મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાણાએ મામા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-17 15:14:44

દાઉદ ઇબ્રાહિમના ભાણા અલીશાહ ઈબ્રાહિમ પારકરે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આંતંકી ફંડિંગ અંગે NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીની અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે કરાચીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે તે પણ ખુલાસો કર્યો છે કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. જો કે તેની પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા નથી. અલીશાહે ગત વર્ષે જૂલાઈમાં મહેજબીન સાથે દુબઈમાં મુલાકાત કરી હતી. મહેજબીન તહેવારો પર અલીશાહની પત્ની સાથે વ્હોટ્સએપ કોલ પણ કરે છે.    


દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ


અલીશાહે જણાવ્યું કે દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. અલીશાહના જણાવ્યા પ્રમાણે દાઉદને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. વળી દાઉદે હવે તેની નિવાસસ્થાન બદલ્યું છે. હવે તે કરાચીમાં જ ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફાકીની નજીક આવેલા ડિફેન્સ ઝોનમાં રહે છે. દાઉદની સાથે હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ અને મુમતાઝ રહીમ ફાકી તેના પરિવારની સાથે રહે છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોઈના પણ સંપર્કમાં નથી રહેતો. 


દાઉદના પરિવારમાં કોણ છે?


NIAને આપેલા નિવેદનમાં અલીશાહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કાસકરને બે પત્નીઓ છે એક મહેજબીન જે મુંબઈની અને બીજી પાકિસ્તાની પઠાણ છે. દાઉદને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે તેમનું નામ માહરૂખ ( જાવેદ મિયાંદાદાના પુત્ર જુનૈદ સાથે લગ્ન) બીજી પુત્રી મહરીન, અને ત્રીજી પુત્રી મઝિયા (અપરણીત) અને પુત્રનું નામ મોહિન નવાઝ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.