આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યાં, છતાં કેન્દ્ર સરકાર ભાવ ઘટાડતી નથી આવું કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-19 16:18:36

આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવો સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ ઘટીને 75.68 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ  79.65 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતો વર્ષ 2008માં બાદ આ વર્ષે માર્ચમાં 140 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી. ત્યારથી ક્રૂડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની ઓઈલ કંપનીઓને આંતરરાષ્ટ્રિય સ્તરે સસ્તા ઓઈલ અને રશિયા પાસેથી મળતા સસ્તા ઓઈલ એમ બંને રીતે ફાયદો થઈ રહ્યો છે. જો કે તેમ છતાં આ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ લોકોને સસ્તા ઓઈલનો કોઈ લાભ આપતી નથી. 


દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર 


દેશની ત્રણ મોટી ઓઈલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલએ 14 મહિનાથી તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ અગાઉના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ત્રણેય કંપનીઓ 2022 ના ચોથા ક્વાર્ટરથી પેટ્રોલ પર માર્જિન કમાઈ રહી છે, પરંતુ ડીઝલ પર નુકસાન થઈ રહ્યું છે. ઓઈલ કંપનીઓએ 19 જુલાઈ 2023ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા. આ રીતે આજે સતત 428મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


ભારતને રશિયન ઓઈલમાં ભારે ડિસ્કાઉન્ટ   


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. ત્યારે ભારત જ રશિયાની મદદ માટે આગળ આવ્યું. જો કે, રશિયાની તે મદદનો ભારતને પણ જબરદસ્ત ફાયદો થયો, કારણ કે તે સમયે રશિયાનું સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પૈકી ભારત ચીન પછી બીજા ક્રમે હતું. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતે રશિયા પાસેથી ખૂબ જ સસ્તા ભાવે રેકોર્ડ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારતને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ મળતું હતું. એક સમયે આ ડિસ્કાઉન્ટ 25 થી 30 ડોલર હતું. રશિયાથી દરરોજ 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આવી રહ્યું છે. ભારતની કુલ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે, જે યુક્રેન યુદ્ધ પહેલા માત્ર એક ટકા હતો.


લોકોને સસ્તા ક્રૂડનો લાભ ક્યારે?


દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા મહિનાઓથી સ્થિર છે જો કે રસપ્રદ બાબત એ છે કે આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રુડના ભાવ તો ઘટ્યા છે તેમ છતાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી. સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ IOC, HPCL અને BPCL સસ્તા ક્રૂડની ખરીદી કરીને લખલૂંટ કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ આયાતી ક્રૂડ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને તેનો સીધો લાભ આપી શકે છે. જો કે આવી થવાની કોઈ શક્યતા હાલ તો જણાતી નથી. દેશમાં લોકસભાની ચૂંટણી વખતે સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ લોકોને મળશે તેવું નિષ્ણાતોનું માનવું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે