ગરમીથી રક્ષણ મેળવવા દીકરીએ પગમાં પહેરી પ્લાસ્ટિકની થેલી! ફોટો વાયરલ થતાં કલેક્ટરે દીકરીને આપ્યા નવા ચપ્પલ! જાણો શું છે સમગ્ર ઘટના


  • Published By :
  • Published Date : 2023-05-24 16:34:59

સમગ્ર દેશમાં હાલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીથી બચવા અનેક રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા ગરમીમાં પોતાના સંતાનો સાથે દેખાઈ રહી છે. પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે એક દીકરીએ ગરમીથી રક્ષણ મેળવવા પગમાં પ્લાસ્ટિકની થેલી પહેરી છે. મળતી માહિતી અનુસાર આ ફોટો મધ્યપ્રદેશના શ્યોપુરનો છે. આ ફોટો જ્યારે કલેક્ટરના ધ્યાનમાં આવ્યો ત્યારે તેમણે મહિલા કોણ છે તે અંગેની તપાસ કરાવી અને જ્યારે મહિલા અંગેની માહિતી મળી તે બાદ દીકરીને ચપ્પલ, નવા કપડા તેમજ યોજનાઓનો લાભ અપાવ્યો હતો.   

मां-बेटियों की फोटो हुई थी सोशल मीडिया पर वायरल.

ચપ્પલ ન મળતા દીકરીએ પગમાં પહેરી પ્લાસ્ટીકની થેલી! 

સોશિયલ મીડિયા પર અનેક એવા ફોટા તેમજ વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક મહિલા પોતાના બાળકો સાથે દેખાઈ રહી છે. ચપ્પલની સુવિધા ન હોવાને કારણે પ્લાસ્ટિકની બેગ પહેરી બાળકી ઉભી છે.  જ્યારે આ ફોટો જિલ્લા કલેક્ટરના ધ્યાનમાં આવી ત્યારે મહિલા અંગે તપાસ કરવામાં આવી . મળતી માહિતી અનુસાર દર મંગળવારે જનસુનવાઈનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવેલા કામને કારણે તેમની વાહવાહી કરવામાં આવી રહી છે.


કલેક્ટરના ધ્યાનમાં ફોટો આવતા કરાઈ મહિલા અંગે તપાસ!

મહિલાની બાળકી સાથેનો ફોટો સામે આવતા શ્યોપુરના કલેક્ટર શિવમ વર્માએ આ વાતની નોંધ લીધી હતી. મહિલા અંગેની તપાસ કરાવા મહિલા બાળ વિકાસ વિભાગને આદેશ આપ્યો હતો અને પરિવારને શોધીને જનસુનવાઈ કાર્યક્રમમાં બોલાવા માટે કહ્યું હતું. વિભાગને પરિવાર અંગેની માહિતી આપતા કહ્યું કે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. ઝુંપડીમાં પરિવાર રહે છે. ઘર ચલાવવા માટે માતા મજૂરી કામ કરે છે અને પિતા ટીબીની બિમારીથી પીડાઈ રહ્યા છે. તેમની ત્રણ દીકરીઓ છે જેમનું નામ કાજલ, ખુશી અને મહેક છે. 


કલેક્ટરે બાળકીઓને નવા કપડા તેમજ ચપ્પલ આપ્યા!  

કલેક્ટરે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે જાણકારી મેળવી ઉપરાંત સરકારી યોજનાનો લાભ પરિવારને મળે છે કે નહીં તે અંગે પણ જાણકારી મેળવી હતી. કલેક્ટરે બાળકીને નવા કપડા તેમજ નવા ચપ્પલ અપાવ્યા. ઉપરાંત તાત્કાલિક પૈસાની મદદ પણ કરી હતી. ઉપરાંત દીકરીઓને શાળામાં પ્રવેશ મળે, પુસ્તકો, ડ્રેસની સુવિધા ઉપલબ્ધ કરાવા આદેશ આપ્યો છે. કલેક્ટર શિવમ વર્માના વખાણ હાલ થઈ રહ્યા છે.           



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.