કસ્ટમે શાહરૂખને મુંબઈ એરપોર્ટ પર રોક્યો,સાત લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-11-12 15:18:32

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને કસ્ટમ્સે 7 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એરપોર્ટ પર તૈનાત એર ઈન્ટેલિજન્સ યુનિટના સૂત્રો દ્વારા મીડિયા હાઉસને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે શાહરૂખ ખાન શુક્રવારે રાત્રે શારજાહથી પરત આવી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સે તેમને મુંબઈ એરપોર્ટ પર લગભગ એક કલાક સુધી રોક્યા હતા. જો કે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાનને મુંબઈ એરપોર્ટ પર તેના બોડીગાર્ડે રોક્યો હતો. જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

Shah Rukh Khan's gesture at Mumbai airport is winning hearts | Bollywood  Bubble

શું છે સમગ્ર મામલો?

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર તપાસ દરમિયાન અભિનેતા પાસે મોંઘી ઘડિયાળોનું કવર મળી આવ્યું હતું. આ કવર્સની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હતી. આ કારણોસર, તેને દંડ ફટકારવામાં આવ્યો હતો અને લગભગ રૂ. 6.83 લાખની કસ્ટમ ડ્યુટી ભરવાનું કહેવામાં આવ્યું હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.