વિનાશકારી ‘સિતરંગ’ વાવાઝોડું ભારતમાં પણ તેનો ‘રંગ’ બતાવશે, પશ્ચિમ બંગાળ આસામ અને ઓડિશામાં રેડ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:22


વાવાઝોડું ‘સિતરંગ’ પડોશી દેશ બાંગ્લાદેશમાં કહેર બનીને ત્રાટક્યા બાદ હવે ભારતમાં  એન્ટ્રી કરી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડાના કારણે  બાંગ્લાદેશમાં લગભગ 24 લોકોના મોત થયા છે તથા અનેક સ્થાનોએ ભયંકર વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાને કારણે હજારો ઘરો તણાઈ ગયા હતા. વિનાશકારી ચક્રવાતના કારણે ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ થયો છે. તોફાન અને વરસાદથી આસામના 80થી વધુ ગામો પર અસર થઈ છે. હવામાન વિભાગે પૂર્વોત્તરના ચાર રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તે ઉપરાંત  બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે.


‘સિતરંગ’ ચક્રવાતે બાંગ્લાદેશમાં ભારે વિનાસ સર્જ્યો 


આ ખતરનાક વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાયું અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું હતું. તે પછી ભારે વરસાદ અને સુસવાટા મારતા પવને સર્વત્ર વિનાશ વેર્યો છે. બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં સર્વત્ર વિનાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દેશભરમાં 10 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે.જ્યારે 6 હજાર હેક્ટરથી વધુનો કૃષિ પાક નાશ પામ્યો છે, હજારો માછીમારી પ્રોજેક્ટ્સને નુકસાન થયું છે અને 24થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં પણ 20 હજારથી વધુ બાંગ્લાદેશીઓ આ તોફાનના જોખમમાં છે. અહીંના દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલ જિલ્લામાં જાન-માલની વધુ નુકસાનની શક્યતા છે.



ભારત પર પણ તોળાઈ રહ્યો છે ખતરો


બાંગ્લાદેશ ભારતમાં પણ આ ખતરનાક વાવાઝોડું ભારે વિનાસ સર્જે તેવું માનવામાં આવી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યો આ વિનાશકારી વાવાઝોડાની ઝપેટમાં આવી શકે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ તોફાન તબાહી મચાવી શકે છે. સિતરંગ વાવાઝોડાના કારણે હવામાન વિભાગે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે, જેથી અનેક લોકો લોકો બેઘર થયા છે. તે ઉપરાંત બિહારમાં પણ ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે