ભારતમાં વન્ડે સિરીઝ રમી રહેલા ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, એક દર્દનાક વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 08:57:45

મિલરે ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20ની બીજી મેચમાં 106 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ વનડેમાં 75 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમને T20માં હારનો સામનો કરવો પડ્યો હતો.

David Miller

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડેની બીજી મેચ રવિવારે (8 ઓક્ટોબર) રાંચીમાં રમાશે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમના અનુભવી બેટ્સમેન ડેવિડ મિલરને મોટો ઝટકો લાગ્યો છે. મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના એક નાનકડા ચાહકનું દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું છે. મિલરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. પહેલા આ નાનકડી ચાહક મિલરની પુત્રી હોવાનું કહેવાતું હતું, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તે પુત્રી નથી.


ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, "મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!"

આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું. વીડિયોમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. તે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. મિલરની આ પોસ્ટ પર વિશ્વના ઘણા ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝના રાયદ અમૃત અને ભારતના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ કોમેન્ટ્રી કરી બંનેએ શ્રદ્ધાંજલિ આપી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.