વર્ષ 2018થી દલિતો પર હુમલાના લગભગ 1,89,000 કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર


  • Published By :
  • Published Date : 2023-03-23 14:35:23

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓથી પણ વાતને સમર્થન મળે છે. સરકારે સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રિય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 4 વર્ષમાં દલિત સમુદાય સામેના ગુનાના લગભગ 1,89,945 કેસ નોંધાયા છે.


BSPના સાંસદે કર્યો હતો સવાલ


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ ગિરીશ ચંદ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ગિરીશ ચંદ્રએ 2018થી દલિતો પર હુમલાની ઘટનાઓના આંકડાઓ માંગ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું આવી ઘટનાઓ પર નજર રાખવા માટે કોઈ તંત્ર છે? તે અંગે મિશ્રાએ કહ્યું કે NCRB દ્વારા તેના પ્રકાશન 'ક્રાઈમ ઈન ઈન્ડિયા'માં ગુનાઓ પર આંકડાકીય માહિતીનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે, તેણે એક રિપોર્ટ બનાવ્યો હતો જે 2021માં પ્રકાશિત થયો હતો અને આંકડા આ સંદર્ભમાં હતો.


SCઅને STની સુરક્ષા માટે કેન્દ્રએ આપી છે એડવાઈઝરી


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે પોલીસ અને જાહેર વ્યવસ્થાની બાબતો સંપૂર્ણપણે રાજ્ય સરકારના શાસન હેઠળ આવે છે, તેમ છતાં, MHA (ગૃહમંત્રાલયે) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ના અસરકારક અમલીકરણ માટે સમય સમય પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપી છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.