મુંબઈની લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત! આસપાસના લોકો ઝુમી ઉઠ્યા અને વીડિયો થઈ ગયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 17:04:53

છેલ્લા ઘણા સમયથી દિલ્હીની મેટ્રો ટ્રેન લડાઈ ઝઘડાના તેમજ મારા મારીના સમાચારને કારણે ચર્ચામાં રહી છે. ક્યારેક કોઈ વાળ ખેંચતા દેખાય છે તો ક્યારેક ટ્રેનમાં વાળ સરખા કરાતા હોય તેવા વીડિયો સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક લોકલ ટ્રેનનો છે જેમાં એક મોટી ઉંમરના દાદા સફર કરી રહ્યા છે. અને ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અનેક લોકો પણ જોડાયા છે. કોઈ ડાન્સ કરી રહ્યા છે તો કોઈ ગીત ગાઈ રહ્યા છે. 

લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત!

કહેવાય છે કે જો મોજ કરવી હોય તો કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. જેને ખુશ રહેવું છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ટ્રેનમાં ગાઈ રહ્યા છે અને તેમની સાથે અનેક લોકો નાચી પણ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોને શશાંક પાંડે નામના યુઝરે શેર કર્યો છે. વૃદ્ધ કાકા ઓ મેરે દિલ કે ચેન સોન્ગને ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન મુસાફરોથી ભરેલી છે. અનેક મુસાફરો આસપાસ ઉભા છે અને અચાનક ભીડમાં ઉભેલા કાકા ગીત ગાવાનું શરૂ દે છે. ત્યાં ઉભેલા લોકો પણ ઝૂમી ઉઠ્યા છે. લોકો જોરદાર ડાન્સ કરવા લાગ્યા. કિશોર કુમારનું ગીત કાકા ગાઈ રહ્યા છે. 


લોકોને પસંદ આવી રહ્યો છે કાકાનો વીડિયો 

વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે કોણ કહે છે કે અને ટ્રેનમાં ફક્ત લડીએ છીએ. મળતી માહિતી અનુસાર આ ક્યુટ વીડિયો 1 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો. હજારો લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. વીડિયોને હજારો લાઈક મળી ગયા છે. વીડિયો જોઈને અનેક યુઝર્સે અલગ અલગ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું કે મને આવી ટ્રેન કેમ નથી મળતી. તો કોઈએ લખ્યું કે આને કહેવાય ટેંશનમાં પણ એન્જોય કરવું. કોઈએ લખ્યું કે મુંબઈ અને દિલ્હી મેટ્રોમાં આજ તો અંતર છે. કાકા જે ગીતને ગાઈ રહ્યા છે તે ગીતને કિશોર કુમારે  1972માં ફિલ્મ મેરે જીવન સાથી માટે ગાયું હતું. ફિલ્મને ઘણા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ ગીત સાંભળીને જૂની પેઢી ઝૂમી ઉઠે છે.   



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.