ચક્રવાત 'મોચા' ગંભીર ચક્રવાતનું લેશે રૂપ! વાવાઝોડાના એલર્ટને જોતા પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમ કરાઈ તૈનાત!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:29:52

ચક્રવાત મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તૂફાન આજે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગુરૂવાર સાંજથી ચક્રવાતે ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ વહેશે તેવી આગાહી કરી છે. આ ચક્રવાત બાંગ્લાદેશ મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર મોચા 12મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થશે. એનડીઆરએફની 8 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે અંદમાન અને નિકોબારમાં વરસશે વરસાદ!

દેશના અનેક રાજ્યોમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. મે મહિનામાં ચોમાસા જેવી સિઝનનું નિર્માણ થયું હતું. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી હતી. આઈએમડીની ચેતવણીને લઈ પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન એજન્સીએ ગુરૂવારે ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને અંદમાન અને નિકોબાર ટાપુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય બંગાળીની ખાડીમાં પણ ચક્રવાતને કારણે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.        



એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત!  

ચક્રવાતને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 મેની સાંજે ચક્રવાત આક્રામક બની શકે છે અને દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાનમારના વચ્ચે આવેલા દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. જ્યારે ચક્રવાત ગંભીર રૂપ લેતું હશે ત્યારે હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકે વહી શકે છે. ત્યારે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળમાં આઠ જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.