મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાણાએ મામા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-17 15:14:44

દાઉદ ઇબ્રાહિમના ભાણા અલીશાહ ઈબ્રાહિમ પારકરે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આંતંકી ફંડિંગ અંગે NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીની અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે કરાચીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે તે પણ ખુલાસો કર્યો છે કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. જો કે તેની પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા નથી. અલીશાહે ગત વર્ષે જૂલાઈમાં મહેજબીન સાથે દુબઈમાં મુલાકાત કરી હતી. મહેજબીન તહેવારો પર અલીશાહની પત્ની સાથે વ્હોટ્સએપ કોલ પણ કરે છે.    


દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ


અલીશાહે જણાવ્યું કે દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. અલીશાહના જણાવ્યા પ્રમાણે દાઉદને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. વળી દાઉદે હવે તેની નિવાસસ્થાન બદલ્યું છે. હવે તે કરાચીમાં જ ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફાકીની નજીક આવેલા ડિફેન્સ ઝોનમાં રહે છે. દાઉદની સાથે હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ અને મુમતાઝ રહીમ ફાકી તેના પરિવારની સાથે રહે છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોઈના પણ સંપર્કમાં નથી રહેતો. 


દાઉદના પરિવારમાં કોણ છે?


NIAને આપેલા નિવેદનમાં અલીશાહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કાસકરને બે પત્નીઓ છે એક મહેજબીન જે મુંબઈની અને બીજી પાકિસ્તાની પઠાણ છે. દાઉદને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે તેમનું નામ માહરૂખ ( જાવેદ મિયાંદાદાના પુત્ર જુનૈદ સાથે લગ્ન) બીજી પુત્રી મહરીન, અને ત્રીજી પુત્રી મઝિયા (અપરણીત) અને પુત્રનું નામ મોહિન નવાઝ છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.