સપના ચૌધરીના ગીત પર જાનૈયાઓએ ફ્લાઈટમાં લગાવ્યા ઠુમકા! 37 હજાર ફૂટની ઊંંચાઈ પર જાનૈયાઓએ બનાવ્યો લગ્નનો માહોલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-22 10:53:19

આપણામાંથી ઘણા લોકોને ડાન્સ કરવું પસંદ હશે. ઘણા લોકો તો એવા હોય છે કે મ્યુઝિક શરૂ થયું નથી કે ડાન્સ કરવાનું શરૂ કર્યું નથી. અને એમાંય જો કોઈના લગ્નમાં ડાન્સ કરવાનો હોય તો તો વાત જ અલગ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંજાબી સોન્ગ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સ જમીન પર નહીં પરંતુ જમીનથી 37 હજાર ફીટની ઉંચાઈ પર ફ્લાઈટમાં ડાન્સ કરવામાં  આવી રહ્યો છે. હરિણાયવી કલાકાર તેરી આંખો કા યો કાજલ પર ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


જાનૈયાઓએ ફ્લાઈટમાં જ કર્યો ડાન્સ! 

લગ્નની સિઝન દરમિયાન ડાન્સના અનેક વીડિયો સામે આવતા હોય છે. અમુક એવા વીડિયો હોય છે જે ખુબ ઝપડથી વાયરલ થતાં હોય છે ત્યારે ફ્લાઈટમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીથી કતાર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના આ વીડિયો છે જેમાં તેરી આંખો કા યો કાજલ પર જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત પર જાનૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ પૂરી ફ્લાઈટ જાનૈયાઓએ બુક કરાવી લીધી હતી. ફ્લાઈટમાં ડાન્સ કરતા જાનૈયાઓએ હવામાં જ લગ્નનો માહોલ બનાવી દીધો હતો. 


આ મામલે યુઝર્સે આપી પ્રતિક્રિયા!

આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ફ્લાઈટની અંદર આવા પ્રકારનો હલ્લાબોલ સુરક્ષિત નથી. આ અસુરક્ષિત છે. તો કોઈએ લખ્યું કે બારાતી તો બારાતી છે. દરેક જગ્યાએ દેસી અંદાજ. આ વીડિયો અંગે એરલાઈન્સ તેમજ ડીજીસીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.