વર્ષ 2023 માટે ખતરનાક આગાહી !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:32:57

જ્યારે પણ વિશ્વના સૌથી મોટા ભવિષ્યવક્તા મનમાં આવે ત્યારે એક જ નામ સામે આવે નાસ્ત્રેદમસન ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ખૂબ જ પ્રખ્યાત છે અને અત્યાર સુધીમાં તેની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. 1566માં પોતાના મૃત્યુ પહેલા નાસ્ત્રેદમસે 6338 ભવિષ્યવાણીઓ લખી હતી, જેમાં તેમણે મંગળ પર મનુષ્યોના આગમનને લઈને વિશ્વના અંત વિશે જણાવ્યું હતું.

 નાસ્ત્રેદમસની આગાહી

નાસ્ત્રેદમસે અલગ અલગ વર્ષો માટે અલગ અલગ આગાહી કરી છે. તેમજ તેમણે વર્ષ 2023 માટે ખતરનાખ આગાહી કરી છે. જો નાસ્ત્રેદમસની વાત કરીએ તો તેમનો જન્મ  14 ડિસેમ્બર, 1503ના રોજ જર્મનીમાં થયો હતો અને 2 જુલાઈ, 1566ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે હિટલરના શાસન, બીજા વિશ્વયુદ્ધ, 9/11ના આતંકી હુમલા અને ફ્રાંસની ક્રાંતિ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. 

મનુષ્ય મૂકશે મંગળગ્રહ પર પગ !!! 

નાસ્ત્રેદમસે પણ મંગળ વિશે આગાહી કરી હતી અને કહ્યું હતું કે મનુષ્ય આ લાલ ગ્રહ પર ક્યારે પગ મૂકશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ મનુષ્યને મંગળ ગ્રહ પર લાવવા સાથે જોડાયેલા મિશનને વર્ષ 2023માં મોટી સફળતા મળી શકે છે.નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર, એલોન મસ્ક વર્ષ 2023 માં મંગળ સાથે સંબંધિત એક મિશનની જાહેરાત કરી શકે છે.

ત્રીજા વિશ્વ યુદ્ધની આગાહી 

નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં 2023માં થયેલા મહાયુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "સાત મહિનાનું મહાયુદ્ધ, ખરાબ કર્મોથી મૃત્યુ પામશે લોકો." કેટલાક કહે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ 2023 સુધીમાં ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.