સપના ચૌધરીના ગીત પર જાનૈયાઓએ ફ્લાઈટમાં લગાવ્યા ઠુમકા! 37 હજાર ફૂટની ઊંંચાઈ પર જાનૈયાઓએ બનાવ્યો લગ્નનો માહોલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-22 10:53:19

આપણામાંથી ઘણા લોકોને ડાન્સ કરવું પસંદ હશે. ઘણા લોકો તો એવા હોય છે કે મ્યુઝિક શરૂ થયું નથી કે ડાન્સ કરવાનું શરૂ કર્યું નથી. અને એમાંય જો કોઈના લગ્નમાં ડાન્સ કરવાનો હોય તો તો વાત જ અલગ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંજાબી સોન્ગ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સ જમીન પર નહીં પરંતુ જમીનથી 37 હજાર ફીટની ઉંચાઈ પર ફ્લાઈટમાં ડાન્સ કરવામાં  આવી રહ્યો છે. હરિણાયવી કલાકાર તેરી આંખો કા યો કાજલ પર ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


જાનૈયાઓએ ફ્લાઈટમાં જ કર્યો ડાન્સ! 

લગ્નની સિઝન દરમિયાન ડાન્સના અનેક વીડિયો સામે આવતા હોય છે. અમુક એવા વીડિયો હોય છે જે ખુબ ઝપડથી વાયરલ થતાં હોય છે ત્યારે ફ્લાઈટમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીથી કતાર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના આ વીડિયો છે જેમાં તેરી આંખો કા યો કાજલ પર જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત પર જાનૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ પૂરી ફ્લાઈટ જાનૈયાઓએ બુક કરાવી લીધી હતી. ફ્લાઈટમાં ડાન્સ કરતા જાનૈયાઓએ હવામાં જ લગ્નનો માહોલ બનાવી દીધો હતો. 


આ મામલે યુઝર્સે આપી પ્રતિક્રિયા!

આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ફ્લાઈટની અંદર આવા પ્રકારનો હલ્લાબોલ સુરક્ષિત નથી. આ અસુરક્ષિત છે. તો કોઈએ લખ્યું કે બારાતી તો બારાતી છે. દરેક જગ્યાએ દેસી અંદાજ. આ વીડિયો અંગે એરલાઈન્સ તેમજ ડીજીસીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.