સપના ચૌધરીના ગીત પર જાનૈયાઓએ ફ્લાઈટમાં લગાવ્યા ઠુમકા! 37 હજાર ફૂટની ઊંંચાઈ પર જાનૈયાઓએ બનાવ્યો લગ્નનો માહોલ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-22 10:53:19

આપણામાંથી ઘણા લોકોને ડાન્સ કરવું પસંદ હશે. ઘણા લોકો તો એવા હોય છે કે મ્યુઝિક શરૂ થયું નથી કે ડાન્સ કરવાનું શરૂ કર્યું નથી. અને એમાંય જો કોઈના લગ્નમાં ડાન્સ કરવાનો હોય તો તો વાત જ અલગ હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પંજાબી સોન્ગ પર ડાન્સ કરવામાં આવી રહ્યો છે. આ ડાન્સ જમીન પર નહીં પરંતુ જમીનથી 37 હજાર ફીટની ઉંચાઈ પર ફ્લાઈટમાં ડાન્સ કરવામાં  આવી રહ્યો છે. હરિણાયવી કલાકાર તેરી આંખો કા યો કાજલ પર ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.


જાનૈયાઓએ ફ્લાઈટમાં જ કર્યો ડાન્સ! 

લગ્નની સિઝન દરમિયાન ડાન્સના અનેક વીડિયો સામે આવતા હોય છે. અમુક એવા વીડિયો હોય છે જે ખુબ ઝપડથી વાયરલ થતાં હોય છે ત્યારે ફ્લાઈટમાં જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે તે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દિલ્હીથી કતાર જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટના આ વીડિયો છે જેમાં તેરી આંખો કા યો કાજલ પર જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે. આ ગીત પર જાનૈયાઓ ઠુમકા લગાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ પૂરી ફ્લાઈટ જાનૈયાઓએ બુક કરાવી લીધી હતી. ફ્લાઈટમાં ડાન્સ કરતા જાનૈયાઓએ હવામાં જ લગ્નનો માહોલ બનાવી દીધો હતો. 


આ મામલે યુઝર્સે આપી પ્રતિક્રિયા!

આ વીડિયો લોકોને પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ફ્લાઈટની અંદર આવા પ્રકારનો હલ્લાબોલ સુરક્ષિત નથી. આ અસુરક્ષિત છે. તો કોઈએ લખ્યું કે બારાતી તો બારાતી છે. દરેક જગ્યાએ દેસી અંદાજ. આ વીડિયો અંગે એરલાઈન્સ તેમજ ડીજીસીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.