સપના ચૌધરીના ગીત પર જાનૈયાઓએ ફ્લાઈટમાં લગાવ્યા ઠુમકા! 37 હજાર ફૂટની ઊંંચાઈ પર જાનૈયાઓએ બનાવ્યો લગ્નનો માહોલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-22 10:53:19

આપણામાંથી ઘણા લોકોને ડાન્સ કરવું પસંદ હશે. ઘણા લોકો તો એવા હોય છે કે મ્યુઝિક શરૂ થયું નથી કે ડાન્સ કરવાનું શરૂ કર્યું નથી. અને એમાંય જો કોઈના લગ્નમાં ડાન્સ કરવાનો હોય તો તો વાત જ અલગ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંજાબી સોન્ગ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સ જમીન પર નહીં પરંતુ જમીનથી 37 હજાર ફીટની ઉંચાઈ પર ફ્લાઈટમાં ડાન્સ કરવામાં  આવી રહ્યો છે. હરિણાયવી કલાકાર તેરી આંખો કા યો કાજલ પર ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


જાનૈયાઓએ ફ્લાઈટમાં જ કર્યો ડાન્સ! 

લગ્નની સિઝન દરમિયાન ડાન્સના અનેક વીડિયો સામે આવતા હોય છે. અમુક એવા વીડિયો હોય છે જે ખુબ ઝપડથી વાયરલ થતાં હોય છે ત્યારે ફ્લાઈટમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીથી કતાર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના આ વીડિયો છે જેમાં તેરી આંખો કા યો કાજલ પર જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત પર જાનૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ પૂરી ફ્લાઈટ જાનૈયાઓએ બુક કરાવી લીધી હતી. ફ્લાઈટમાં ડાન્સ કરતા જાનૈયાઓએ હવામાં જ લગ્નનો માહોલ બનાવી દીધો હતો. 


આ મામલે યુઝર્સે આપી પ્રતિક્રિયા!

આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ફ્લાઈટની અંદર આવા પ્રકારનો હલ્લાબોલ સુરક્ષિત નથી. આ અસુરક્ષિત છે. તો કોઈએ લખ્યું કે બારાતી તો બારાતી છે. દરેક જગ્યાએ દેસી અંદાજ. આ વીડિયો અંગે એરલાઈન્સ તેમજ ડીજીસીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.