મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાણાએ મામા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-17 15:14:44

દાઉદ ઇબ્રાહિમના ભાણા અલીશાહ ઈબ્રાહિમ પારકરે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આંતંકી ફંડિંગ અંગે NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીની અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે કરાચીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે તે પણ ખુલાસો કર્યો છે કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. જો કે તેની પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા નથી. અલીશાહે ગત વર્ષે જૂલાઈમાં મહેજબીન સાથે દુબઈમાં મુલાકાત કરી હતી. મહેજબીન તહેવારો પર અલીશાહની પત્ની સાથે વ્હોટ્સએપ કોલ પણ કરે છે.    


દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ


અલીશાહે જણાવ્યું કે દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. અલીશાહના જણાવ્યા પ્રમાણે દાઉદને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. વળી દાઉદે હવે તેની નિવાસસ્થાન બદલ્યું છે. હવે તે કરાચીમાં જ ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફાકીની નજીક આવેલા ડિફેન્સ ઝોનમાં રહે છે. દાઉદની સાથે હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ અને મુમતાઝ રહીમ ફાકી તેના પરિવારની સાથે રહે છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોઈના પણ સંપર્કમાં નથી રહેતો. 


દાઉદના પરિવારમાં કોણ છે?


NIAને આપેલા નિવેદનમાં અલીશાહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કાસકરને બે પત્નીઓ છે એક મહેજબીન જે મુંબઈની અને બીજી પાકિસ્તાની પઠાણ છે. દાઉદને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે તેમનું નામ માહરૂખ ( જાવેદ મિયાંદાદાના પુત્ર જુનૈદ સાથે લગ્ન) બીજી પુત્રી મહરીન, અને ત્રીજી પુત્રી મઝિયા (અપરણીત) અને પુત્રનું નામ મોહિન નવાઝ છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.