ક્રિકેટર રિષભ પંતને નડ્યો ગોઝારો અકસ્માત, પીઠ, પગ અને માથા પર ગંભીર ઈજાઓ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-30 14:03:35

ભારતીય ક્રિકેટ ટીમના લોકપ્રિય ખેલાડી રિષભ પંતની કારનો અકસ્માત થયો છે. ઋષભ પંતની કારનો અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. તેમની મર્સિડીઝ કાર ઉત્તરાખંડની નરસાણ બોર્ડર પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઋષભની ​​હાલત ખતરાની બહાર છે. અન્ય લોકોને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.


રિષભ પંતની પ્લાસ્ટિક સર્જરી કરાશે


આ દુર્ઘટનામાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની પીઠ પર ઊંડા ઘા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેમને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. ડોકટરો તેમની પ્લાસ્ટિક સર્જરી કરવાની વાત કરી રહ્યા છે. રિષભ પંતના કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. પંતની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના ફોટા પણ જોઈ શકાય છે. ડૉક્ટરે જણાવ્યું છે કે પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.