વર્ષ 2018થી દલિતો પર હુમલાના લગભગ 1,89,000 કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર


  • Published By :
  • Published Date : 2023-03-23 14:35:23

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓથી પણ વાતને સમર્થન મળે છે. સરકારે સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રિય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 4 વર્ષમાં દલિત સમુદાય સામેના ગુનાના લગભગ 1,89,945 કેસ નોંધાયા છે.


BSPના સાંસદે કર્યો હતો સવાલ


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ ગિરીશ ચંદ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ગિરીશ ચંદ્રએ 2018થી દલિતો પર હુમલાની ઘટનાઓના આંકડાઓ માંગ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું આવી ઘટનાઓ પર નજર રાખવા માટે કોઈ તંત્ર છે? તે અંગે મિશ્રાએ કહ્યું કે NCRB દ્વારા તેના પ્રકાશન 'ક્રાઈમ ઈન ઈન્ડિયા'માં ગુનાઓ પર આંકડાકીય માહિતીનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે, તેણે એક રિપોર્ટ બનાવ્યો હતો જે 2021માં પ્રકાશિત થયો હતો અને આંકડા આ સંદર્ભમાં હતો.


SCઅને STની સુરક્ષા માટે કેન્દ્રએ આપી છે એડવાઈઝરી


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે પોલીસ અને જાહેર વ્યવસ્થાની બાબતો સંપૂર્ણપણે રાજ્ય સરકારના શાસન હેઠળ આવે છે, તેમ છતાં, MHA (ગૃહમંત્રાલયે) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ના અસરકારક અમલીકરણ માટે સમય સમય પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.