વર્ષ 2018થી દલિતો પર હુમલાના લગભગ 1,89,000 કેસ નોંધાયા: કેન્દ્ર સરકાર


  • Published By :
  • Published Date : 2023-03-23 14:35:23

દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના આંકડાઓથી પણ વાતને સમર્થન મળે છે. સરકારે સંસદમાં જણાવ્યું કે રાષ્ટ્રિય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 4 વર્ષમાં દલિત સમુદાય સામેના ગુનાના લગભગ 1,89,945 કેસ નોંધાયા છે.


BSPના સાંસદે કર્યો હતો સવાલ


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય કુમાર મિશ્રા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ ગિરીશ ચંદ્ર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, ગિરીશ ચંદ્રએ 2018થી દલિતો પર હુમલાની ઘટનાઓના આંકડાઓ માંગ્યા હતા અને સરકારને પૂછ્યું હતું કે શું આવી ઘટનાઓ પર નજર રાખવા માટે કોઈ તંત્ર છે? તે અંગે મિશ્રાએ કહ્યું કે NCRB દ્વારા તેના પ્રકાશન 'ક્રાઈમ ઈન ઈન્ડિયા'માં ગુનાઓ પર આંકડાકીય માહિતીનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે, તેણે એક રિપોર્ટ બનાવ્યો હતો જે 2021માં પ્રકાશિત થયો હતો અને આંકડા આ સંદર્ભમાં હતો.


SCઅને STની સુરક્ષા માટે કેન્દ્રએ આપી છે એડવાઈઝરી


કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાને તે બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે પોલીસ અને જાહેર વ્યવસ્થાની બાબતો સંપૂર્ણપણે રાજ્ય સરકારના શાસન હેઠળ આવે છે, તેમ છતાં, MHA (ગૃહમંત્રાલયે) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ના અસરકારક અમલીકરણ માટે સમય સમય પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી આપી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.