ચક્રવાત 'મોચા' ગંભીર ચક્રવાતનું લેશે રૂપ! વાવાઝોડાના એલર્ટને જોતા પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમ કરાઈ તૈનાત!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:29:52

ચક્રવાત મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તૂફાન આજે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગુરૂવાર સાંજથી ચક્રવાતે ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ વહેશે તેવી આગાહી કરી છે. આ ચક્રવાત બાંગ્લાદેશ મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર મોચા 12મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થશે. એનડીઆરએફની 8 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે અંદમાન અને નિકોબારમાં વરસશે વરસાદ!

દેશના અનેક રાજ્યોમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. મે મહિનામાં ચોમાસા જેવી સિઝનનું નિર્માણ થયું હતું. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી હતી. આઈએમડીની ચેતવણીને લઈ પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન એજન્સીએ ગુરૂવારે ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને અંદમાન અને નિકોબાર ટાપુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય બંગાળીની ખાડીમાં પણ ચક્રવાતને કારણે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.        



એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત!  

ચક્રવાતને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 મેની સાંજે ચક્રવાત આક્રામક બની શકે છે અને દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાનમારના વચ્ચે આવેલા દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. જ્યારે ચક્રવાત ગંભીર રૂપ લેતું હશે ત્યારે હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકે વહી શકે છે. ત્યારે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળમાં આઠ જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.