ચક્રવાત 'મોચા' ગંભીર ચક્રવાતનું લેશે રૂપ! વાવાઝોડાના એલર્ટને જોતા પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમ કરાઈ તૈનાત!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:29:52

ચક્રવાત મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તૂફાન આજે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગુરૂવાર સાંજથી ચક્રવાતે ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ વહેશે તેવી આગાહી કરી છે. આ ચક્રવાત બાંગ્લાદેશ મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર મોચા 12મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થશે. એનડીઆરએફની 8 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે અંદમાન અને નિકોબારમાં વરસશે વરસાદ!

દેશના અનેક રાજ્યોમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. મે મહિનામાં ચોમાસા જેવી સિઝનનું નિર્માણ થયું હતું. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી હતી. આઈએમડીની ચેતવણીને લઈ પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન એજન્સીએ ગુરૂવારે ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને અંદમાન અને નિકોબાર ટાપુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય બંગાળીની ખાડીમાં પણ ચક્રવાતને કારણે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.        



એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત!  

ચક્રવાતને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 મેની સાંજે ચક્રવાત આક્રામક બની શકે છે અને દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાનમારના વચ્ચે આવેલા દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. જ્યારે ચક્રવાત ગંભીર રૂપ લેતું હશે ત્યારે હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકે વહી શકે છે. ત્યારે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળમાં આઠ જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.