ચક્રવાત 'મોચા' ગંભીર ચક્રવાતનું લેશે રૂપ! વાવાઝોડાના એલર્ટને જોતા પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમ કરાઈ તૈનાત!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:29:52

ચક્રવાત મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તૂફાન આજે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગુરૂવાર સાંજથી ચક્રવાતે ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ વહેશે તેવી આગાહી કરી છે. આ ચક્રવાત બાંગ્લાદેશ મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર મોચા 12મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થશે. એનડીઆરએફની 8 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે અંદમાન અને નિકોબારમાં વરસશે વરસાદ!

દેશના અનેક રાજ્યોમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. મે મહિનામાં ચોમાસા જેવી સિઝનનું નિર્માણ થયું હતું. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી હતી. આઈએમડીની ચેતવણીને લઈ પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન એજન્સીએ ગુરૂવારે ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને અંદમાન અને નિકોબાર ટાપુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય બંગાળીની ખાડીમાં પણ ચક્રવાતને કારણે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.        



એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત!  

ચક્રવાતને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 મેની સાંજે ચક્રવાત આક્રામક બની શકે છે અને દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાનમારના વચ્ચે આવેલા દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. જ્યારે ચક્રવાત ગંભીર રૂપ લેતું હશે ત્યારે હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકે વહી શકે છે. ત્યારે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળમાં આઠ જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.   




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.