ભારતમાં વન્ડે સિરીઝ રમી રહેલા ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, એક દર્દનાક વીડિયો શેર કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 08:57:45

મિલરે ભારતના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે T20ની બીજી મેચમાં 106 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ વનડેમાં 75 રન બનાવ્યા હતા. આફ્રિકન ટીમને T20માં હારનો સામનો કરવો પડ્યો હતો.

David Miller

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડેની બીજી મેચ રવિવારે (8 ઓક્ટોબર) રાંચીમાં રમાશે. આ મેચ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમના અનુભવી બેટ્સમેન ડેવિડ મિલરને મોટો ઝટકો લાગ્યો છે. મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેના એક નાનકડા ચાહકનું દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું છે. મિલરે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ અંગે જાણકારી આપી હતી. પહેલા આ નાનકડી ચાહક મિલરની પુત્રી હોવાનું કહેવાતું હતું, પરંતુ પછીથી પુષ્ટિ થઈ કે તે પુત્રી નથી.


ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતાં મિલરે લખ્યું, "મારી સ્વીટ પ્રિન્સેસને RIP, પ્રેમ હંમેશા રહેશે!"

આ નાનકડા મિલરના ચાહકને કેન્સર હતું. વીડિયોમાં બંનેની ઘણી તસવીરો જોવા મળી રહી છે. તે ક્રિકેટ રમતી પણ જોવા મળે છે. મિલરની આ પોસ્ટ પર વિશ્વના ઘણા ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝના રાયદ અમૃત અને ભારતના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ કોમેન્ટ્રી કરી બંનેએ શ્રદ્ધાંજલિ આપી છે.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.