મુંબઈની લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત! આસપાસના લોકો ઝુમી ઉઠ્યા અને વીડિયો થઈ ગયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 17:04:53

છેલ્લા ઘણા સમયથી દિલ્હીની મેટ્રો ટ્રેન લડાઈ ઝઘડાના તેમજ મારા મારીના સમાચારને કારણે ચર્ચામાં રહી છે. ક્યારેક કોઈ વાળ ખેંચતા દેખાય છે તો ક્યારેક ટ્રેનમાં વાળ સરખા કરાતા હોય તેવા વીડિયો સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક લોકલ ટ્રેનનો છે જેમાં એક મોટી ઉંમરના દાદા સફર કરી રહ્યા છે. અને ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અનેક લોકો પણ જોડાયા છે. કોઈ ડાન્સ કરી રહ્યા છે તો કોઈ ગીત ગાઈ રહ્યા છે. 

લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત!

કહેવાય છે કે જો મોજ કરવી હોય તો કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. જેને ખુશ રહેવું છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ટ્રેનમાં ગાઈ રહ્યા છે અને તેમની સાથે અનેક લોકો નાચી પણ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોને શશાંક પાંડે નામના યુઝરે શેર કર્યો છે. વૃદ્ધ કાકા ઓ મેરે દિલ કે ચેન સોન્ગને ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન મુસાફરોથી ભરેલી છે. અનેક મુસાફરો આસપાસ ઉભા છે અને અચાનક ભીડમાં ઉભેલા કાકા ગીત ગાવાનું શરૂ દે છે. ત્યાં ઉભેલા લોકો પણ ઝૂમી ઉઠ્યા છે. લોકો જોરદાર ડાન્સ કરવા લાગ્યા. કિશોર કુમારનું ગીત કાકા ગાઈ રહ્યા છે. 


લોકોને પસંદ આવી રહ્યો છે કાકાનો વીડિયો 

વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે કોણ કહે છે કે અને ટ્રેનમાં ફક્ત લડીએ છીએ. મળતી માહિતી અનુસાર આ ક્યુટ વીડિયો 1 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો. હજારો લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. વીડિયોને હજારો લાઈક મળી ગયા છે. વીડિયો જોઈને અનેક યુઝર્સે અલગ અલગ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું કે મને આવી ટ્રેન કેમ નથી મળતી. તો કોઈએ લખ્યું કે આને કહેવાય ટેંશનમાં પણ એન્જોય કરવું. કોઈએ લખ્યું કે મુંબઈ અને દિલ્હી મેટ્રોમાં આજ તો અંતર છે. કાકા જે ગીતને ગાઈ રહ્યા છે તે ગીતને કિશોર કુમારે  1972માં ફિલ્મ મેરે જીવન સાથી માટે ગાયું હતું. ફિલ્મને ઘણા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ ગીત સાંભળીને જૂની પેઢી ઝૂમી ઉઠે છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.