કસ્ટમે શાહરૂખને મુંબઈ એરપોર્ટ પર રોક્યો,સાત લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 15:18:32

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કસ્ટમ્સે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટના સૂત્રો દ્વારા મીડિયા હાઉસને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે શારજાહથી પરત આવી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સે તેમને મુંબઈ એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી રોક્યા હતા. જો કે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર તેના બોડીગાર્ડે રોક્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

Shah Rukh Khan's gesture at Mumbai airport is winning hearts | Bollywood  Bubble

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર તપાસ દરમિયાન અભિનેતા પાસે મોંઘી ઘડિયાળોનું કવર મળી આવ્યું હતું. આ કવર્સની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી. આ કારણોસર, તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લગભગ રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .