દિવાળી ટાળે ચક્વાતની આગાહી, સિતરંગ વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-23 14:11:00

દેશ પર વધુ એક વાવાઝાડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઈ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડાની આશંકા છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. 


હવામાન વિભાહે જાહેર કરી ત્રણેય એલર્ટ


હવામાન વિભાગે આ સિતરંગ વાવાઝોડાંને ધ્યાનમાં લઇને કેટલીક જગ્યાએ રેડ, ક્યાંક ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જારી કરેલ છે. સિતરંગ વાવાઝોડું બંગાળની સીમા પાસેથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તો તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે અને ગસ્ટિંગ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડું 25 ઑક્ટોબરની સવારે બાંગ્લાદેશ કોસ્ટમાં તિનોકાના દ્વીપ અને સાન દ્વીપની વચ્ચેથી પસાર થશે.  


ભારે વરસાદની આગાહી


સિતરંગ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગનાંમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તર આંદામાન સમુદ્ર, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની સંભાવના કરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી