મુંબઈની લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત! આસપાસના લોકો ઝુમી ઉઠ્યા અને વીડિયો થઈ ગયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-21 17:04:53

છેલ્લા ઘણા સમયથી દિલ્હીની મેટ્રો ટ્રેન લડાઈ ઝઘડાના તેમજ મારા મારીના સમાચારને કારણે ચર્ચામાં રહી છે. ક્યારેક કોઈ વાળ ખેંચતા દેખાય છે તો ક્યારેક ટ્રેનમાં વાળ સરખા કરાતા હોય તેવા વીડિયો સામે આવતા રહે છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમારા ચહેરા પર સ્માઈલ આવી જશે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે એક લોકલ ટ્રેનનો છે જેમાં એક મોટી ઉંમરના દાદા સફર કરી રહ્યા છે. અને ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અનેક લોકો પણ જોડાયા છે. કોઈ ડાન્સ કરી રહ્યા છે તો કોઈ ગીત ગાઈ રહ્યા છે. 

લોકલ ટ્રેનમાં દાદાએ ગાયું કિશોર કુમારનું ગીત!

કહેવાય છે કે જો મોજ કરવી હોય તો કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. જેને ખુશ રહેવું છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ટ્રેનમાં ગાઈ રહ્યા છે અને તેમની સાથે અનેક લોકો નાચી પણ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોને શશાંક પાંડે નામના યુઝરે શેર કર્યો છે. વૃદ્ધ કાકા ઓ મેરે દિલ કે ચેન સોન્ગને ગાઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેન મુસાફરોથી ભરેલી છે. અનેક મુસાફરો આસપાસ ઉભા છે અને અચાનક ભીડમાં ઉભેલા કાકા ગીત ગાવાનું શરૂ દે છે. ત્યાં ઉભેલા લોકો પણ ઝૂમી ઉઠ્યા છે. લોકો જોરદાર ડાન્સ કરવા લાગ્યા. કિશોર કુમારનું ગીત કાકા ગાઈ રહ્યા છે. 


લોકોને પસંદ આવી રહ્યો છે કાકાનો વીડિયો 

વીડિયો શેર કરતા યુઝરે લખ્યું કે કોણ કહે છે કે અને ટ્રેનમાં ફક્ત લડીએ છીએ. મળતી માહિતી અનુસાર આ ક્યુટ વીડિયો 1 જૂનના રોજ શેર કરવામાં આવ્યો હતો. હજારો લોકોને આ વીડિયો પસંદ આવી રહ્યો છે. વીડિયોને હજારો લાઈક મળી ગયા છે. વીડિયો જોઈને અનેક યુઝર્સે અલગ અલગ કમેન્ટ કરી છે. કોઈએ લખ્યું કે મને આવી ટ્રેન કેમ નથી મળતી. તો કોઈએ લખ્યું કે આને કહેવાય ટેંશનમાં પણ એન્જોય કરવું. કોઈએ લખ્યું કે મુંબઈ અને દિલ્હી મેટ્રોમાં આજ તો અંતર છે. કાકા જે ગીતને ગાઈ રહ્યા છે તે ગીતને કિશોર કુમારે  1972માં ફિલ્મ મેરે જીવન સાથી માટે ગાયું હતું. ફિલ્મને ઘણા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ ગીત સાંભળીને જૂની પેઢી ઝૂમી ઉઠે છે.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.