ધોતી ઝભ્ભો પહેરી હોસ્પિટલમાં દાદાએ કર્યો ડાન્સ! દોસ્તને ખુશ કરવા મિત્રએ એવો ડાન્સ કર્યો કે વીડિયો થઈ ગયો વાયરલ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-09 17:11:05

આપણાં જીવનમાં મિત્રતાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે આપણા પરિવારને સિલેક્ટ નથી કરી શક્તા પરંતુ મિત્રો આપણે પસંદ કરી શકીએ છીએ. મિત્રતા માટે આપણે ત્યાં અનેક કહેવતો લખાયેલી છે. જે તમારા દુખમાં દુખી હોય, તમારા સુખમાં સુખી હોય, ભગવાન જેને લોહીના સંબંધથી બાંધવાનું ભૂલી જાય છે ને તેને મિત્ર બનાવી દે છે, સહિતની અનેક કહેવતો આપણે ત્યાં પ્રચલિત છે. ત્યારે આપણી ખૂશી માટે મિત્ર કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ઘરડા દર્દી બેડ પર બેઠા છે. તેમની સામે તેમના ઘરડા મિત્રો ડાન્સ કરી રહ્યા છે. આજુબાજુ નર્સ છે, દર્દીઓના પરિવારજનો છે પરંતુ તેમની પરવાહ કર્યા વગર મિત્રો પોતાના દોસ્તને ખુશ કરવા ડાન્સ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે અને અલગ અલગ રિએક્શન યુઝર્સ આપી રહ્યા છે.

 


મિત્રના ચહેરા પર સ્મિત લાવવા મિત્રોનો પ્રયાસ!

સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોસ્પિટલનું નામ સાંભળતા જ તમને લાગતું હશે કે કોઈ દુખદ ઘટનાનો વીડિયો હશે પરંતુ ના, વીડિયોમાં ડાન્સ છે સોન્ગ છે. મિત્ર દર્દીને સારૂ લાગે તે માટે ઘરડા મિત્ર તેમની સામે ડાન્સ કરી રહ્યા છે. આજુબાજુ કોણ છે તેની પરવાહ નથી કરતા માત્ર મિત્રને સારૂં લાગે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે  ભોપાલની હોસ્પિટલનો માનવામાં આવી રહ્યો છે. 


અનેક યુઝર્સે વીડિયો પર આપી પ્રતિક્રિયા! 

વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. કોમેન્ટમાં લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે દાદાજીએ દિલ ખુશ કરી દીધું. તો કોઈએ લખ્યું વોર્ડના પેશન્ટને આજે દવા નહીં ખાવી પડી હોય. ગ્રેટ દાદૂ. આજે હું ફરી જિંદગીનો દિવાનો થઈ ગયો છું. રિએક્શન આપતા તેમણે કહ્યું કે કાશ આખી દુનિયામાં આવો પ્રેમ હોત. એક યુઝર્સે લખ્યું કે આ જોઈને તો દસ મિનિટ માટે યમરાજને પણ રોકાવું પડશે, વિચારવું અને સમજવું પડશે. ત્યારે તમને મિત્રો વચ્ચેનો પ્રેમ કેવો લાગ્યો તે જણાવો.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.