મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમના ભાણાએ મામા અંગે કર્યા વિસ્ફોટક ખુલાસા, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-01-17 15:14:44

દાઉદ ઇબ્રાહિમના ભાણા અલીશાહ ઈબ્રાહિમ પારકરે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી અને અંડરવર્લ્ડ ડોન અંગે મહત્વના ખુલાસા કર્યા છે. આંતંકી ફંડિંગ અંગે NIAની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીની અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહ પાસે કરાચીની ડિફેન્સ કોલોનીમાં રહે છે. હસીના પારકરના પુત્ર અલીશાહે તે પણ ખુલાસો કર્યો છે કે દાઉદે પાકિસ્તાનમાં બીજા લગ્ન કરી લીધા છે. જો કે તેની પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા નથી. અલીશાહે ગત વર્ષે જૂલાઈમાં મહેજબીન સાથે દુબઈમાં મુલાકાત કરી હતી. મહેજબીન તહેવારો પર અલીશાહની પત્ની સાથે વ્હોટ્સએપ કોલ પણ કરે છે.    


દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ


અલીશાહે જણાવ્યું કે દાઉદની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ છે. અલીશાહના જણાવ્યા પ્રમાણે દાઉદને ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. વળી દાઉદે હવે તેની નિવાસસ્થાન બદલ્યું છે. હવે તે કરાચીમાં જ ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફાકીની નજીક આવેલા ડિફેન્સ ઝોનમાં રહે છે. દાઉદની સાથે હાજી અનીસ ઉર્ફે અનીસ ઈબ્રાહિમ શેખ અને મુમતાઝ રહીમ ફાકી તેના પરિવારની સાથે રહે છે. જો કે દાઉદ ઈબ્રાહિમ કોઈના પણ સંપર્કમાં નથી રહેતો. 


દાઉદના પરિવારમાં કોણ છે?


NIAને આપેલા નિવેદનમાં અલીશાહે જણાવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ કાસકરને બે પત્નીઓ છે એક મહેજબીન જે મુંબઈની અને બીજી પાકિસ્તાની પઠાણ છે. દાઉદને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર છે તેમનું નામ માહરૂખ ( જાવેદ મિયાંદાદાના પુત્ર જુનૈદ સાથે લગ્ન) બીજી પુત્રી મહરીન, અને ત્રીજી પુત્રી મઝિયા (અપરણીત) અને પુત્રનું નામ મોહિન નવાઝ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.