મેડલ ફાઈનલ. છે. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. એટલે કે તે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ મેચ રમાશે. 

ક્રિકેટનો ઓલિમ્પિકમાં કરાયો સમાવેશ  

ક્રિકેટને ઓલિમ્પિલક ગેમ્સમાં સામેલ કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ઉઠી રહી હતી. ક્રિકેટનો અલગ ફેન બેઝ રહેલો છે. ક્રિકેટ આપણા દેશની લોકપ્રિય રમત છે. ત્યારે ઓલિમ્પિક ગેમ્સમાં હવે ક્રિકેટ પણ રમાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં આયોજિત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશનના સત્રમાં ક્રિકેટનો સત્તાવાર રીતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જ આ લગભગ નિશ્ચિત હતું કારણ કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે આયોજક સમિતિના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં આયોજિત IOC સત્રમાં મતદાન થયું, ત્યારબાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી.

128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં રમાશે 

ઓલિમ્પિકમાં ક્રિકેટ સિવાય અનેક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તે માટે બધાએ સહમતી દર્શાવી પરંતુ બે વોટ આના વિરૂદ્ધ પડ્યા હતા. આ પ્રસ્તાવમાં ક્રિકેટ ઉપરાંત સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસને પણ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યા હતા. 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ ઓલિમ્પિકમાં કરાયો છે. ક્રિકેટ ફેન્સમાં આ સમાચાર સાંભળીને ઉત્સાહ વધ્યો છે. 



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.