દિવાળી ટાળે ચક્વાતની આગાહી, સિતરંગ વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-23 14:11:00

દેશ પર વધુ એક વાવાઝાડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઈ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડાની આશંકા છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. 


હવામાન વિભાહે જાહેર કરી ત્રણેય એલર્ટ


હવામાન વિભાગે આ સિતરંગ વાવાઝોડાંને ધ્યાનમાં લઇને કેટલીક જગ્યાએ રેડ, ક્યાંક ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જારી કરેલ છે. સિતરંગ વાવાઝોડું બંગાળની સીમા પાસેથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તો તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે અને ગસ્ટિંગ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડું 25 ઑક્ટોબરની સવારે બાંગ્લાદેશ કોસ્ટમાં તિનોકાના દ્વીપ અને સાન દ્વીપની વચ્ચેથી પસાર થશે.  


ભારે વરસાદની આગાહી


સિતરંગ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગનાંમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તર આંદામાન સમુદ્ર, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની સંભાવના કરી છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે