કસ્ટમે શાહરૂખને મુંબઈ એરપોર્ટ પર રોક્યો,સાત લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 15:18:32

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કસ્ટમ્સે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટના સૂત્રો દ્વારા મીડિયા હાઉસને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે શારજાહથી પરત આવી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સે તેમને મુંબઈ એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી રોક્યા હતા. જો કે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર તેના બોડીગાર્ડે રોક્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

Shah Rukh Khan's gesture at Mumbai airport is winning hearts | Bollywood  Bubble

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર તપાસ દરમિયાન અભિનેતા પાસે મોંઘી ઘડિયાળોનું કવર મળી આવ્યું હતું. આ કવર્સની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી. આ કારણોસર, તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લગભગ રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી