Dahod : Gujaratમાં દારૂબંધીના લીરેલીરા, રાજાપાઠમાં આવેલા પોલીસકર્મીએ કર્યું ફાયરિંગ, સર્જાયો અફરા-તફરીનો માહોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 12:48:10

ગુજરાતમાં દારૂબંધી છે પંરતુ માત્ર કાગળ પર તે વાત આપણે સૌ જાણીએ છીએ. અવારનવાર એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ આપણને થાય કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે ત્યારે જે કિસ્સાઓ સામે આવતા હોય છે તે યાદ આવે છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં કોન્સ્ટેબલ ખુદ નશાની હાલતમાં દેખાયા હતા. નશાની હાલતમાં તો હતા જ પરંતુ તેમણે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 

Dahod: Drunk police constable fired in Dahod Dahod:  દાહોદમાં દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે હવામાં કર્યું ફાયરિંગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

દારૂબંધી હોવા છતાંય અનેક લોકો દેખાય છે નશાની હાલતમાં 

આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહેવામાં આવી છે. ડ્રાય સ્ટેટ એટલે એ જગ્ચા જ્યાં દારૂ નથી મળતું, દારૂ વેચવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ ગુજરાતમાં કેટલું દારૂ વેચાય છે તે વાસ્તવિક્તા આપણને ખબર છે. અવાર-નવાર સમાચાર સામે આવતા હોય છે જેમાં ખબર પડે છે કે દારૂબંધીની કરી વાસ્તવિક્તા શું છે. દારૂબંધી હોવા છતાંય અનેક લોકો જાહેરમાં દારૂ પીને આવતા હોય છે. 


નશાની હાલતમાં પોલીસકર્મીએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં શિક્ષક નશાની હાલતમાં શાળાએ પહોંચ્યા હતા. પોલીસકર્મીઓ પણ નશાની અવસ્થામાં દેખાતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં નશામાં તરબોળ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ચીક્કાર દારૂ પીને પોલીસ કોન્સ્ટેબલે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસકર્મી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે જે પોલીસકર્મીએ હવામાં ફાયરિંગ કર્યું છે તે દાદોહમાં કલેક્ટર કચેરીના ઈવીએમ વેર હાઉસના કમ્પાઉન્ડમાં ફરજ નિભાવતા હતા અને ફરજ પૂર્ણ કરી તે પરત ફરી રહ્યા હતા. 


દારૂની હેરફેર કરતા ઝડપાયા હતા પોલીસકોન્સ્ટેબલ 

મહત્વનું છે કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોય છે. રાજ્યમાં કાયદાનું પાલન થાય તે માટે પોલીસને રાખવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે કાયદાનું પાલન કરનાર જ કાયદાને તોડે ત્યારે? પોલીસ વિભાગમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જે પોલીસની છબીને બગાડી દેતા હોય છે. ગઈકાલે પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. સુરતના વાવ એસઆરપી કેમ્પના પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલને પકડી લેવામાં આવ્યા હતા. કમાણીની લાલચમાં કોન્સ્ટેબલ બુટલેગર બન્યા હતા.             



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.