ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ભારત - યુએસ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધારવા ભારતની મુલાકાતે


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-09 16:02:40

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું. 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન નવી દિલ્હીમાં ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુએસ-ભારત સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરવા માટે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, જેમાં 21મી સદી માટે યુએસ-ભારત કોમ્પેક્ટ (લશ્કરી ભાગીદારી માટે તકો, વાણિજ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા) અને ટ્રસ્ટ (વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોનું પરિવર્તન)ના અમલીકરણ અને આ ક્ષેત્રને અસર કરતા મુખ્ય મુદ્દાઓ ઉપર  ચર્ચા કરી હતી.  ધર્મશાળામાં મોરિસને દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે યુ.એસ. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દલાઈ લામા અને તિબેટી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, જ્યાં તેમણે તિબેટની અનન્ય ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ તેમજ તિબેટીઓની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ માટે સતત સમર્થન પર ભાર મૂક્યો હતો.  મુંબઈની મુલાકાત દરમિયાન  મોરિસને ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, ઔદ્યોગિક, શૈક્ષણિક અને નાણાકીય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતો યુએસ-ભારત ટ્રસ્ટ પહેલને આગળ વધારવા, ઉદ્યોગ-સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક અને સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી.

વાત કરીએ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોની , તો ૧૯૯૧ની ભારતની ખાનગીકરણ , વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિને અમલમાં મુકતા વધારે મજબૂત થયા છે. આ પછી તો , ૨૦૦૮માં ભારત અને યુએસ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુએસના પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ વચ્ચે જે પરમાણુ કરારો થયા તેનાથી સબંધો વધારે મજબૂત થયા છે. હાલમાં બેઉ દેશો ભારત અને યુએસ , ક્વાડ દેશોના સંગઠન પર વધારે ભાર મૂકી રહ્યા છે. થોડાક સમય પેહલા જ , વિદેશમંત્રી એસ. જયશંકરે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. ક્વાડ દેશો ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને યુએસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે , ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક . જે  મુખ્યત્વે રુલ બેસડ વર્લ્ડ ઓર્ડરનું સમર્થન કરે છે. સાથે જ ક્વાડ ચીનની એક પક્ષીય દાદાગીરીનો નકારે છે. 



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.