આ વર્ષનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આશા પારેખને આપવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 14:46:07

દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2022 બોલિવૂડની પીઢ અભિનેત્રી આશા પારેખને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કટી પતંગ અને આન મિલો સજના જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ આ સન્માન આપવામાં આવી રહ્યું છે.

Asha Parekh says she wasn't destined to get married, but has absolutely no  regrets - Movies News

'આન મિલો સજના' અને 'કટી પતંગ' જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2022'થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ઠાકુરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું છે. 60-70ના દાયકામાં પોતાની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલો પર રાજ કરનાર આશા પારેખને બોલિવૂડમાં તેમના અજોડ યોગદાન માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.


આશા પારેખે પોતાની કારકિર્દી બાળપણમાં શરૂ કરી હતી

Happy Birthday Asha Parekh: The Actress Who Made Us Go 'O Haseena  Zulfonwali' With Her Charm - Filmibeat

આશા પારેખ હિન્દી સિનેમાની એક એવી અભિનેત્રી છે, જેણે ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે 1952માં આવેલી ફિલ્મ 'મા'થી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, બાળ કલાકાર તરીકે, તેણે આસમાન, ધોબી ડોક્ટર, બાપ બેટી જેવી ફિલ્મોમાં કામ કર્યું. 1959 માં, તેણે શમ્મી કપૂરની વિરુદ્ધ ફિલ્મ 'દિલ દેકે દેખો' સાથે બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં આશા પારેખને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી પીઢ અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તીસરી મંઝીલ, પ્યાર કા મૌસમ, મેરા ગાંવ મેરા દેશ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી.


આ બોલિવૂડ સ્ટાર્સને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો છે 

સરકાર દ્વારા આયોજિત 'દાદા સાહેબ ફાળકે' પુરસ્કારોથી અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2012 માં, હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય ખલનાયક અભિનેતા પ્રાણને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી, 2013માં ગીતકાર ગુલઝાર, 2014માં શશિ કપૂર, 2015માં મનોજ કુમાર, 2017માં વિનોદ ખન્ના, 2018માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વર્ષ 2021માં સાઉથ અને હિન્દી સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતને હિન્દીમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.