Dahod : Gujaratમાં દારૂબંધીના લીરેલીરા, રાજાપાઠમાં આવેલા પોલીસકર્મીએ કર્યું ફાયરિંગ, સર્જાયો અફરા-તફરીનો માહોલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 12:48:10

ગુજરાતમાં દારૂબંધી છે પંરતુ માત્ર કાગળ પર તે વાત આપણે સૌ જાણીએ છીએ. અવારનવાર એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ આપણને થાય કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે ત્યારે જે કિસ્સાઓ સામે આવતા હોય છે તે યાદ આવે છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં કોન્સ્ટેબલ ખુદ નશાની હાલતમાં દેખાયા હતા. નશાની હાલતમાં તો હતા જ પરંતુ તેમણે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 

Dahod: Drunk police constable fired in Dahod Dahod:  દાહોદમાં દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે હવામાં કર્યું ફાયરિંગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

દારૂબંધી હોવા છતાંય અનેક લોકો દેખાય છે નશાની હાલતમાં 

આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહેવામાં આવી છે. ડ્રાય સ્ટેટ એટલે એ જગ્ચા જ્યાં દારૂ નથી મળતું, દારૂ વેચવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ ગુજરાતમાં કેટલું દારૂ વેચાય છે તે વાસ્તવિક્તા આપણને ખબર છે. અવાર-નવાર સમાચાર સામે આવતા હોય છે જેમાં ખબર પડે છે કે દારૂબંધીની કરી વાસ્તવિક્તા શું છે. દારૂબંધી હોવા છતાંય અનેક લોકો જાહેરમાં દારૂ પીને આવતા હોય છે. 


નશાની હાલતમાં પોલીસકર્મીએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં શિક્ષક નશાની હાલતમાં શાળાએ પહોંચ્યા હતા. પોલીસકર્મીઓ પણ નશાની અવસ્થામાં દેખાતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં નશામાં તરબોળ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ચીક્કાર દારૂ પીને પોલીસ કોન્સ્ટેબલે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસકર્મી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે જે પોલીસકર્મીએ હવામાં ફાયરિંગ કર્યું છે તે દાદોહમાં કલેક્ટર કચેરીના ઈવીએમ વેર હાઉસના કમ્પાઉન્ડમાં ફરજ નિભાવતા હતા અને ફરજ પૂર્ણ કરી તે પરત ફરી રહ્યા હતા. 


દારૂની હેરફેર કરતા ઝડપાયા હતા પોલીસકોન્સ્ટેબલ 

મહત્વનું છે કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોય છે. રાજ્યમાં કાયદાનું પાલન થાય તે માટે પોલીસને રાખવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે કાયદાનું પાલન કરનાર જ કાયદાને તોડે ત્યારે? પોલીસ વિભાગમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જે પોલીસની છબીને બગાડી દેતા હોય છે. ગઈકાલે પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. સુરતના વાવ એસઆરપી કેમ્પના પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલને પકડી લેવામાં આવ્યા હતા. કમાણીની લાલચમાં કોન્સ્ટેબલ બુટલેગર બન્યા હતા.             



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.