ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ભારત - યુએસ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધારવા ભારતની મુલાકાતે


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-09 16:02:40

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું. 

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન નવી દિલ્હીમાં ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ યુએસ-ભારત સંબંધોમાં પ્રગતિની ચર્ચા કરવા માટે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા, જેમાં 21મી સદી માટે યુએસ-ભારત કોમ્પેક્ટ (લશ્કરી ભાગીદારી માટે તકો, વાણિજ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારી વધારવા) અને ટ્રસ્ટ (વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોનું પરિવર્તન)ના અમલીકરણ અને આ ક્ષેત્રને અસર કરતા મુખ્ય મુદ્દાઓ ઉપર  ચર્ચા કરી હતી.  ધર્મશાળામાં મોરિસને દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે યુ.એસ. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દલાઈ લામા અને તિબેટી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી, જ્યાં તેમણે તિબેટની અનન્ય ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ તેમજ તિબેટીઓની મૂળભૂત સ્વતંત્રતાઓના રક્ષણ માટે સતત સમર્થન પર ભાર મૂક્યો હતો.  મુંબઈની મુલાકાત દરમિયાન  મોરિસને ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, ઔદ્યોગિક, શૈક્ષણિક અને નાણાકીય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાતો યુએસ-ભારત ટ્રસ્ટ પહેલને આગળ વધારવા, ઉદ્યોગ-સ્તરીય સહયોગને પ્રોત્સાહન આપવા અને સ્થિતિસ્થાપક અને સુરક્ષિત સપ્લાય ચેઇન બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી.

વાત કરીએ ભારત અને યુએસ વચ્ચેના સંબંધોની , તો ૧૯૯૧ની ભારતની ખાનગીકરણ , વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની નીતિને અમલમાં મુકતા વધારે મજબૂત થયા છે. આ પછી તો , ૨૦૦૮માં ભારત અને યુએસ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને યુએસના પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશ વચ્ચે જે પરમાણુ કરારો થયા તેનાથી સબંધો વધારે મજબૂત થયા છે. હાલમાં બેઉ દેશો ભારત અને યુએસ , ક્વાડ દેશોના સંગઠન પર વધારે ભાર મૂકી રહ્યા છે. થોડાક સમય પેહલા જ , વિદેશમંત્રી એસ. જયશંકરે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી. ક્વાડ દેશો ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને યુએસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે , ફ્રી એન્ડ ઓપન ઈન્ડો-પેસિફિક . જે  મુખ્યત્વે રુલ બેસડ વર્લ્ડ ઓર્ડરનું સમર્થન કરે છે. સાથે જ ક્વાડ ચીનની એક પક્ષીય દાદાગીરીનો નકારે છે. 



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.