ભારતમાં વન્ડે સિરીઝ રમી રહેલા ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, એક દર્દનાક વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 08:57:45

મિલરે ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20ની બીજી મેચમાં 106 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ વનડેમાં 75 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમને T20માં હારનો સામનો કરવો પડ્યો હતો.

David Miller

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડેની બીજી મેચ રવિવારે (8 ઓક્ટોબર) રાંચીમાં રમાશે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમના અનુભવી બેટ્સમેન ડેવિડ મિલરને મોટો ઝટકો લાગ્યો છે. મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના એક નાનકડા ચાહકનું દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું છે. મિલરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. પહેલા આ નાનકડી ચાહક મિલરની પુત્રી હોવાનું કહેવાતું હતું, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તે પુત્રી નથી.


ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, "મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!"

આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું. વીડિયોમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. તે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. મિલરની આ પોસ્ટ પર વિશ્વના ઘણા ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝના રાયદ અમૃત અને ભારતના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ કોમેન્ટ્રી કરી બંનેએ શ્રદ્ધાંજલિ આપી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે